બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન, પીએમએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો


  • Published By :
  • Published Date : 2022-10-31 18:19:51

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે રોડ શો તેમજ સભાને સંબોધી હતી. જ્યારે બીજા દિવસે તેમણે કેવડિયા ખાતે આયોજીત એકતા પરેડમાં ભાગ લીધો હતો. જે બાદ બનાસકાંઠામાં જનસભા પણ સંબોધી હતી. પીએમ મોદીએ પાણી પૂરવઠા પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8034 કરોડના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યું હતું.

રાજસ્થાનના મુખ્યમંત્રી પણ પીએમએ કર્યા પ્રહાર

મોરબીની ઘટના યાદ કરી વડાપ્રધાને કહ્યું કે મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના સ્વજનો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને તમામ રીતે મદદ કરી રહી છે. ગુજરાતના સીએમ પણ રાતથી મોરબીમાં છે. પોતાના સંબોધન દરમિયાન કોંગ્રેસ પર તેમણે નિશાન સાધ્યું હતું. નામ લીધા વગર અશોક ગેહલોત પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે તેમણે આ સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા.           

મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો - વડાપ્રધાન 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દ્વિધામાં હતો, બનાસકાંઠામાં પાણીનું મહત્વ કેટલું છે, તે હું જાણું છું કે નહીં, મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. થરાદ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત એના માટે પાણી, 8000 કરોડ રૂપિયાની યોજનાઓ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત 6 જિલ્લાના 1000 કરતાં વધારે ગામોને, 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનને સિંચાઈની સુવિધા મળશે. 

ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું - પીએમ

પોતાના પર થતા પ્રહારોનો પ્રતિઉત્તરમાં તેમણે કહ્યું કે આ ચા વેચવાવાળો ખેતીનું સમજાવે એવું કહેતા, પણ હું ટપક સિંચાઈ માટે પાછળ પડેલો. વડીલોએ મારી વાત માની, અને આજે બનાસકાંઠામાં ટપક સિંચાઈ અને સુક્ષ્મ સિંચાઈએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. બનાસકાંઠાની ચાર લાખ હેક્ટર જમીન ટપક સિંચાઈથી સુક્ષ્મ સિંચાઈ છે. જેના કારણે પાણીના સ્તર નીચે જતાં અટકાવ્યા. ભવિષ્યના બાળકોની જિંદગી બચાવવાનું કામ કર્યું છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.