ભાજપને પાંચ વર્ષમાં ગુજરાતના કોર્પોરેટે રૂ. 163.54 કરોડનું ફંડ આપ્યું, કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ


  • Published By :
  • Published Date : 2022-11-27 19:19:04

ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ષ 2017થી 2021ની વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ દાનનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત કર્યો હતો. આ ફંડ કોંગ્રેસ કરતાં 16 ગણું વધુ હતું, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રવિવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


ADR રિપોર્ટ મુજબ, ચાર રાજકીય પક્ષો - ભાજપ, કોંગ્રેસ, AAP અને સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)એ નાણાકીય વર્ષ 2016-17 અને 2020-21 વચ્ચે ગુજરાતમાંથી 1,571 દાતાઓ પાસેથી રૂ. 174.06 કરોડનું કોર્પોરેટ દાન મેળવ્યું હતું.

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, ભાજપે કોર્પોરેટ પાસેથી સૌથી વધુ ફંડ પ્રાપ્ત કર્યું હતું, ભાજપે 1,519 દાતાઓ પાસેથી રૂ. 163.54 કરોડ મળ્યું હતું, તેમ ADR રિપોર્ટમાં જણાવાયું છે. બીજી તરફ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન માત્ર 10.46 કરોડ મળ્યા છે. ગુજરાત ચૂંટણીમાં ઉતરેલી નવી પાર્ટી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ રૂ. 3.2 લાખ મળ્યા છે, આમ આદમી પાર્ટીને 2017-2020 વચ્ચે કોઈ દાન મળ્યું નથી.


પાંચ વર્ષમાં 4.34 ટકા કોર્પોરેટ ફંડ ગુજરાતમાંથી


રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવેલા ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાંચ વર્ષના સમયગાળામાં કુલ રૂ. 4,014.58 કરોડના કોર્પોરેટ દાનમાંથી 4.34 ટકા એટલે કે રૂ. 174.06 કરોડ રાજકીય પક્ષોને ગુજરાતમાંથી મળ્યા હતા.


રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ જાહેર કરી ફંડની વિગત


એકંદરે, રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોએ તેમના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં કુલ  રૂ. 12,745.61 દાન જાહેર કર્યું. આ કુલ દાનમાંથી રૂ. 10,471.04 કરોડ 8 રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે બાકીની રકમ પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરવામાં આવી હતી.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.