સતત ત્રીજી વખત જીતેલા 71 સાંસદોની સંપત્તી અધધધ.. 286% વધી, આ છે ટોપ 10 MP


  • Published By :
  • Published Date : 2023-02-06 18:28:09

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, અને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીને તૈયારીમાં લાગી ગયા છે. આ દરમિયાન એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ખાસ્સી ચર્ચા જગાવી છે. ADR રિપોર્ટ મુજબ 2009થી 2019 દરમિયાન લોકસભામાં ચૂંટાયેલા 71 સાંસદોની સરેરાશ આવકમાં 286 ટકાની વૃ્ધ્ધી જોવા મળી છે. તેમાં પ્રત્યેક સાંસદની સંપત્તીમાં સરેરાશ 17.59 કરોડ રૂપિયાનો વધારો થયો છે.


આ પાર્ટીઓના સાંસદોની સંપત્તી વધી


જે પાર્ટીઓના સાંસદોની સંપત્તિ સૌથી વધુ વધી છે. તેમાં ભાજપના 6 એનસીપી, શિરોમણી અકાલી દળ, બીજેપી, બીજુ જનતા દળ, તૃણમૂલ કોંગ્રેસ અને AIUDFના એક-એક સાંસદ ટોપ-10માં આવે છે. 


આ છે ટોપ 10 માલામાલ સાંસદો


જે સાંસદોની સંપત્તી સૌથી વધુ વધી છે તેમાં શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલની સંપત્તીમાં સૌથી વધુ 157.68 કરોડ રૂપિયાની વૃધ્ધી થઈ છે. વર્ષ 2009માં બાદલની સંપત્તી 60.31 કરોડ રૂપિયા હતી જે 2019માં 217.99 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 


આ યાદીમાં બીજુ નામ શરદ પવારની પુત્રી અને બારામતીથી NCP સાંસદ સુપ્રિયા સુલેનું આવે છે. સુલેની સંપત્તિ 2009માં રૂ. 51.53 કરોડથી વધીને 2019માં રૂ. 140.88 કરોડ થઈ હતી. દસ વર્ષમાં તેની સંપત્તિમાં 89.35


પુરી સીટના બીજેડી સાંસદ પિનાકી મિશ્રા સંપત્તિ વધારાના મામલામાં ત્રીજા ક્રમે આવે છે. મિશ્રાની સંપત્તિમાં દસ વર્ષમાં 87.78 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2009માં તેમની સંપત્તિ 29.69 કરોડ રૂપિયા હતી, જે 2019માં વધીને 117.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના સાંસદોમાં પીસી મોહનની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. 2009માં કર્ણાટક બેંગ્લોરના સાંસદ મોહનની સંપત્તિ પાંચ કરોડ હતી, જે 2019માં વધીને 75 કરોડ થઈ ગઈ છે.


ઉત્તર પ્રદેશની લોકસભા સીટ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધીનું નામ પણ ટોપ ટેનમાં છે. વરુણની સંપત્તિ 2009માં 4.92 કરોડ હતી, જે 2019માં વધીને 60.32 કરોડ થઈ ગઈ છે. તેમની સંપત્તિમાં 1124 ટકાનો વધારો થયો છે.


આ કડીમાં બીજુ મુખ્ય નામ સુલતાનપુરથી બીજેપી સાંસદ મેનકા ગાંધીનું છે. 2009માં મેનકાની સંપત્તિ 17 કરોડ હતી, જે 2019માં વધીને 55 કરોડ થઈ ગઈ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.