આપ, ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:33:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મેદાનમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રચાર કરવા સક્રિય બની છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થતા રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. આ વખતે ગુજરાતમાં જીત મેળવવા કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે.

ચૂંટણીને લઈ કોંગ્રસ એક્ટિવ મોડમાં

આ વખતે કોંગ્રેસનો પ્રચાર કરવા અનેક દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચીન પાઈલોટ, કમલનાથ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવાના છે. ઉપરાંત જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.

Priyanka Gandhi - WikipediaSonia Gandhi - Wikipedia

congress leader Sachin Pilot reaction Udaipur kanhaiya lal beheading -  कन्हैया की हत्या पर सचिन पायलट ने जाहिर किया आक्रोश, कहा- पार हो गईं सारी  हदें


રણનીતિ સાથે વધી રહ્યું છે કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ચ અને લલિત કગથરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જન સભામાં સંબોધન કરશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.