સત્તા સામે બોલવામાં ડર લાગે છે? સાંભળો જનતા તેમજ સિસ્ટમને લઈ શું કહ્યું Dr. Kanu Kalsariyaએ? લોકોમાં છે જાગૃતિનો અભાવ!


  • Published By :
  • Published Date : 2024-06-01 12:59:12

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમે અનેક વખત કહીએ છીએ કે ક્યાંય ખોટું થતું હોય તો બોલજો.. અસત્ય સામે બોલજો.. પરંતુ આપણે ઘણી વાર એવું માનીને ચૂપ થઈ જઈએ છીએ કે બીજાની પર વિતી છે એટલે આપણને ફરક નથી પડતો.. પરંતુ આપણે તે વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેવી દુર્ઘટના બીજા સાથે સર્જાઈ છે તે આપણી સાથે પણ સર્જાઈ શકે છે.. લોકો બોલતા ડરી રહ્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ પણ બોલતા ડરે છે.. ત્યારે જમાવટની ટીમે પૂર્વ ધારાસભ્ય ડો. કનુ ભાઈ કલસારિયા સાથે વાત કરી હતી.. 

લોકોએ નિડર બનવું પડશે..!

ડો. કનુ કલસારિયાએ પોતાના સમયમાં એટલે જ્યારે તે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે ખોટા વિરૂદ્ધ.. લોકો શા માટે નથી બોલતા તેની પાછળનું તેમણે કારણ આપ્યું કે આજકાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.. લોકો બોલતા પહેલા સો વખત વિચાર કરે છે.. લોકો એટલા બધા ડરેલા છે કે લોકોને બીજાની પડી પણ નથી.. લોકોએ પોત પોતાના કાર્યથી કામ રાખવું તેવી વાત તેમણે કરી હતી.. તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ નિડર બનવું પડે... જો તે લોકો નિડર બને તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય..   


લોકોમાં જાગૃતિનો અભાવ છે...! 

અધ્યાત્મ ક્ષેત્રના ગુરૂઓએ પણ એ જ સલાહ આપી છે કે ડરો નહીં.. જે આફત આવી છે તેનો સામનો કરો.. નિડર બનીને તેનો સામનો કરો... સત્યને ઉજાગર કરો.. જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકો હિંમત રાખી બહાર આવ્યા અને એક્શન લેવાવાની શરૂઆત થઈ છે... આવું થાય અને તે બાદ કાર્યવાહી થાય તો તે તો પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે...  સંવેદનશીલતા ઘટે છે, અવેરનેસ ઘટે છે તેવી વાત કરવાનો તેમનો હેતું હતો..  જાગૃતિનો માહોલ બનાવવો પડે.. 


ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ કાર્યવાહી નથી કરી શકતા! 

ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી.. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોય તો આ અંગેની જાગૃતિ પણ હોય જ.. જે લોકોને ધ્યાન રાખવાનું હોય, જે લોકોને જવાબદારીનો ખ્યાલ રાખવાનો તે નથી રાખતા ભ્રષ્ટાચારને કારણે.. પોત પોતાની ફરજ તે લોકો બજાવે પણ ભ્રષ્ટાચારને કારણે તે સૌ લોકો ક્યાંકને ક્યાંક અટવાયેલા રહે છે અને તે મૂળ ફરજ અદા કરી શકતા નથી તેવું તેમણે કહ્યું હતું.. ધારાસભ્ય પદ પર તે જ્યારે હતા ત્યારે તેમણે પોતાની સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ તે શું વિચારતા હતા તેની વાત તેમણે કરી હતી. 



આપણે અત્યારે નહીં બોલીએ તો એક સમય એવો હશે જ્યારે.. 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બોલવાથી કાંઈ ફરક પડતો નથી.. સામાન્ય માણસનો અવાજ કોઈ સાંભળતું નથી.. ઉલ્લેખનિય છે કે સામાન્ય માણસના અવાજને અનેક વખત દબાવવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ.. આજે નહીં તો કાલે બોલવાનો ફરક દેખાશે.. આપણે હમણાં અવાજ નહીં ઉઠાવીએ તો આપણા માટે કોઈ નહીં બોલે..   




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.