આપ અને કોંગ્રેસ બાદ ભાજપ નિકાળશે ગુજરાતમાં યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:04:22

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થાય અને ગુજરાતમાં ભાજપની સત્તા આવે તે માટે ભાજપ અનેક પ્રયત્ન કરી રહી છે. ગુજરાતને જીતવા ભાજપ આગામી 12 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે.

Shah, Nadda confident of BJP win in all states

તબક્કાવાર યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા

આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરથી થવાની છે. આ યાત્રાનું પ્રસ્તાન બહુચરાજી મંદિર ખાતેથી કરવામાં આવશે. એક યાત્રા 9 જિલ્લાઓમાં ફરી આ યાત્રા 33 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે જ્યાં 38 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કચ્છમાં આવેલા માતાજીના મઢ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ યોજશે.

Gujarat assembly polls: Ready to take on BJP, says AAP days after  dissolving state unit | Mint

યાત્રાઓનો સહારો લેતી રાજકીય પાર્ટી

મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ યાત્રાનું આયોજન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ પોતાનો પ્રચાર યુવા પરિવર્તન યાત્રા કરી રહી છે. ત્યારે આ રેસમાં ભાજપે પણ ભાગ લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.  

Congress will take out India Jodo Yatra 3500 kms will be covered



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે