ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, 5 દિવસ સુધી ઘટતા શેરમાં લાગી અપર સર્કિટ


  • Published By :
  • Published Date : 2023-12-05 17:50:20

ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી લધી છે, આ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટ્સ (ACL)એ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અધિગ્રહણ પૂરૂ કર્યાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ વાત જણાવી છે, આ માટે ઓપન ઓફર પ્રાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રતિ શેર રૂ. 121.90ના સુધારેલા ઓફર ભાવે હતી. આ વર્ષની શરૂઆતમાં, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL)એ તેના પબ્લિક શેરધારકો પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ના 26 ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે 114.22 રૂપિયાની કિંમત ઓફર કરી હતી. આ સમાચાર આવતા જ શેરબજારમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ છે, સાંધીના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી ગઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો છે. તેનો શેર 510.30 રૂપિયા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનિય છે કે અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે, થોડા મહિના પહેલા જ અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.


કેટલા રૂપિયામાં થયો સોદો?


અદાણી ગ્રુપે સાંઘી ઈન્ડ્રસ્ટ્રીઝનો આ સોદો 5185 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર કર્યો છે. રિપોર્ટસ મુજબ આ સોદા માટે ફંડિંગ આંતરિક સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના માલિકી હકવાળી કંપની અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના 14 કરોડ શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં અંબુજા સિમેન્ટ્સની ભાગીદારી 54.51 ટકા છે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પહેલા પ્રમોટર રવિ સાંઘી એન્ડ ફેમિલી હતા. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ પાસે લાઈમસ્ટોન  રિઝર્વનો મોટો હિસ્સો છે.   


ગુજરાતમાં છે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી


ઉલ્લેખનિય છે કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના કચ્છ વિસ્તારમાં છે. અંબુજા સિમેન્ટ્સના નિવેદન અનુસાર, ક્ષમતાની દ્રષ્ટિએ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી દેશની સૌથી મોટી સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. એક્વિઝિશનમાં કેપ્ટિવ જેટી અને પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.