કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:11:52

કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર ફરવા ઉત્સાહિત થયા છે. પરિવાર સાથે તેમજ સોલો ટ્રીપ કરવાનું લોકો પ્લાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Local circles દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેમાં 45 ટકા લોકો તહેવારોમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાંથી 24 ટકા જેટલા લોકોએ ટિકિટ તેમજ હોટલ બુકિંગ પણ કરાવી દીધું છે.

future tourists | | Global Tourism Forum


બેઠુ થયું ટુરિઝમ ક્ષેત્ર

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો આવતા જ તહેવારો શરૂ થઈ ગયા છે. અનેક રજાઓ હોવાથી લોકોએ બહાર ફરવાનું પ્લાનિંગ કરી લીધું છે, આવો સર્વે સોશિયલ મીડિયામા Local circles દ્વારા કરાયો હતો. કોરોના કાળને કારણે અનેક સેક્ટરને તેમજ ટ્રાવેલ સેક્ટરને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કોરોના ઘટતા ટ્રાવેલ સેક્ટર પણ ફરી બેઠું થઈ રહ્યું છે.


S&Ds: Our idea of a European Tourism Covid-19 Safety Seal will help the  whole tourism industry | Socialists & Democrats


આ સર્વે દેશના 341 જિલ્લાઓમાં કરાયું હતું, જેમાં 42000 લોકો સામેલ થયા હતા. સર્વે પ્રમાણે 48 ટકા જેટલા લોકો, મિત્રો તથા સંબંધી સાથે યાત્રા કરવાના છે. 31 ટકા લોકો નજીકના સ્થળોની મુલાકાત લેવાના છે. જ્યારે અમુક લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે. 2021 કરતા 2022માં લોકો પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે.


લોકોમાં ફરી જાગ્યો ફરવાનો ઉત્સાહ

Sasan Gir National Park in Gujarat – Home of Asiatic Lions

ભારતીય અર્થવ્યવસ્થામાં ટ્રાવેલ ક્ષેત્રનો મોટો ફાળો રહેતો હોય છે. ત્યારે કોરોના કાળ બાદ ફરી એક વખત ટુરિઝમ ક્ષેત્રને વેગ મળી રહ્યો છે. લોકોમાં ફરી ફરવાનો ઉત્સાહ ઉભો થયો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં આ સેક્ટર મહામારીના પહેલાના સ્તરેને પણ વટાવી દેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.