આપ અને કોંગ્રેસ બાદ ભાજપ નિકાળશે ગુજરાતમાં યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:04:22

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થાય અને ગુજરાતમાં ભાજપની સત્તા આવે તે માટે ભાજપ અનેક પ્રયત્ન કરી રહી છે. ગુજરાતને જીતવા ભાજપ આગામી 12 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે.

Shah, Nadda confident of BJP win in all states

તબક્કાવાર યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા

આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરથી થવાની છે. આ યાત્રાનું પ્રસ્તાન બહુચરાજી મંદિર ખાતેથી કરવામાં આવશે. એક યાત્રા 9 જિલ્લાઓમાં ફરી આ યાત્રા 33 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે જ્યાં 38 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કચ્છમાં આવેલા માતાજીના મઢ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ યોજશે.

Gujarat assembly polls: Ready to take on BJP, says AAP days after  dissolving state unit | Mint

યાત્રાઓનો સહારો લેતી રાજકીય પાર્ટી

મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ યાત્રાનું આયોજન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ પોતાનો પ્રચાર યુવા પરિવર્તન યાત્રા કરી રહી છે. ત્યારે આ રેસમાં ભાજપે પણ ભાગ લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.  

Congress will take out India Jodo Yatra 3500 kms will be covered



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"