Advocate Mehul Bogharaએ પોલીસને કરાવ્યું કાયદાનું ભાન! જાણો પોલીસકર્મીએ કયા કાયદાનો કર્યો હતો ભંગ?


  • Published By :
  • Published Date : 2023-08-18 17:24:40

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે નિયમોનું પાલન નથી કરતા તો વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જે કાયદા છે તેનું પાલન દરેક વાહનચાલકોએ કરવાનું હોય છે, એ પછી  સામાન્ય નાગરિક હોય કે પછી પોલીસ હોય. નિયમ દરેક માટે સરખો હોય છે. એડવોકેટ મેહુલ બોઘરા હમેશા લોકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું ભાન કરાવતા હોય છે ત્યારે ફરી એક વીડિયો વાયરલ થયો જેમાં મેહુલ બોઘરા એક પોલીસ કર્મચારીને કાયદાનો બોધ કરાવી રહ્યા છે. અનેક વખત તેમના વીડિયો સામે આવતા રહે છે.  

ગાડીમાં લગાવાઈ હતી બ્લેક ફિલ્મ  

આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં લોકો કાયદાનો ભંગ કરતા દેખાતા હોય છે. વાહનચાલકો કાયદાનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરતા હોય છે. નિયમો તોડનાર લોકોમાં અનેક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિયમો દરેક માટે સરખા હોય,એ પછી પોલીસ કર્મી હોય કે પછી સામાન્ય નાગરિક. મેહુલ બોઘરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવી રહ્યા છે. પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવામાં આવી હતી. 


પોલીસની પાસે ન હતા ડોક્યુમેન્ટ 

વિગતવાર વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ મેહુલ બોઘરા ડીંડોલી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ચલાવતો હતો. જેને લઈ મેહુલ બોઘરા ગાડીમાંથી ઉતર્યા અને તેની પૂછપરછ કરી, વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. પછી પોલીસને બોલાવીને મેમો પાઠવવા કહ્યું. ગાડી આગળ પોલીસ લખેલું હતું, ઉપરાંત ગાડીની puc, rcbook કાંઈ જ હતું નહીં. અડધો કલાક સુધી આ રકજક ચાલી અને છેલ્લે  ડીંડોલી સર્કલ પીઆઇ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ કર્મીને કાયદાનો ભંગ કરવા બદલ 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તેમનું નામ છે  વિનોદભાઈ.  


કાયદાથી મોટું કોઈ નથી!

આ ઘટનાઓ એ સાબિત કરે છે કે કાયદો બધા માટે સમાન છે સામાન્ય નાગરિક હોય કોઈ અધિકારી હોય કે નેતા બધાએ કાયદાનું પાલન કરવું જ પડશે.પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.