ADR Report : નફરત ફેલાવતાં ભાષણો કરનાર આટલા ધારાસભ્યો- સાંસદો સામે છે કેસ, સૌથી વધારે સાંસદો BJPના.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-04 11:51:16

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. થોડા સમય બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો ત્યારે લોકસભા ચૂંટણીને લઈને પણ પ્રચાર નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બધા વચ્ચે એડીઆરનો રિપોર્ટ સામે આવ્યો છે. એ રિપોર્ટમાં નફરત ફેલાવતા ભાષણો કરનાર કેટલા સાંસદો તેમજ ધારાસભ્યો છે તેનો આંકડો આપ્યો છે. નફરત ફેલાવતા ભાષણો કરનાર 107 સાંસદો તેમજ ધારાસભ્યો સામે કેસ કરાયા છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આવા કેસ ધરાવતા 480 ઉમેદવારો ચૂંટણી લડી હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો છે. 


દેશના આટલા સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ કેસ છે દાખલ 

સાંસદો તેમજ ધારાસભ્યોને લઈ એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે એ રિપોર્ટ બહાર પાડ્યો છે. એ રિપોર્ટમાં કેટલા સાસંદો તેમજ ધારાસભ્યો વિરૂદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયેલા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવા પણ અનેક ધારાસભ્યો તેમજ સાંસદો છે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી પણ લડી છે. આંકડાની વાત કરીએ તો દેશના કુલ 107 સાંસદો અને ધારાસભ્યો છે જેમના વિરૂદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયેલા છે. 480 નેતાઓએ છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટણી પણ લડી છે.  આ વિશ્લેષણ ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન આપેલી એફિડેવિટ પરથી કરવામાં આવ્યું છે. 


આ રાજ્યોના સાંસદો વિરૂદ્ધ નોંધાઈ છે ફરિયાદ 

ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ એવા ભાષણ, એવા નિવેદનો આપતા હોય છે જે ચર્ચાનો વિષય બનતો હોય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તો આવા નિવેદનો અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે ધારાસભ્યો અને સાંસદોને લઈ એડીઆરે રિપોર્ટ બહાર પાડ્યો છે. એડીઆરના વિશ્લેષણ અનુસાર, 33 સાંસદોએ પોતાની વિરુદ્ધ હેટ સ્પીચ સંબંધિત કેસ જાહેર કર્યા છે. જેમાંથી ઉત્તર પ્રદેશના 7 અને તમિલનાડુના 4 સાંસદ સામે હેટ સ્પીચના કેસ નોંધાયો છે. તેવી જ રીતે બિહાર, કર્ણાટક અને તેલંગાણાના 3-3 સાંસદ, અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના 2-2 સાંસદ સામે હેટ સ્પીચના કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો ઝારખંડ, મધ્યપ્રદેશ, કેરળ, ઓડિશા અને પંજાબના 1-1 સાંસદ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.


પાર્ટી પ્રમાણે આ રહ્યો ડેટા 

પાર્ટી પ્રમાણે સાંસદો તેમજ ધારાસભ્યોની વાત કરીએ તો ભાજપના સૌથી વધારે સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ હેટ સ્પીચનો કેસ દાખલ છે. હેટ સ્પીચના સૌથી વધુ કેસ ભાજપના નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. હેટ સ્પીચને લઈ શાસકપક્ષ ભાજપના 22 સાંસદો છે. તો કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટી (આપ), AIMIM, AIUDF, ડીએમક, AIADMK, PMK, શિવસેના (UBT) અને VCKના એક-એક નેતા હીટ સ્પીચના કેસનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત એક અપક્ષ સાંસદ વિરૂદ્ધ નફરતભર્યા ભાષણનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.


ધારાસભ્યોની વાત કરીએ તો...  

74 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ નફરતભર્યા ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે. 74 પૈકી 20 MLA ભાજપના છે જ્યારે 13 કોંગ્રેસના છે જ્યારે 6 આમ આદમી પાર્ટીના છે, પાંચ એસપી તેમજ YSRCPનાં, 4 ડીએમકે તેમજ આરજેડીના છે. તેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના 9-9 ધારાસભ્યો, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના 6-6 ધારાસભ્યો વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે. તો આસામ અને તમિલનાડુના 5-5, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળના 4-4, ઝારખંડ અને ઉત્તરાખંડના 3-3 ધારાસભ્યો સામે ભડકાઉ ભાષણ આપવા સંબંધિત કેસ નોંધવામાં આવ્યા છે. તેવી જ રીતે કર્ણાટક, પંજાબ, રાજસ્થાન અને ત્રિપુરાના 2-2 ધારાસભ્યો અને જ્યારે મધ્ય પ્રદેશ અને ઓડિશાના એક-એક ધારાસભ્ય વિરુદ્ધ હેટ સ્પીચના કેસ નોંધાયા છે.


ગુજરાતના આ નેતાઓએ આપ્યું છે ભડકાઉ ભાષણ 

ગુજરાતના સાંસદો તેમજ ધારાસભ્યોની વાત કરીએ તો બે સાંસદો તેમજ 4 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કુલ 6 નેતાઓ વિરૂદ્ધ હેટ સ્પીચનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. હેટ સ્પીચ કેસનો સામનો કરનાર ગુજરાતના સાંસદમાં અમિત શાહ અને મિતેશ પટેલનો સમાવેશ થાય છે અને તે બંને ભાજપના નેતા છે. તો આપ પાર્ટીના નેતા ચૈતર વસાવા, ભાજપના હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.