કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ PM મોદીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરતા થયો હોબાળો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-10 17:09:40

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સાંસદ અધીર રંજન ચૌધરીએ PM મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. આજે લોકસભામાં તેમના ભાષણમાં, ચૌધરીએ પીએમ મોદીની તુલના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી, જેના પગલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જો કે વિરોધ વધતા સ્પીકરે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવવાની સુચના આપી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના જવાબ પહેલા આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. PM મોદી આજે સાંજે 4 વાગે જવાબ આપે તેવી શક્યતા છે.


શું કહ્યું અધીર રંજન ચૌધરીએ?

 

અધીર રંજન ચૌધરીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, "જબ ધૃતરાષ્ટ્ર અંધે થે, તબ દ્રૌપદી કા વસ્ત્રાહરન હુઆ થા, આજ ભી રાજા આંધે બેઠે હૈ... મણિપુર ઔર હસ્તિનાપુર મેં કોઈ ફરક નહીં હૈ." તેમની ટીપ્પણી બાદ બીજેપીના કેટલાક સાંસદોએ લોકસભામાં વિરોધ કર્યો અને તેમની ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.


અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી


ચૌધરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે, અવિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લાવી છે. "અમારામાંથી કોઈએ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચાર્યું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે. અમે ભાજપના કોઈ સભ્યને સંસદમાં આવવાની માંગ કરી ન હતી, અમે ફક્ત અમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલે તેવી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેમણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું."



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.