ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, 5 દિવસ સુધી ઘટતા શેરમાં લાગી અપર સર્કિટ


  • Published By :
  • Published Date : 2023-12-05 17:50:20

ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી લધી છે, આ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટ્સ (ACL)એ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અધિગ્રહણ પૂરૂ કર્યાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ વાત જણાવી છે, આ માટે ઓપન ઓફર પ્રાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રતિ શેર રૂ. 121.90ના સુધારેલા ઓફર ભાવે હતી. આ વર્ષની શરૂઆતમાં, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL)એ તેના પબ્લિક શેરધારકો પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ના 26 ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે 114.22 રૂપિયાની કિંમત ઓફર કરી હતી. આ સમાચાર આવતા જ શેરબજારમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ છે, સાંધીના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી ગઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો છે. તેનો શેર 510.30 રૂપિયા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનિય છે કે અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે, થોડા મહિના પહેલા જ અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.


કેટલા રૂપિયામાં થયો સોદો?


અદાણી ગ્રુપે સાંઘી ઈન્ડ્રસ્ટ્રીઝનો આ સોદો 5185 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર કર્યો છે. રિપોર્ટસ મુજબ આ સોદા માટે ફંડિંગ આંતરિક સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના માલિકી હકવાળી કંપની અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના 14 કરોડ શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં અંબુજા સિમેન્ટ્સની ભાગીદારી 54.51 ટકા છે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પહેલા પ્રમોટર રવિ સાંઘી એન્ડ ફેમિલી હતા. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ પાસે લાઈમસ્ટોન  રિઝર્વનો મોટો હિસ્સો છે.   


ગુજરાતમાં છે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી


ઉલ્લેખનિય છે કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના કચ્છ વિસ્તારમાં છે. અંબુજા સિમેન્ટ્સના નિવેદન અનુસાર, ક્ષમતાની દ્રષ્ટિએ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી દેશની સૌથી મોટી સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. એક્વિઝિશનમાં કેપ્ટિવ જેટી અને પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.