ભાજપને પાંચ વર્ષમાં ગુજરાતના કોર્પોરેટે રૂ. 163.54 કરોડનું ફંડ આપ્યું, કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ


  • Published By :
  • Published Date : 2022-11-27 19:19:04

ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2017થી 2021ની વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ દાનનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. આ ફંડ કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ હતું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


ADR રિપોર્ટ મુજબ, ચાર રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ, AAP અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતમાંથી 1,571 દાતાઓ પાસેથી રૂ. 174.06 કરોડનું કોર્પોરેટ દાન મેળવ્યું હતું.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપે કોર્પોરેટ પાસેથી સૌથી વધુ ફંડ પ્રાપ્ત કર્યું હતું, ભાજપે 1,519 દાતાઓ પાસેથી રૂ. 163.54 કરોડ મળ્યું હતું, તેમ ADR રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન માત્ર 10.46 કરોડ મળ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઉતરેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ રૂ. 3.2 લાખ મળ્યા છે, આમ આદમી પાર્ટીને 2017-2020 વચ્ચે કોઈ દાન મળ્યું નથી.


પાંચ વર્ષમાં 4.34 ટકા કોર્પોરેટ ફંડ ગુજરાતમાંથી


રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 4,014.58 કરોડના કોર્પોરેટ દાનમાંથી 4.34 ટકા એટલે કે રૂ. 174.06 કરોડ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળ્યા હતા.


રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ જાહેર કરી ફંડની વિગત


એકંદરે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કુલ  રૂ. 12,745.61 દાન જાહેર કર્યું. આ કુલ દાનમાંથી રૂ. 10,471.04 કરોડ 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવી હતી.



અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.