Advocate Mehul Bogharaએ પોલીસને કરાવ્યું કાયદાનું ભાન! જાણો પોલીસકર્મીએ કયા કાયદાનો કર્યો હતો ભંગ?


  • Published By :
  • Published Date : 2023-08-18 17:24:40

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે નિયમોનું પાલન નથી કરતા તો વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જે કાયદા છે તેનું પાલન દરેક વાહનચાલકોએ કરવાનું હોય છે, એ પછી  સામાન્ય નાગરિક હોય કે પછી પોલીસ હોય. નિયમ દરેક માટે સરખો હોય છે. એડવોકેટ મેહુલ બોઘરા હમેશા લોકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું ભાન કરાવતા હોય છે ત્યારે ફરી એક વીડિયો વાયરલ થયો જેમાં મેહુલ બોઘરા એક પોલીસ કર્મચારીને કાયદાનો બોધ કરાવી રહ્યા છે. અનેક વખત તેમના વીડિયો સામે આવતા રહે છે.  

ગાડીમાં લગાવાઈ હતી બ્લેક ફિલ્મ  

આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં લોકો કાયદાનો ભંગ કરતા દેખાતા હોય છે. વાહનચાલકો કાયદાનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરતા હોય છે. નિયમો તોડનાર લોકોમાં અનેક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિયમો દરેક માટે સરખા હોય,એ પછી પોલીસ કર્મી હોય કે પછી સામાન્ય નાગરિક. મેહુલ બોઘરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવી રહ્યા છે. પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવામાં આવી હતી. 


પોલીસની પાસે ન હતા ડોક્યુમેન્ટ 

વિગતવાર વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ મેહુલ બોઘરા ડીંડોલી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ચલાવતો હતો. જેને લઈ મેહુલ બોઘરા ગાડીમાંથી ઉતર્યા અને તેની પૂછપરછ કરી, વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. પછી પોલીસને બોલાવીને મેમો પાઠવવા કહ્યું. ગાડી આગળ પોલીસ લખેલું હતું, ઉપરાંત ગાડીની puc, rcbook કાંઈ જ હતું નહીં. અડધો કલાક સુધી આ રકજક ચાલી અને છેલ્લે  ડીંડોલી સર્કલ પીઆઇ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ કર્મીને કાયદાનો ભંગ કરવા બદલ 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તેમનું નામ છે  વિનોદભાઈ.  


કાયદાથી મોટું કોઈ નથી!

આ ઘટનાઓ એ સાબિત કરે છે કે કાયદો બધા માટે સમાન છે સામાન્ય નાગરિક હોય કોઈ અધિકારી હોય કે નેતા બધાએ કાયદાનું પાલન કરવું જ પડશે.પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.