Chandrayaan-3 બાદ Aditya-L1એ મોકલી આ તસવીર, Aditya-L1એ પૃથ્વી અને ચંદ્રમાને કર્યા કેમેરામાં કેદ, ISROએ શેર કરી માહિતી


  • Published By :
  • Published Date : 2023-09-07 14:16:24

સ્પેસ સાયન્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી વિશ્વમાં ભારતનું સ્તર વધારી દીધું છે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રને લઈ અનેક માહિતી આપી હતી. ત્યારે હવે સૂર્યના મિશન પર નિકળેલા આદિત્ય એલ-1એ પણ એક સુંદર તસવીર મોકલી આપી છે. આદિત્ય-એલ1 સૂરજ નજીક પહોંચે તે પહેલા ઈસરોએ આદિત્ય એલ-1ના એક કેમેરાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આદિત્ય-એલ1એ પૃથ્વી અને ચંદ્રની તસવીરો મોકલી છે અને ઈસરોએ એ તસવીરોને શેર કરી આપણા સુધી પહોંચાડયા છે. તે ઉપરાંત આદિત્ય એલ-1એ પોતાનો ફોટો પણ લીધો હતો. 

ઈસરોએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર પહોંચી અલગ અલગ તસવીરો શેર કરી હતી. વિક્રમ લેંડર અને પ્રાન રોવરએ અનેક તસવીરો મોકલાવી હતી ત્યારે હવે સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ-1એ પણ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. સૂર્યની જાણકારી પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવેલું મિશન આદિત્ય એલ-1 પણ એક્ટિવ થઈ ગયું છે. સૂરજ નજીક સૂર્યયાન પહોંચે તે પહેલા પૃથ્વી અને ચંદ્રની એક ખાસ તસવીર મોકલી છે જેને ઈસરોએ શેર કરી છે. તસવીરો શેર કરતા ઈસરોએ લખ્યું કે આદિત્ય એલ-1એ સેલ્ફી અને ચંદ્ર અને પૃથ્વીના ફોટા ક્લીક કર્યા છે.


ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મોકલી રહ્યું છે તસવીરો 

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું. લાખો કિલોમીટરની યાત્રા કરી 128 દિવસ બાદ સૂરજ નજીક સૂર્યયાન પહોંચવાનું છે. લેગ્રેજિયન પોઈન્ટ પર આ સૂર્યયાનને સ્થાપવામાં આવશે. આ પોઈન્ટને કારણે આ મિશનને આદિત્ય-એલ1 નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આદિત્ય એલ-1 લોન્ચિંગ બાદ બે વખત પૃથ્વીની કક્ષા બદલી ચૂક્યું છે. પહેલા ચંદ્રયાન-3 ફોટા શેર કરતું હતું હવે આદિત્ય એલ-1 પણ ફોટા શેર કરી રહ્યું છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .