CNG ગેસમાં અદાણીએ કર્યો ભાવ વધારો, મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-01-09 12:07:04

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાદ એક દરેક વસ્તુની કિંમતમાં વધારો આવી રહ્યો છે. ત્યારે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજી ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1નો વધારો કર્યો છે. ગેસના ભાવ વધવાથી વાહનચાલકોને હવે એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે.



અનેક ચીજ-વસ્તુઓ પર પડશે ભાવવધારાની અસર 

દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડી રહ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે જનતાની કમરતૂટી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર બીજી બધી વસ્તુઓ પર પડતી હોય છે. એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ મોઘી થતી હોય છે. 

Adani CNG gas price hike in gujarat on 1st april

પ્રતિ કિલોએ કર્યો એક રૂપિયાનો ભાવ વધારો  

લોકો મોઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. નવા વર્ષમાં મોંઘવારી ઓછી થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા. પરંતુ નવા વર્ષમાં અદાણીએ ઝટકો આપ્યો છે. પેટ્રોલ, તેમજ ડિઝલના ભાવ તો વધી રહ્યા છે ત્યારે ગેસના ભાવમાં પણ વધારો આવ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલોએ 1 રુપિયાનો વધારો ઝિંક્યો છે. ભાવ વધારો થવાને કારણે હવે 79.34ની બદલીમાં 80.34 ચૂકવવા પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલમાં પણ ભાવ વધારો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.