‘રહસ્યમય ન્યુમોનિયા’ને લઈ તંત્રની આગોતરી તૈયારી, અમદાવાદ સિવિલમાં બાળકો માટે 300 બેડ અનામત


  • Published By :
  • Published Date : 2023-11-29 21:24:48

ચીનમાં કોરોના બાદ ફેલાઈ રહેલા ‘રહસ્યમય ન્યુમોનિયા’એ ફરી એક વખત ચિંતા વધારી છે. આ  ન્યુમોનિયાની બીમારીનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુને એડવાઈઝરી જાહેર કરીને એલર્ટ કર્યાં છે. આથી જ એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.


સિવિલ હોસ્પિટલમાં 300 બેડ અનામત


રાજ્ય સરકારે પણ એક પરિપત્ર હેઠળ રાજ્યની તમામ જાહેર હોસ્પિટલોને સજ્જ રહેવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યની હોસ્પિટલો અને ખાસ કરીને અમદાવાદમાં આવેલી એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર કોવિડ સમકક્ષ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ બનાવવામાં આવ્યા છે. જ્યારે બાળકોમાં શ્વાસ સબંધી રોગ પર નજર રાખવામાં આવી રહી છે. આટલું જ નહીં, તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર, PPE કિટ અને એન્ટી વાયરલ જવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે જરૂર જણાશે, તો આઈસોલેશન વોર્ડ પણ ઉભો કરી દેવામાં આવશે.વધુમાં ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ રોગ ભારતમાં આવે તેવી શક્યતા ઓછી છે. આમ છતાં બાળકોના ફેફસામાં બળતરા, તાવ, ઉધરસ અને શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.ચીનમાં હાહાકાર મચાવી રહેલી આ શ્વાસ સબંધિત બીમારીનું કારણ H9N2ને માનવામાં આવી રહ્યું છે, જે પક્ષીઓ દ્વારા માણસમાં ફેલાતો વાયરસ છે. આ ભેદી બીમારીની સૌથી વધુ અસર બાળકો પર થઈ રહી છે. તાવ સાથે ફેફસા ફુલાવી દેનારી આ બીમારીના કારણે દરરોજ 7 હજાર બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે.


સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની બે ટેન્ક કાર્યરત


અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના સુપ્રીડેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કોવિડની પિક દરમિયાન ઓક્સિજનની બે ટેન્ક લગાવવામાં આવી હતી. ચીનમાં આવેલા ભેદી રોગબાદ આ બંને ટેન્કની હાલની કાર્યક્ષમતા ચકાસવા હોસ્પિટલ તંત્ર દ્વારા ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કર્યા બાદ બે દિવસ અગાઉ બંને ટેન્ક કાર્યરત છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક સંપૂર્ણપણે કાર્યરત છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.