CNG ગેસમાં અદાણીએ કર્યો ભાવ વધારો, મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર


  • Published By :
  • Published Date : 2023-01-09 12:07:04

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાદ એક દરેક વસ્તુની કિંમતમાં વધારો આવી રહ્યો છે. ત્યારે અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. અદાણી ગેસે સીએનજી ભાવમાં પ્રતિ કિલોએ રૂ.1નો વધારો કર્યો છે. ગેસના ભાવ વધવાથી વાહનચાલકોને હવે એક કિલો સીએનજી ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે.



અનેક ચીજ-વસ્તુઓ પર પડશે ભાવવધારાની અસર 

દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસને મોટો ફટકો પડી રહ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. વધતી મોંઘવારીને કારણે જનતાની કમરતૂટી રહી છે. પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર બીજી બધી વસ્તુઓ પર પડતી હોય છે. એલપીજી સિલિન્ડર, શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ મોઘી થતી હોય છે. 

Adani CNG gas price hike in gujarat on 1st april

પ્રતિ કિલોએ કર્યો એક રૂપિયાનો ભાવ વધારો  

લોકો મોઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. નવા વર્ષમાં મોંઘવારી ઓછી થાય તેવી આશા લોકો રાખી રહ્યા હતા. પરંતુ નવા વર્ષમાં અદાણીએ ઝટકો આપ્યો છે. પેટ્રોલ, તેમજ ડિઝલના ભાવ તો વધી રહ્યા છે ત્યારે ગેસના ભાવમાં પણ વધારો આવ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં પ્રતિકિલોએ 1 રુપિયાનો વધારો ઝિંક્યો છે. ભાવ વધારો થવાને કારણે હવે 79.34ની બદલીમાં 80.34 ચૂકવવા પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડિઝલમાં પણ ભાવ વધારો થઈ શકે છે કારણ કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.