આપ અને કોંગ્રેસ બાદ ભાજપ નિકાળશે ગુજરાતમાં યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:04:22

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થાય અને ગુજરાતમાં ભાજપની સત્તા આવે તે માટે ભાજપ અનેક પ્રયત્ન કરી રહી છે. ગુજરાતને જીતવા ભાજપ આગામી 12 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે.

Shah, Nadda confident of BJP win in all states

તબક્કાવાર યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા

આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરથી થવાની છે. આ યાત્રાનું પ્રસ્તાન બહુચરાજી મંદિર ખાતેથી કરવામાં આવશે. એક યાત્રા 9 જિલ્લાઓમાં ફરી આ યાત્રા 33 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે જ્યાં 38 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કચ્છમાં આવેલા માતાજીના મઢ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ યોજશે.

Gujarat assembly polls: Ready to take on BJP, says AAP days after  dissolving state unit | Mint

યાત્રાઓનો સહારો લેતી રાજકીય પાર્ટી

મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ યાત્રાનું આયોજન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ પોતાનો પ્રચાર યુવા પરિવર્તન યાત્રા કરી રહી છે. ત્યારે આ રેસમાં ભાજપે પણ ભાગ લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.  

Congress will take out India Jodo Yatra 3500 kms will be covered



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.