કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીએ PM મોદીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરતા થયો હોબાળો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-10 17:09:40

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સાંસદ અધીર રંજન ચૌધરીએ PM મોદી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. આજે લોકસભામાં તેમના ભાષણમાં, ચૌધરીએ પીએમ મોદીની તુલના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી, જેના પગલે લોકસભામાં ભારે હોબાળો થયો હતો, જો કે વિરોધ વધતા સ્પીકરે તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવવાની સુચના આપી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીના જવાબ પહેલા આ પ્રકારનું નિવેદન આવ્યું હતું. PM મોદી આજે સાંજે 4 વાગે જવાબ આપે તેવી શક્યતા છે.


શું કહ્યું અધીર રંજન ચૌધરીએ?

 

અધીર રંજન ચૌધરીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું, "જબ ધૃતરાષ્ટ્ર અંધે થે, તબ દ્રૌપદી કા વસ્ત્રાહરન હુઆ થા, આજ ભી રાજા આંધે બેઠે હૈ... મણિપુર ઔર હસ્તિનાપુર મેં કોઈ ફરક નહીં હૈ." તેમની ટીપ્પણી બાદ બીજેપીના કેટલાક સાંસદોએ લોકસભામાં વિરોધ કર્યો અને તેમની ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી.


અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી


ચૌધરીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે "અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી છે, અવિશ્વાસ પ્રસ્તાવની તાકાત આજે વડાપ્રધાનને સંસદમાં લાવી છે. "અમારામાંથી કોઈએ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચાર્યું ન હતું. અમે માત્ર માંગ કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દા પર બોલે. અમે ભાજપના કોઈ સભ્યને સંસદમાં આવવાની માંગ કરી ન હતી, અમે ફક્ત અમારા પ્રધાનમંત્રી સંસદમાં બોલે તેવી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેમણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું."



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .