Adani Groupના તમામ શેર ધરાશાયી, OCCRPના રિપોર્ટ અંગે અદાણીએ આપેલા ખુલાસા પણ કામ ન આવ્યા


  • Published By :
  • Published Date : 2023-08-31 17:06:25

અદાણી ગ્રૂપની મુસીબત ઓછી થવાનું થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ બાદ હવે OCCRP નામના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પ્લેટફોર્મએ  Adani Groupનાં Sharesમાં વર્ષોથી થઈ રહેલા મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. કેટલાક નાણાકિય ડોક્યુમેન્ટના આધારે કરવામાં આવેલા દાવા બાદ મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન આજે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 4 ટકા સુધી તુટ્યા છે. આજે અદાણીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.   


અદાણી ગ્રીન 4.43 ટકા ઘટ્યો 


BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.43 ટકા ઘટીને રૂ. 927.65 થયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 1.47 લાખ કરોડ છે.


આ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો  


અદાણી પાવરનો શેર 3.82 ટકા ઘટીને રૂ. 315.85 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.56 ટકા ઘટીને રૂ. 2,424 અને અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 3.18 ટકા ઘટીને રૂ. 814.95 થયો હતો.


આ કંપનીના શેર 2 થી 3 ટકા ઘટ્યા 


BSE પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.75 ટકા ઘટીને રૂ. 796.50, અદાણી ટોટલ ગેસ 2.74 ટકા ઘટીને રૂ. 634.60, NDTV 2.69 ટકા ઘટીને રૂ. 213.30 અને અદાણી વિલ્મરનો શેર 1.83 ટકા ઘટીને રૂ. 23.20 થયો હતો. ACCનો શેર 3.15 ટકા ઘટીને રૂ. 1,937.10 અને અંબુજા સિમેન્ટનો શેર 2.84 ટકા ઘટીને રૂ. 431.60 થયો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.