24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:16:23

આવનાર મહિનામાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા અનેક દિવસોથી દાવેદારીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધ્યક્ષની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ શશી થરૂરનું નામ ચર્ચાઈ રહ્યું છે. વંશવાદની વાતોમાં હમેશાં ઘેરાયેલું રહેતું કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના પ્રમુખ મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈનકાર

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેવી અનેક અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું હતું. ત્યારે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે જે પણ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે.

Zero tolerance...': Rahul Gandhi on NIA-ED-police raids on PFI, SDPI  leaders | Latest News India - Hindustan Times


અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત સૌથી આગળ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. 3 વખત તેઓ મુખ્યમંત્રી પદે રહેલા છે તેમજ તેમની પાસે કેન્દ્ર અને સંગઠનનો વર્ષોનો અનુભવ છે. આ બધા વચ્ચે ગેહલોતે સોનિયા ગાંધી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. ગેહલોતને ગાંધી પરિવારના વફાદાર પણ માનવામાં આવે છે.

Ashok Gehlot confirms bid for Congress president, but won't stay away from  Rajasthan - India News

શશિ થરૂરે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી

શશિ થરૂરે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરૂઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂંટણી લડવા માટે પરવાનગી માગી. સોનિયાએ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીની ચૂંટણી પ્રકિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે.

Shashi Tharoor

આ ઉપરાંત મનીષ તિવારી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના નામોની ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસોમાં પોતાનું નામાંકન કરાવશે અશોક ગેહલોત 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની માટે તૈયારી દર્શાવતા કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેમને કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરો તો તે ભરશે.

 

ચૂંટણીનું ટાઈમટેબલ

24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, 17 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.