કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 17:11:52

કોરોના કાળના 2 વર્ષ બાદ ટુરિઝમ સેક્ટરમાં વેગ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ સુધી ઘરમાં રહીને કંટાળેલા લોકો હવે બહાર ફરવા ઉત્સાહિત થયા છે. પરિવાર સાથે તેમજ સોલો ટ્રીપ કરવાનું લોકો પ્લાન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Local circles દ્વારા સર્વે હાથ ધરાયો હતો જેમાં 45 ટકા લોકો તહેવારોમાં બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમાંથી 24 ટકા જેટલા લોકોએ ટિકિટ તેમજ હોટલ બુકિંગ પણ કરાવી દીધું છે.

future tourists | | Global Tourism Forum


બેઠુ થયું ટુરિઝમ ક્ષેત્ર

સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો આવતા જ તહેવારો શરૂ થઈ ગયા છે. અનેક રજાઓ હોવાથી લોકોએ બહાર ફરવાનું પ્લાનિંગ કરી લીધું છે, આવો સર્વે સોશિયલ મીડિયામા Local circles દ્વારા કરાયો હતો. કોરોના કાળને કારણે અનેક સેક્ટરને તેમજ ટ્રાવેલ સેક્ટરને પણ ભારે નુકસાન થયું છે. ત્યારે કોરોના ઘટતા ટ્રાવેલ સેક્ટર પણ ફરી બેઠું થઈ રહ્યું છે.


S&Ds: Our idea of a European Tourism Covid-19 Safety Seal will help the  whole tourism industry | Socialists & Democrats


આ સર્વે દેશના 341 જિલ્લાઓમાં કરાયું હતું, જેમાં 42000 લોકો સામેલ થયા હતા. સર્વે પ્રમાણે 48 ટકા જેટલા લોકો, મિત્રો તથા સંબંધી સાથે યાત્રા કરવાના છે. 31 ટકા લોકો નજીકના સ્થળોની મુલાકાત લેવાના છે. જ્યારે અમુક લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે. 2021 કરતા 2022માં લોકો પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે.


લોકોમાં ફરી જાગ્યો ફરવાનો ઉત્સાહ

Sasan Gir National Park in Gujarat – Home of Asiatic Lions

ભારતીય અર્થવ્યવસ્થામાં ટ્રાવેલ ક્ષેત્રનો મોટો ફાળો રહેતો હોય છે. ત્યારે કોરોના કાળ બાદ ફરી એક વખત ટુરિઝમ ક્ષેત્રને વેગ મળી રહ્યો છે. લોકોમાં ફરી ફરવાનો ઉત્સાહ ઉભો થયો છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં આ સેક્ટર મહામારીના પહેલાના સ્તરેને પણ વટાવી દેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.