Chandrayaan-3 બાદ Aditya-L1એ મોકલી આ તસવીર, Aditya-L1એ પૃથ્વી અને ચંદ્રમાને કર્યા કેમેરામાં કેદ, ISROએ શેર કરી માહિતી


  • Published By :
  • Published Date : 2023-09-07 14:16:24

સ્પેસ સાયન્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી વિશ્વમાં ભારતનું સ્તર વધારી દીધું છે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રને લઈ અનેક માહિતી આપી હતી. ત્યારે હવે સૂર્યના મિશન પર નિકળેલા આદિત્ય એલ-1એ પણ એક સુંદર તસવીર મોકલી આપી છે. આદિત્ય-એલ1 સૂરજ નજીક પહોંચે તે પહેલા ઈસરોએ આદિત્ય એલ-1ના એક કેમેરાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આદિત્ય-એલ1એ પૃથ્વી અને ચંદ્રની તસવીરો મોકલી છે અને ઈસરોએ એ તસવીરોને શેર કરી આપણા સુધી પહોંચાડયા છે. તે ઉપરાંત આદિત્ય એલ-1એ પોતાનો ફોટો પણ લીધો હતો. 

ઈસરોએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર પહોંચી અલગ અલગ તસવીરો શેર કરી હતી. વિક્રમ લેંડર અને પ્રાન રોવરએ અનેક તસવીરો મોકલાવી હતી ત્યારે હવે સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ-1એ પણ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. સૂર્યની જાણકારી પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવેલું મિશન આદિત્ય એલ-1 પણ એક્ટિવ થઈ ગયું છે. સૂરજ નજીક સૂર્યયાન પહોંચે તે પહેલા પૃથ્વી અને ચંદ્રની એક ખાસ તસવીર મોકલી છે જેને ઈસરોએ શેર કરી છે. તસવીરો શેર કરતા ઈસરોએ લખ્યું કે આદિત્ય એલ-1એ સેલ્ફી અને ચંદ્ર અને પૃથ્વીના ફોટા ક્લીક કર્યા છે.


ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મોકલી રહ્યું છે તસવીરો 

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું. લાખો કિલોમીટરની યાત્રા કરી 128 દિવસ બાદ સૂરજ નજીક સૂર્યયાન પહોંચવાનું છે. લેગ્રેજિયન પોઈન્ટ પર આ સૂર્યયાનને સ્થાપવામાં આવશે. આ પોઈન્ટને કારણે આ મિશનને આદિત્ય-એલ1 નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આદિત્ય એલ-1 લોન્ચિંગ બાદ બે વખત પૃથ્વીની કક્ષા બદલી ચૂક્યું છે. પહેલા ચંદ્રયાન-3 ફોટા શેર કરતું હતું હવે આદિત્ય એલ-1 પણ ફોટા શેર કરી રહ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.