ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, 5 દિવસ સુધી ઘટતા શેરમાં લાગી અપર સર્કિટ


  • Published By :
  • Published Date : 2023-12-05 17:50:20

ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી લધી છે, આ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટ્સ (ACL)એ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અધિગ્રહણ પૂરૂ કર્યાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ વાત જણાવી છે, આ માટે ઓપન ઓફર પ્રાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રતિ શેર રૂ. 121.90ના સુધારેલા ઓફર ભાવે હતી. આ વર્ષની શરૂઆતમાં, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL)એ તેના પબ્લિક શેરધારકો પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ના 26 ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે 114.22 રૂપિયાની કિંમત ઓફર કરી હતી. આ સમાચાર આવતા જ શેરબજારમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ છે, સાંધીના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી ગઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો છે. તેનો શેર 510.30 રૂપિયા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનિય છે કે અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે, થોડા મહિના પહેલા જ અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.


કેટલા રૂપિયામાં થયો સોદો?


અદાણી ગ્રુપે સાંઘી ઈન્ડ્રસ્ટ્રીઝનો આ સોદો 5185 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર કર્યો છે. રિપોર્ટસ મુજબ આ સોદા માટે ફંડિંગ આંતરિક સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના માલિકી હકવાળી કંપની અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના 14 કરોડ શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં અંબુજા સિમેન્ટ્સની ભાગીદારી 54.51 ટકા છે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પહેલા પ્રમોટર રવિ સાંઘી એન્ડ ફેમિલી હતા. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ પાસે લાઈમસ્ટોન  રિઝર્વનો મોટો હિસ્સો છે.   


ગુજરાતમાં છે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી


ઉલ્લેખનિય છે કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના કચ્છ વિસ્તારમાં છે. અંબુજા સિમેન્ટ્સના નિવેદન અનુસાર, ક્ષમતાની દ્રષ્ટિએ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી દેશની સૌથી મોટી સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. એક્વિઝિશનમાં કેપ્ટિવ જેટી અને પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે