સતત ત્રીજી વખત જીતેલા 71 સાંસદોની સંપત્તી અધધધ.. 286% વધી, આ છે ટોપ 10 MP


  • Published By :
  • Published Date : 2023-02-06 18:28:09

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, અને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીને તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ખાસ્સી ચર્ચા જગાવી છે. ADR રિપોર્ટ મુજબ 2009થી 2019 દરમિયાન લોકસભામાં ચૂંટાયેલા 71 સાંસદોની સરેરાશ આવકમાં 286 ટકાની વૃ્ધ્ધી જોવા મળી છે. તેમાં પ્રત્યેક સાંસદની સંપત્તીમાં સરેરાશ 17.59 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


આ પાર્ટીઓના સાંસદોની સંપત્તી વધી


જે પાર્ટીઓના સાંસદોની સંપત્તિ સૌથી વધુ વધી છે. તેમાં ભાજપના 6 એનસીપી, શિરોમણી અકાલી દળ, બીજેપી, બીજુ જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ અને AIUDFના એક-એક સાંસદ ટોપ-10માં આવે છે. 


આ છે ટોપ 10 માલામાલ સાંસદો


જે સાંસદોની સંપત્તી સૌથી વધુ વધી છે તેમાં શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલની સંપત્તીમાં સૌથી વધુ 157.68 કરોડ રૂપિયાની વૃધ્ધી થઈ છે. વર્ષ 2009માં બાદલની સંપત્તી 60.31 કરોડ રૂપિયા હતી જે 2019માં 217.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 


આ યાદીમાં બીજુ નામ શરદ પવારની પુત્રી અને બારામતીથી NCP સાંસદ સુપ્રિયા સુલેનું આવે છે. સુલેની સંપત્તિ 2009માં રૂ. 51.53 કરોડથી વધીને 2019માં રૂ. 140.88 કરોડ થઈ હતી. દસ વર્ષમાં તેની સંપત્તિમાં 89.35


પુરી સીટના બીજેડી સાંસદ પિનાકી મિશ્રા સંપત્તિ વધારાના મામલામાં ત્રીજા ક્રમે આવે છે. મિશ્રાની સંપત્તિમાં દસ વર્ષમાં 87.78 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2009માં તેમની સંપત્તિ 29.69 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 117.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સાંસદોમાં પીસી મોહનની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 2009માં કર્ણાટક બેંગ્લોરના સાંસદ મોહનની સંપત્તિ પાંચ કરોડ હતી, જે 2019માં વધીને 75 કરોડ થઈ ગઈ છે.


ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધીનું નામ પણ ટોપ ટેનમાં છે. વરુણની સંપત્તિ 2009માં 4.92 કરોડ હતી, જે 2019માં વધીને 60.32 કરોડ થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 1124 ટકાનો વધારો થયો છે.


આ કડીમાં બીજુ મુખ્ય નામ સુલતાનપુરથી બીજેપી સાંસદ મેનકા ગાંધીનું છે. 2009માં મેનકાની સંપત્તિ 17 કરોડ હતી, જે 2019માં વધીને 55 કરોડ થઈ ગઈ.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.