Chandrayaan-3 બાદ Aditya-L1એ મોકલી આ તસવીર, Aditya-L1એ પૃથ્વી અને ચંદ્રમાને કર્યા કેમેરામાં કેદ, ISROએ શેર કરી માહિતી


  • Published By :
  • Published Date : 2023-09-07 14:16:24

સ્પેસ સાયન્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી વિશ્વમાં ભારતનું સ્તર વધારી દીધું છે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ ચંદ્રયાન-3એ ચંદ્રને લઈ અનેક માહિતી આપી હતી. ત્યારે હવે સૂર્યના મિશન પર નિકળેલા આદિત્ય એલ-1એ પણ એક સુંદર તસવીર મોકલી આપી છે. આદિત્ય-એલ1 સૂરજ નજીક પહોંચે તે પહેલા ઈસરોએ આદિત્ય એલ-1ના એક કેમેરાનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આદિત્ય-એલ1એ પૃથ્વી અને ચંદ્રની તસવીરો મોકલી છે અને ઈસરોએ એ તસવીરોને શેર કરી આપણા સુધી પહોંચાડયા છે. તે ઉપરાંત આદિત્ય એલ-1એ પોતાનો ફોટો પણ લીધો હતો. 

ઈસરોએ સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો 

ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર પહોંચી અલગ અલગ તસવીરો શેર કરી હતી. વિક્રમ લેંડર અને પ્રાન રોવરએ અનેક તસવીરો મોકલાવી હતી ત્યારે હવે સૂર્ય તરફ આગળ વધી રહેલા આદિત્ય એલ-1એ પણ તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. સૂર્યની જાણકારી પ્રાપ્ત કરવા માટે શરૂ કરવામાં આવેલું મિશન આદિત્ય એલ-1 પણ એક્ટિવ થઈ ગયું છે. સૂરજ નજીક સૂર્યયાન પહોંચે તે પહેલા પૃથ્વી અને ચંદ્રની એક ખાસ તસવીર મોકલી છે જેને ઈસરોએ શેર કરી છે. તસવીરો શેર કરતા ઈસરોએ લખ્યું કે આદિત્ય એલ-1એ સેલ્ફી અને ચંદ્ર અને પૃથ્વીના ફોટા ક્લીક કર્યા છે.


ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મોકલી રહ્યું છે તસવીરો 

મહત્વનું છે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી ભારતે સૂર્યનું અધ્યયન કરવા માટે આદિત્ય એલ-1 લોન્ચ કર્યું હતું. લાખો કિલોમીટરની યાત્રા કરી 128 દિવસ બાદ સૂરજ નજીક સૂર્યયાન પહોંચવાનું છે. લેગ્રેજિયન પોઈન્ટ પર આ સૂર્યયાનને સ્થાપવામાં આવશે. આ પોઈન્ટને કારણે આ મિશનને આદિત્ય-એલ1 નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આદિત્ય એલ-1 લોન્ચિંગ બાદ બે વખત પૃથ્વીની કક્ષા બદલી ચૂક્યું છે. પહેલા ચંદ્રયાન-3 ફોટા શેર કરતું હતું હવે આદિત્ય એલ-1 પણ ફોટા શેર કરી રહ્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે