Adani-Hindenburg case મામલે Supreme Courtએ સંભળાવ્યો ચૂકાદો, કહ્યું 'SEBIની તપાસ પર શંકા કરવાનું કોઈ કારણ નથી'


  • Published By :
  • Published Date : 2024-01-03 12:26:22

હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે જેને કારણે ગૌતમ અદાણીની ચિંતા ઘટી છે. સુપ્રીમ કોર્ટે સેબીની તપાસમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સેબીની તપાસમાં ક્લીનચીટ આપતાં કહ્યું કે સેબીની તપાસમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે આ મામલે કહ્યું કે 'સેબી તપાસ હાથ ધરવા માટે સક્ષમ એજન્સી છે.' સેબીએ હિંડનબર્ગ વિરૂદ્ધ અદાણી કેસના 24 માંથી 22 કેસોની તપાસ પૂર્ણ કરી છે. બાકીના 2 કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનાનો સમય આપ્યો છે. 

સેબીને સુપ્રીમ કોર્ટે આપ્યો 3 મહિનાનો સમય 

સુપ્રીમ કોર્ટમાં અદાણી જૂથ અને હિંડનબર્ગ રિસર્ચ મામલે સુનાવણી  હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટેના ત્રણ જજોની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને સેબીના તપાસમાં દખલ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 24 કેસમાં સેબી તપાસ કરી રહી છે. 24માંથી સેબી દ્વારા 22 કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી ગઈ છે જ્યારે બાકી રહેલા બે કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જે જજોએ આ કેસને લઈ ચૂકાદો આપ્યો છે તેમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જે.બી, પારદીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 

Gautam Adani To Get USIBC Award For 'visionary Leadership' | Gautam Adani:  ગૌતમ અદાણીને મળશે ગ્લોબલ લીડરશીપ એવોર્ડ, સુંદર પિચાઇ, જેફ બેઝોસને મળ્યું છે  આ સન્માન

શું કહ્યું સુપ્રીમ કોર્ટે? 

ચુકાદો આપતા CJIએ કહ્યું કે કોર્ટ પાસે સેબીના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ સેબી પોતે કરશે, તપાસ SITને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. SCએ કહ્યું કે સેબીની તપાસ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું છે કે માત્ર મીડિયા રિપોર્ટ્સ અથવા ન્યૂઝ પબ્લિકેશનના આધારે વિશ્વાસ મૂકી શકાય નહીં. SITને અદાણી કેસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર મળ્યો નથી. કોર્ટને તેની બાજુ પર નજર રાખતી કોઈપણ તપાસ સમિતિને કેસ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર જણાતી નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.