બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, પીએમએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:19:51

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રોડ શો તેમજ સભાને સંબોધી હતી. જ્યારે બીજા દિવસે તેમણે કેવડિયા ખાતે આયોજીત એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે બાદ બનાસકાંઠામાં જનસભા પણ સંબોધી હતી. પીએમ મોદીએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8034 કરોડના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પીએમએ કર્યા પ્રહાર

મોરબીની ઘટના યાદ કરી વડાપ્રધાને કહ્યું કે મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને તમામ રીતે મદદ કરી રહી છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર તેમણે નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર અશોક ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે તેમણે આ સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા.           

મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો - વડાપ્રધાન 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દ્વિધામાં હતો, બનાસકાંઠામાં પાણીનું મહત્વ કેટલું છે, તે હું જાણું છું કે નહીં, મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત એના માટે પાણી, 8000 કરોડ રૂપિયાની યોજનાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત 6 જિલ્લાના 1000 કરતાં વધારે ગામોને, 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનને સિંચાઈની સુવિધા મળશે. 

ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું - પીએમ

પોતાના પર થતા પ્રહારોનો પ્રતિઉત્તરમાં તેમણે કહ્યું કે આ ચા વેચવાવાળો ખેતીનું સમજાવે એવું કહેતા, પણ હું ટપક સિંચાઈ માટે પાછળ પડેલો. વડીલોએ મારી વાત માની, અને આજે બનાસકાંઠામાં ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની ચાર લાખ હેક્ટર જમીન ટપક સિંચાઈથી સુક્ષ્મ સિંચાઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચે જતાં અટકાવ્યા. ભવિષ્યના બાળકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.