સત્તા સામે બોલવામાં ડર લાગે છે? સાંભળો જનતા તેમજ સિસ્ટમને લઈ શું કહ્યું Dr. Kanu Kalsariyaએ? લોકોમાં છે જાગૃતિનો અભાવ!


  • Published By :
  • Published Date : 2024-06-01 12:59:12

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ અમે અનેક વખત કહીએ છીએ કે ક્યાંય ખોટું થતું હોય તો બોલજો.. અસત્ય સામે બોલજો.. પરંતુ આપણે ઘણી વાર એવું માનીને ચૂપ થઈ જઈએ છીએ કે બીજાની પર વિતી છે એટલે આપણને ફરક નથી પડતો.. પરંતુ આપણે તે વસ્તુ ભૂલી જઈએ છીએ કે જેવી દુર્ઘટના બીજા સાથે સર્જાઈ છે તે આપણી સાથે પણ સર્જાઈ શકે છે.. લોકો બોલતા ડરી રહ્યા છે. સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ પણ બોલતા ડરે છે.. ત્યારે જમાવટની ટીમે પૂર્વ ધારાસભ્ય ડો. કનુ ભાઈ કલસારિયા સાથે વાત કરી હતી.. 

લોકોએ નિડર બનવું પડશે..!

ડો. કનુ કલસારિયાએ પોતાના સમયમાં એટલે જ્યારે તે ધારાસભ્ય પદ પર હતા ત્યારે અનેક વખત અવાજ ઉઠાવ્યો છે ખોટા વિરૂદ્ધ.. લોકો શા માટે નથી બોલતા તેની પાછળનું તેમણે કારણ આપ્યું કે આજકાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.. લોકો બોલતા પહેલા સો વખત વિચાર કરે છે.. લોકો એટલા બધા ડરેલા છે કે લોકોને બીજાની પડી પણ નથી.. લોકોએ પોત પોતાના કાર્યથી કામ રાખવું તેવી વાત તેમણે કરી હતી.. તેમણે કહ્યું કે જવાબદાર લોકોએ નિડર બનવું પડે... જો તે લોકો નિડર બને તો ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જાય..   


લોકોમાં જાગૃતિનો અભાવ છે...! 

અધ્યાત્મ ક્ષેત્રના ગુરૂઓએ પણ એ જ સલાહ આપી છે કે ડરો નહીં.. જે આફત આવી છે તેનો સામનો કરો.. નિડર બનીને તેનો સામનો કરો... સત્યને ઉજાગર કરો.. જ્યારે આવી મોટી દુર્ઘટના બની છે ત્યારે ઘણા લોકો હિંમત રાખી બહાર આવ્યા અને એક્શન લેવાવાની શરૂઆત થઈ છે... આવું થાય અને તે બાદ કાર્યવાહી થાય તો તે તો પૂર આવી ગયા પછી પાળો બાંધવા જેવી વાત છે...  સંવેદનશીલતા ઘટે છે, અવેરનેસ ઘટે છે તેવી વાત કરવાનો તેમનો હેતું હતો..  જાગૃતિનો માહોલ બનાવવો પડે.. 


ભ્રષ્ટાચારને કારણે અધિકારીઓ કાર્યવાહી નથી કરી શકતા! 

ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી.. તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર ના હોય તો આ અંગેની જાગૃતિ પણ હોય જ.. જે લોકોને ધ્યાન રાખવાનું હોય, જે લોકોને જવાબદારીનો ખ્યાલ રાખવાનો તે નથી રાખતા ભ્રષ્ટાચારને કારણે.. પોત પોતાની ફરજ તે લોકો બજાવે પણ ભ્રષ્ટાચારને કારણે તે સૌ લોકો ક્યાંકને ક્યાંક અટવાયેલા રહે છે અને તે મૂળ ફરજ અદા કરી શકતા નથી તેવું તેમણે કહ્યું હતું.. ધારાસભ્ય પદ પર તે જ્યારે હતા ત્યારે તેમણે પોતાની સરકાર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેની પાછળ તે શું વિચારતા હતા તેની વાત તેમણે કરી હતી. 



આપણે અત્યારે નહીં બોલીએ તો એક સમય એવો હશે જ્યારે.. 

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે બોલવાથી કાંઈ ફરક પડતો નથી.. સામાન્ય માણસનો અવાજ કોઈ સાંભળતું નથી.. ઉલ્લેખનિય છે કે સામાન્ય માણસના અવાજને અનેક વખત દબાવવાની કોશિશ કરવામાં આવી હશે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે બોલવાનું જ બંધ કરી દઈએ.. આજે નહીં તો કાલે બોલવાનો ફરક દેખાશે.. આપણે હમણાં અવાજ નહીં ઉઠાવીએ તો આપણા માટે કોઈ નહીં બોલે..   




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.