ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, 5 દિવસ સુધી ઘટતા શેરમાં લાગી અપર સર્કિટ


  • Published By :
  • Published Date : 2023-12-05 17:50:20

ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી લધી છે, આ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટ્સ (ACL)એ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અધિગ્રહણ પૂરૂ કર્યાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ વાત જણાવી છે, આ માટે ઓપન ઓફર પ્રાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રતિ શેર રૂ. 121.90ના સુધારેલા ઓફર ભાવે હતી. આ વર્ષની શરૂઆતમાં, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL)એ તેના પબ્લિક શેરધારકો પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ના 26 ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે 114.22 રૂપિયાની કિંમત ઓફર કરી હતી. આ સમાચાર આવતા જ શેરબજારમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ છે, સાંધીના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી ગઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો છે. તેનો શેર 510.30 રૂપિયા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનિય છે કે અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે, થોડા મહિના પહેલા જ અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.


કેટલા રૂપિયામાં થયો સોદો?


અદાણી ગ્રુપે સાંઘી ઈન્ડ્રસ્ટ્રીઝનો આ સોદો 5185 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર કર્યો છે. રિપોર્ટસ મુજબ આ સોદા માટે ફંડિંગ આંતરિક સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના માલિકી હકવાળી કંપની અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના 14 કરોડ શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં અંબુજા સિમેન્ટ્સની ભાગીદારી 54.51 ટકા છે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પહેલા પ્રમોટર રવિ સાંઘી એન્ડ ફેમિલી હતા. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ પાસે લાઈમસ્ટોન  રિઝર્વનો મોટો હિસ્સો છે.   


ગુજરાતમાં છે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી


ઉલ્લેખનિય છે કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના કચ્છ વિસ્તારમાં છે. અંબુજા સિમેન્ટ્સના નિવેદન અનુસાર, ક્ષમતાની દ્રષ્ટિએ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી દેશની સૌથી મોટી સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. એક્વિઝિશનમાં કેપ્ટિવ જેટી અને પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.