Advocate Mehul Bogharaએ પોલીસને કરાવ્યું કાયદાનું ભાન! જાણો પોલીસકર્મીએ કયા કાયદાનો કર્યો હતો ભંગ?


  • Published By :
  • Published Date : 2023-08-18 17:24:40

વાહન ચલાવતી વખતે અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો તમે નિયમોનું પાલન નથી કરતા તો વાહન ચાલક વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. જે કાયદા છે તેનું પાલન દરેક વાહનચાલકોએ કરવાનું હોય છે, એ પછી  સામાન્ય નાગરિક હોય કે પછી પોલીસ હોય. નિયમ દરેક માટે સરખો હોય છે. એડવોકેટ મેહુલ બોઘરા હમેશા લોકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું ભાન કરાવતા હોય છે ત્યારે ફરી એક વીડિયો વાયરલ થયો જેમાં મેહુલ બોઘરા એક પોલીસ કર્મચારીને કાયદાનો બોધ કરાવી રહ્યા છે. અનેક વખત તેમના વીડિયો સામે આવતા રહે છે.  

ગાડીમાં લગાવાઈ હતી બ્લેક ફિલ્મ  

આપણી સામે એવા અનેક કિસ્સાઓ હોય છે જેમાં લોકો કાયદાનો ભંગ કરતા દેખાતા હોય છે. વાહનચાલકો કાયદાનું ઉલ્લંઘન ખુલ્લેઆમ કરતા હોય છે. નિયમો તોડનાર લોકોમાં અનેક પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. નિયમો દરેક માટે સરખા હોય,એ પછી પોલીસ કર્મી હોય કે પછી સામાન્ય નાગરિક. મેહુલ બોઘરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોલીસકર્મીને કાયદાનું ભાન કરાવી રહ્યા છે. પોલીસકર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવામાં આવી હતી. 


પોલીસની પાસે ન હતા ડોક્યુમેન્ટ 

વિગતવાર વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ મેહુલ બોઘરા ડીંડોલી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ચલાવતો હતો. જેને લઈ મેહુલ બોઘરા ગાડીમાંથી ઉતર્યા અને તેની પૂછપરછ કરી, વાતચીત દરમિયાન ખ્યાલ આવ્યો કે ગાડી ચલાવનાર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. પછી પોલીસને બોલાવીને મેમો પાઠવવા કહ્યું. ગાડી આગળ પોલીસ લખેલું હતું, ઉપરાંત ગાડીની puc, rcbook કાંઈ જ હતું નહીં. અડધો કલાક સુધી આ રકજક ચાલી અને છેલ્લે  ડીંડોલી સર્કલ પીઆઇ ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ કર્મીને કાયદાનો ભંગ કરવા બદલ 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તેમનું નામ છે  વિનોદભાઈ.  


કાયદાથી મોટું કોઈ નથી!

આ ઘટનાઓ એ સાબિત કરે છે કે કાયદો બધા માટે સમાન છે સામાન્ય નાગરિક હોય કોઈ અધિકારી હોય કે નેતા બધાએ કાયદાનું પાલન કરવું જ પડશે.પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.