બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, પીએમએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:19:51

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રોડ શો તેમજ સભાને સંબોધી હતી. જ્યારે બીજા દિવસે તેમણે કેવડિયા ખાતે આયોજીત એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે બાદ બનાસકાંઠામાં જનસભા પણ સંબોધી હતી. પીએમ મોદીએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8034 કરોડના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પીએમએ કર્યા પ્રહાર

મોરબીની ઘટના યાદ કરી વડાપ્રધાને કહ્યું કે મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને તમામ રીતે મદદ કરી રહી છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર તેમણે નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર અશોક ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે તેમણે આ સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા.           

મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો - વડાપ્રધાન 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દ્વિધામાં હતો, બનાસકાંઠામાં પાણીનું મહત્વ કેટલું છે, તે હું જાણું છું કે નહીં, મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત એના માટે પાણી, 8000 કરોડ રૂપિયાની યોજનાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત 6 જિલ્લાના 1000 કરતાં વધારે ગામોને, 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનને સિંચાઈની સુવિધા મળશે. 

ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું - પીએમ

પોતાના પર થતા પ્રહારોનો પ્રતિઉત્તરમાં તેમણે કહ્યું કે આ ચા વેચવાવાળો ખેતીનું સમજાવે એવું કહેતા, પણ હું ટપક સિંચાઈ માટે પાછળ પડેલો. વડીલોએ મારી વાત માની, અને આજે બનાસકાંઠામાં ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની ચાર લાખ હેક્ટર જમીન ટપક સિંચાઈથી સુક્ષ્મ સિંચાઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચે જતાં અટકાવ્યા. ભવિષ્યના બાળકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .