24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાય કોંગ્રેસને મળી શકે છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:16:23

આવનાર મહિનામાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા અનેક દિવસોથી દાવેદારીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. અધ્યક્ષની રેસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ શશી થરૂરનું નામ ચર્ચાઈ રહ્યું છે. વંશવાદની વાતોમાં હમેશાં ઘેરાયેલું રહેતું કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના પ્રમુખ મળશે તેવી સંભાવના દેખાઈ રહી છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ ઈનકાર

રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તેવી અનેક અટકળોએ ફરી એક વખત જોર પકડ્યું હતું. ત્યારે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ અંગે સ્પષ્ટ ના પાડી દીધી હતી. રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું કે જે પણ કોંગ્રેસનો અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે.

Zero tolerance...': Rahul Gandhi on NIA-ED-police raids on PFI, SDPI  leaders | Latest News India - Hindustan Times


અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત સૌથી આગળ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહ્યા છે. 3 વખત તેઓ મુખ્યમંત્રી પદે રહેલા છે તેમજ તેમની પાસે કેન્દ્ર અને સંગઠનનો વર્ષોનો અનુભવ છે. આ બધા વચ્ચે ગેહલોતે સોનિયા ગાંધી સાથે લાંબી વાતચીત પણ કરી હતી. ગેહલોતને ગાંધી પરિવારના વફાદાર પણ માનવામાં આવે છે.

Ashok Gehlot confirms bid for Congress president, but won't stay away from  Rajasthan - India News

શશિ થરૂરે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી

શશિ થરૂરે પણ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર કેરળના તિરૂઅનંતપુરમથી લોકસભાના સાંસદ છે. તેમણે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી ચૂંટણી લડવા માટે પરવાનગી માગી. સોનિયાએ કહ્યું કે ચૂંટણી લડવાનો નિર્ણય તમારો છે. પાર્ટીની ચૂંટણી પ્રકિયા નક્કી કરેલા નિયમો પ્રમાણે થશે.

Shashi Tharoor

આ ઉપરાંત મનીષ તિવારી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીના નામોની ચર્ચા થઈ રહી છે.

થોડા દિવસોમાં પોતાનું નામાંકન કરાવશે અશોક ગેહલોત 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની માટે તૈયારી દર્શાવતા કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેમને કહે છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરો તો તે ભરશે.

 

ચૂંટણીનું ટાઈમટેબલ

24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. નામાંકન પાછા ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે, 17 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી થશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.