સત્તા સામે બોલવામાં ડર લાગે છે? સાંભળો જનતા તેમજ સિસ્ટમને લઈ શું કહ્યું Dr. Kanu Kalsariyaએ? લોકોમાં છે જાગૃતિનો અભાવ!


  • Published By :
  • Published Date : 2024-06-01 12:59:12

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમે અનેક વખત કહીએ છીએ કે ક્યાંય ખોટું થતું હોય તો બોલજો.. અસત્ય સામે બોલજો.. પરંતુ આપણે ઘણી વાર એવું માનીને ચૂપ થઈ જઈએ છીએ કે બીજાની પર વિતી છે એટલે આપણને ફરક નથી પડતો.. પરંતુ આપણે તે વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેવી દુર્ઘટના બીજા સાથે સર્જાઈ છે તે આપણી સાથે પણ સર્જાઈ શકે છે.. લોકો બોલતા ડરી રહ્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ પણ બોલતા ડરે છે.. ત્યારે જમાવટની ટીમે પૂર્વ ધારાસભ્ય ડો. કનુ ભાઈ કલસારિયા સાથે વાત કરી હતી.. 

લોકોએ નિડર બનવું પડશે..!

ડો. કનુ કલસારિયાએ પોતાના સમયમાં એટલે જ્યારે તે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે ખોટા વિરૂદ્ધ.. લોકો શા માટે નથી બોલતા તેની પાછળનું તેમણે કારણ આપ્યું કે આજકાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.. લોકો બોલતા પહેલા સો વખત વિચાર કરે છે.. લોકો એટલા બધા ડરેલા છે કે લોકોને બીજાની પડી પણ નથી.. લોકોએ પોત પોતાના કાર્યથી કામ રાખવું તેવી વાત તેમણે કરી હતી.. તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ નિડર બનવું પડે... જો તે લોકો નિડર બને તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય..   


લોકોમાં જાગૃતિનો અભાવ છે...! 

અધ્યાત્મ ક્ષેત્રના ગુરૂઓએ પણ એ જ સલાહ આપી છે કે ડરો નહીં.. જે આફત આવી છે તેનો સામનો કરો.. નિડર બનીને તેનો સામનો કરો... સત્યને ઉજાગર કરો.. જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકો હિંમત રાખી બહાર આવ્યા અને એક્શન લેવાવાની શરૂઆત થઈ છે... આવું થાય અને તે બાદ કાર્યવાહી થાય તો તે તો પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે...  સંવેદનશીલતા ઘટે છે, અવેરનેસ ઘટે છે તેવી વાત કરવાનો તેમનો હેતું હતો..  જાગૃતિનો માહોલ બનાવવો પડે.. 


ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ કાર્યવાહી નથી કરી શકતા! 

ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી.. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોય તો આ અંગેની જાગૃતિ પણ હોય જ.. જે લોકોને ધ્યાન રાખવાનું હોય, જે લોકોને જવાબદારીનો ખ્યાલ રાખવાનો તે નથી રાખતા ભ્રષ્ટાચારને કારણે.. પોત પોતાની ફરજ તે લોકો બજાવે પણ ભ્રષ્ટાચારને કારણે તે સૌ લોકો ક્યાંકને ક્યાંક અટવાયેલા રહે છે અને તે મૂળ ફરજ અદા કરી શકતા નથી તેવું તેમણે કહ્યું હતું.. ધારાસભ્ય પદ પર તે જ્યારે હતા ત્યારે તેમણે પોતાની સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ તે શું વિચારતા હતા તેની વાત તેમણે કરી હતી. 



આપણે અત્યારે નહીં બોલીએ તો એક સમય એવો હશે જ્યારે.. 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બોલવાથી કાંઈ ફરક પડતો નથી.. સામાન્ય માણસનો અવાજ કોઈ સાંભળતું નથી.. ઉલ્લેખનિય છે કે સામાન્ય માણસના અવાજને અનેક વખત દબાવવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ.. આજે નહીં તો કાલે બોલવાનો ફરક દેખાશે.. આપણે હમણાં અવાજ નહીં ઉઠાવીએ તો આપણા માટે કોઈ નહીં બોલે..   




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.