આપ અને કોંગ્રેસ બાદ ભાજપ નિકાળશે ગુજરાતમાં યાત્રા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 15:04:22

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થાય અને ગુજરાતમાં ભાજપની સત્તા આવે તે માટે ભાજપ અનેક પ્રયત્ન કરી રહી છે. ગુજરાતને જીતવા ભાજપ આગામી 12 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની શરૂઆત કરવાની છે. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ઉપસ્થિત રહેવાના છે.

Shah, Nadda confident of BJP win in all states

તબક્કાવાર યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા

આ યાત્રાનો પ્રારંભ 12 ઓક્ટોબરથી થવાની છે. આ યાત્રાનું પ્રસ્તાન બહુચરાજી મંદિર ખાતેથી કરવામાં આવશે. એક યાત્રા 9 જિલ્લાઓમાં ફરી આ યાત્રા 33 વિધાનસભા ક્ષેત્રોમાં ફરશે જ્યાં 38 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કચ્છમાં આવેલા માતાજીના મઢ ખાતે આ યાત્રાનું સમાપન કરવામાં આવશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. આ યાત્રા 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ યોજશે.

Gujarat assembly polls: Ready to take on BJP, says AAP days after  dissolving state unit | Mint

યાત્રાઓનો સહારો લેતી રાજકીય પાર્ટી

મતદારો સુધી પહોંચવા રાજકીય પાર્ટીઓ યાત્રાનું આયોજન કરી રહી છે. ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી બસ હવે પરિવર્તન જોઈએ અને કોંગ્રેસ પોતાનો પ્રચાર યુવા પરિવર્તન યાત્રા કરી રહી છે. ત્યારે આ રેસમાં ભાજપે પણ ભાગ લીધો છે. ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે.  

Congress will take out India Jodo Yatra 3500 kms will be covered



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.