સતત ત્રીજી વખત જીતેલા 71 સાંસદોની સંપત્તી અધધધ.. 286% વધી, આ છે ટોપ 10 MP


  • Published By :
  • Published Date : 2023-02-06 18:28:09

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, અને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીને તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ખાસ્સી ચર્ચા જગાવી છે. ADR રિપોર્ટ મુજબ 2009થી 2019 દરમિયાન લોકસભામાં ચૂંટાયેલા 71 સાંસદોની સરેરાશ આવકમાં 286 ટકાની વૃ્ધ્ધી જોવા મળી છે. તેમાં પ્રત્યેક સાંસદની સંપત્તીમાં સરેરાશ 17.59 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


આ પાર્ટીઓના સાંસદોની સંપત્તી વધી


જે પાર્ટીઓના સાંસદોની સંપત્તિ સૌથી વધુ વધી છે. તેમાં ભાજપના 6 એનસીપી, શિરોમણી અકાલી દળ, બીજેપી, બીજુ જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ અને AIUDFના એક-એક સાંસદ ટોપ-10માં આવે છે. 


આ છે ટોપ 10 માલામાલ સાંસદો


જે સાંસદોની સંપત્તી સૌથી વધુ વધી છે તેમાં શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલની સંપત્તીમાં સૌથી વધુ 157.68 કરોડ રૂપિયાની વૃધ્ધી થઈ છે. વર્ષ 2009માં બાદલની સંપત્તી 60.31 કરોડ રૂપિયા હતી જે 2019માં 217.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 


આ યાદીમાં બીજુ નામ શરદ પવારની પુત્રી અને બારામતીથી NCP સાંસદ સુપ્રિયા સુલેનું આવે છે. સુલેની સંપત્તિ 2009માં રૂ. 51.53 કરોડથી વધીને 2019માં રૂ. 140.88 કરોડ થઈ હતી. દસ વર્ષમાં તેની સંપત્તિમાં 89.35


પુરી સીટના બીજેડી સાંસદ પિનાકી મિશ્રા સંપત્તિ વધારાના મામલામાં ત્રીજા ક્રમે આવે છે. મિશ્રાની સંપત્તિમાં દસ વર્ષમાં 87.78 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2009માં તેમની સંપત્તિ 29.69 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 117.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સાંસદોમાં પીસી મોહનની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 2009માં કર્ણાટક બેંગ્લોરના સાંસદ મોહનની સંપત્તિ પાંચ કરોડ હતી, જે 2019માં વધીને 75 કરોડ થઈ ગઈ છે.


ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધીનું નામ પણ ટોપ ટેનમાં છે. વરુણની સંપત્તિ 2009માં 4.92 કરોડ હતી, જે 2019માં વધીને 60.32 કરોડ થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 1124 ટકાનો વધારો થયો છે.


આ કડીમાં બીજુ મુખ્ય નામ સુલતાનપુરથી બીજેપી સાંસદ મેનકા ગાંધીનું છે. 2009માં મેનકાની સંપત્તિ 17 કરોડ હતી, જે 2019માં વધીને 55 કરોડ થઈ ગઈ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.