‘રહસ્યમય ન્યુમોનિયા’ને લઈ તંત્રની આગોતરી તૈયારી, અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ અનામત


  • Published By :
  • Published Date : 2023-11-29 21:24:48

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. આ  ન્યુમોનિયાની બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુને એડવાઈઝરી જાહેર કરીને એલર્ટ કર્યાં છે. આથી જ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.


સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અનામત


રાજ્ય સરકારે પણ એક પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોમાં શ્વાસ સબંધી રોગ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં, તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર, PPE કિટ અને એન્ટી વાયરલ જવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જરૂર જણાશે, તો આઈસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવશે.વધુમાં ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ રોગ ભારતમાં આવે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં બાળકોના ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ચીનમાં હાહાકાર મચાવી રહેલી આ શ્વાસ સબંધિત બીમારીનું કારણ H9N2ને માનવામાં આવી રહ્યું છે, જે પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો વાયરસ છે. આ ભેદી બીમારીની સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. તાવ સાથે ફેફસા ફુલાવી દેનારી આ બીમારીના કારણે દરરોજ 7 હજાર બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બે ટેન્ક કાર્યરત


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણપણે કાર્યરત છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.