આદિત્ય-L1: હવે 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે ISROનું સૂર્ય મિશન, તેનાથી શું લાભ થશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-28 20:21:55

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતની આગામી તૈયારી સૂરજ માટે છે. ઈસરો શનિવારે સૂર્યના અભ્યાસ માટે અવકાશયાન મોકલી રહ્યું છે. આ માટે આદિત્ય-L1 અવકાશમાં જશે. આદિત્ય-L1 સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસ છે. તેને બે અઠવાડિયા પહેલા આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઈસરોના સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવ્યું હતું. આદિત્ય L1 મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન PSLV-C57 રોકેટથી લોન્ચ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. ISRO આ વર્ષે ગગનયાન 1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. તે પછી 2024માં શુક્રયાન અને મંગલયાન મિશન મોકલવાની પણ યોજના છે.


આદિત્ય મિશન શું છે?


આદિત્ય એલ-1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય અવકાશ-આધારિત વેધશાળા (ઓબ્ઝર્વેટરી) હશે. તેનું કામ 24 કલાક સૂર્ય પર નજર રાખવાનું રહેશે. પૃથ્વી અને સૂર્યની સિસ્ટમ વચ્ચે પાંચ Lagrangian point  છે. સૂર્યયાન Lagrangian point 1 (L1)ની આસપાસ એક હેલો ઓર્બિટમાં તૈનાત રહેશે. પૃથ્વીથી L1 પોઈન્ટનું અંતર 1.5 મિલિયન કિમી છે જ્યારે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન કિમી છે. L1 પોઈન્ટ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે અહીંથી સુર્ય પર અઠવાડિયાના સાતેય દિવસ, 24 કલાક કલાક નજર રાખી શકાય છે. ગ્રહણ દરમિયાન પણ તે જોઈ શકાય છે.


આદિત્ય  L1 મોકલવાથી શું લાભ થશે?


અવકાશયાન સાત પેલોડ લઈને જશે, આ પેલોડ્સ ફોટોસ્ફેયર (પ્રકાશમંડળ), ક્રોમોસ્ફિયર (સૂર્યની દૃશ્યમાન સપાટીથી ઠીક ઉપરની સપાટી) અને સૂર્યના સૌથી બહારના સ્તર (કોરોના)નું નિરિક્ષણ કરશે. સૂર્યમાં થતી વિસ્ફોટક પ્રક્રિયાઓ પૃથ્વીની નજીકના અવકાશ વિસ્તારમાં સમસ્યા ઊભી કરી શકે છે. ઘણા ઉપગ્રહોને નુકસાન થઈ શકે છે. જો આવી પ્રક્રિયાઓની જાણ પહેલાથી જ થઈ જાય તો બચાવના આગોતરા પગલા ભરી શકાય શકાય છે. તમામ સ્પેસ મિશન ચલાવવા માટે અવકાશના હવામાનને સમજવું જરૂરી છે. આ મિશન અવકાશના હવામાનને સમજવામાં પણ મદદ કરી શકે છે. આના દ્વારા સૌર પવનોનો પણ અભ્યાસ કરી શકાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.