Mansukh Vasavaનાં કામ પર કટાક્ષ કરતા આદિવાસી ઘેરૈયાએ એક ગીત ગાયું અને Video થઈ ગયો Viral! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-28 16:58:42

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ તો એક બીજા પર કટાક્ષ કરતા દેખાય છે પરંતુ હવે તો જનતા પણ સાંસદ પર કટાક્ષ કરતી થઈ ગઈ છે...! એક વીડિયો ભરૂચથી સામે આવ્યો છે જેમાં ત્યાંના સાંસદ મનસુખ વસાવા માટે કટાક્ષ કર્યા છે. આદિવાસી બોલીમાં આદિવાસીએ ગીત ગાયું છે જેમાં મનસુખ વસાવા દ્વારા શું કામ કરવામાં આવ્યા તેની વાત કરવામાં આવી છે... મહત્વનું છે કે ચૂંટણી સમયે મતદાતાઓ સાંસદોનું રિપોર્ટ કાર્ડ બનાવતા હોય છે અને તે પ્રમાણે મતદાન કરતા હોય છે..!

આદિવાસી વિસ્તારમાં હોળીનું હોય છે મહત્વ!

ભરૂચ લોકસભા સીટ એક એવી સીટ છે જેની ચર્ચાઓ અનેક વખત કરવામાં આવતી હોય છે.ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા વચ્ચે ચાલતા શાબ્દિક પ્રહાર અનેક વખત ખુલ્લીને સામે આવ્યા છે. મનસુખ વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ ચૈતર વસાવા આપે અને જો ચૈતર વસાવા કોઈ નિવેદન આપે તો તેનો જવાબ મનસુખ વસાવા આપે...! આ વખતે આ બંનેના નિવેદન અંગે ચર્ચા નથી કરવી પરંતુ ત્યાંથી સામે આવેલા એક વીડિયોની, એક ગીતની વાત કરવી છે જે આદિવાસીએ ગાયું છે. આદિવાસી વિસ્તારમાં હોળી તહેવારનો મહિમા વધારે હોય છે. હોળી વખતે આદિવાસી લોકો ઘેરૈયા બનતા હોય છે.



મનસુખ વસાવા માટે કટાક્ષમાં આદિવાસીએ ગાયું ગીત!  

એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આદિવાસીએ આદિવાસી બોલીમાં ગીત ગાયું છે જેમાં તે સાંસદ મનસુખ વસાવા પર કટાક્ષ કરી રહ્યા છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કટાક્ષ સ્વરૂપે કહેવામાં આવ્યું છે કે, ત્રિકમ મરી ગયે 3 વર્ષ થયા રે મનસુખ.. પણ રોડ અજી સુધી બન્યો નથી.. જો ગીતનો અર્થ સમજીએ તો વિકાસની વરવી વાસ્તવિક્તાને ગીત સ્વરૂપ અહી પ્રગટ કરવામાં આવી છે. જે વીડિયો વાયરલ થયો છે તે નેત્રંગના કોલીવાડા ગામની આસપાસનો હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી સાંસદ છે અને ફરી એક વખત ભાજપ દ્વારા તેમને ટિકીટ આપવામાં આવી છે.  


શું છે ભરૂચ લોકસભાના સમીકરણો? 

ભરૂચ લોકસભાની વાત કરીએ તો, ભરૂચ લોકસભામાં કુલ 7 વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ, અને અંકલેશ્વર. ભરૂચ લોકસભામાં ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચ લોકસભા પરથી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા છે જ્યારે સામે bjpના ઉમેદવાર તરીકે મનસુખ વસાવા છે. અને છોટુ વસાવાએ પોતાનો અલગ પક્ષ બનાવ્યો છે. અને આ કારણોસર અહી ત્રિપાંખ્યું જંગ થઈ શકે છે.  ત્યારે જોવું રહ્યું આ બેઠક પર કોની જીત થાય છે?  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે