CNG ગેસમાં અદાણીએ કર્યો ભાવ વધારો, મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-01-09 12:07:04

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાદ એક દરેક વસ્તુની કિંમતમાં વધારો આવી રહ્યો છે. ત્યારે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજી ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1નો વધારો કર્યો છે. ગેસના ભાવ વધવાથી વાહનચાલકોને હવે એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે.



અનેક ચીજ-વસ્તુઓ પર પડશે ભાવવધારાની અસર 

દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડી રહ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે જનતાની કમરતૂટી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર બીજી બધી વસ્તુઓ પર પડતી હોય છે. એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ મોઘી થતી હોય છે. 

Adani CNG gas price hike in gujarat on 1st april

પ્રતિ કિલોએ કર્યો એક રૂપિયાનો ભાવ વધારો  

લોકો મોઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. નવા વર્ષમાં મોંઘવારી ઓછી થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા. પરંતુ નવા વર્ષમાં અદાણીએ ઝટકો આપ્યો છે. પેટ્રોલ, તેમજ ડિઝલના ભાવ તો વધી રહ્યા છે ત્યારે ગેસના ભાવમાં પણ વધારો આવ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલોએ 1 રુપિયાનો વધારો ઝિંક્યો છે. ભાવ વધારો થવાને કારણે હવે 79.34ની બદલીમાં 80.34 ચૂકવવા પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલમાં પણ ભાવ વધારો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.