‘રહસ્યમય ન્યુમોનિયા’ને લઈ તંત્રની આગોતરી તૈયારી, અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ અનામત


  • Published By :
  • Published Date : 2023-11-29 21:24:48

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. આ  ન્યુમોનિયાની બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુને એડવાઈઝરી જાહેર કરીને એલર્ટ કર્યાં છે. આથી જ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.


સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અનામત


રાજ્ય સરકારે પણ એક પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોમાં શ્વાસ સબંધી રોગ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં, તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર, PPE કિટ અને એન્ટી વાયરલ જવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જરૂર જણાશે, તો આઈસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવશે.વધુમાં ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ રોગ ભારતમાં આવે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં બાળકોના ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ચીનમાં હાહાકાર મચાવી રહેલી આ શ્વાસ સબંધિત બીમારીનું કારણ H9N2ને માનવામાં આવી રહ્યું છે, જે પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો વાયરસ છે. આ ભેદી બીમારીની સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. તાવ સાથે ફેફસા ફુલાવી દેનારી આ બીમારીના કારણે દરરોજ 7 હજાર બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બે ટેન્ક કાર્યરત


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણપણે કાર્યરત છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.