Adani Groupના તમામ શેર ધરાશાયી, OCCRPના રિપોર્ટ અંગે અદાણીએ આપેલા ખુલાસા પણ કામ ન આવ્યા


  • Published By :
  • Published Date : 2023-08-31 17:06:25

અદાણી ગ્રૂપની મુસીબત ઓછી થવાનું થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ બાદ હવે OCCRP નામના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પ્લેટફોર્મએ  Adani Groupનાં Sharesમાં વર્ષોથી થઈ રહેલા મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. કેટલાક નાણાકિય ડોક્યુમેન્ટના આધારે કરવામાં આવેલા દાવા બાદ મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન આજે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 4 ટકા સુધી તુટ્યા છે. આજે અદાણીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.   


અદાણી ગ્રીન 4.43 ટકા ઘટ્યો 


BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.43 ટકા ઘટીને રૂ. 927.65 થયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 1.47 લાખ કરોડ છે.


આ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો  


અદાણી પાવરનો શેર 3.82 ટકા ઘટીને રૂ. 315.85 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.56 ટકા ઘટીને રૂ. 2,424 અને અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 3.18 ટકા ઘટીને રૂ. 814.95 થયો હતો.


આ કંપનીના શેર 2 થી 3 ટકા ઘટ્યા 


BSE પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.75 ટકા ઘટીને રૂ. 796.50, અદાણી ટોટલ ગેસ 2.74 ટકા ઘટીને રૂ. 634.60, NDTV 2.69 ટકા ઘટીને રૂ. 213.30 અને અદાણી વિલ્મરનો શેર 1.83 ટકા ઘટીને રૂ. 23.20 થયો હતો. ACCનો શેર 3.15 ટકા ઘટીને રૂ. 1,937.10 અને અંબુજા સિમેન્ટનો શેર 2.84 ટકા ઘટીને રૂ. 431.60 થયો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .