CNG ગેસમાં અદાણીએ કર્યો ભાવ વધારો, મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-01-09 12:07:04

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાદ એક દરેક વસ્તુની કિંમતમાં વધારો આવી રહ્યો છે. ત્યારે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજી ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1નો વધારો કર્યો છે. ગેસના ભાવ વધવાથી વાહનચાલકોને હવે એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે.



અનેક ચીજ-વસ્તુઓ પર પડશે ભાવવધારાની અસર 

દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડી રહ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે જનતાની કમરતૂટી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર બીજી બધી વસ્તુઓ પર પડતી હોય છે. એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ મોઘી થતી હોય છે. 

Adani CNG gas price hike in gujarat on 1st april

પ્રતિ કિલોએ કર્યો એક રૂપિયાનો ભાવ વધારો  

લોકો મોઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. નવા વર્ષમાં મોંઘવારી ઓછી થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા. પરંતુ નવા વર્ષમાં અદાણીએ ઝટકો આપ્યો છે. પેટ્રોલ, તેમજ ડિઝલના ભાવ તો વધી રહ્યા છે ત્યારે ગેસના ભાવમાં પણ વધારો આવ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલોએ 1 રુપિયાનો વધારો ઝિંક્યો છે. ભાવ વધારો થવાને કારણે હવે 79.34ની બદલીમાં 80.34 ચૂકવવા પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલમાં પણ ભાવ વધારો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.