કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ PM મોદીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરતા થયો હોબાળો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-10 17:09:40

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સાંસદ અધીર રંજન ચૌધરીએ PM મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. આજે લોકસભામાં તેમના ભાષણમાં, ચૌધરીએ પીએમ મોદીની તુલના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી, જેના પગલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જો કે વિરોધ વધતા સ્પીકરે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવવાની સુચના આપી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના જવાબ પહેલા આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. PM મોદી આજે સાંજે 4 વાગે જવાબ આપે તેવી શક્યતા છે.


શું કહ્યું અધીર રંજન ચૌધરીએ?

 

અધીર રંજન ચૌધરીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, "જબ ધૃતરાષ્ટ્ર અંધે થે, તબ દ્રૌપદી કા વસ્ત્રાહરન હુઆ થા, આજ ભી રાજા આંધે બેઠે હૈ... મણિપુર ઔર હસ્તિનાપુર મેં કોઈ ફરક નહીં હૈ." તેમની ટીપ્પણી બાદ બીજેપીના કેટલાક સાંસદોએ લોકસભામાં વિરોધ કર્યો અને તેમની ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.


અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી


ચૌધરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે, અવિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લાવી છે. "અમારામાંથી કોઈએ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચાર્યું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે. અમે ભાજપના કોઈ સભ્યને સંસદમાં આવવાની માંગ કરી ન હતી, અમે ફક્ત અમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલે તેવી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેમણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.