ભાજપને પાંચ વર્ષમાં ગુજરાતના કોર્પોરેટે રૂ. 163.54 કરોડનું ફંડ આપ્યું, કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ


  • Published By :
  • Published Date : 2022-11-27 19:19:04

ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2017થી 2021ની વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ દાનનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. આ ફંડ કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ હતું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


ADR રિપોર્ટ મુજબ, ચાર રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ, AAP અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતમાંથી 1,571 દાતાઓ પાસેથી રૂ. 174.06 કરોડનું કોર્પોરેટ દાન મેળવ્યું હતું.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપે કોર્પોરેટ પાસેથી સૌથી વધુ ફંડ પ્રાપ્ત કર્યું હતું, ભાજપે 1,519 દાતાઓ પાસેથી રૂ. 163.54 કરોડ મળ્યું હતું, તેમ ADR રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન માત્ર 10.46 કરોડ મળ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઉતરેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ રૂ. 3.2 લાખ મળ્યા છે, આમ આદમી પાર્ટીને 2017-2020 વચ્ચે કોઈ દાન મળ્યું નથી.


પાંચ વર્ષમાં 4.34 ટકા કોર્પોરેટ ફંડ ગુજરાતમાંથી


રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 4,014.58 કરોડના કોર્પોરેટ દાનમાંથી 4.34 ટકા એટલે કે રૂ. 174.06 કરોડ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળ્યા હતા.


રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ જાહેર કરી ફંડની વિગત


એકંદરે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કુલ  રૂ. 12,745.61 દાન જાહેર કર્યું. આ કુલ દાનમાંથી રૂ. 10,471.04 કરોડ 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .