આપ, ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:33:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મેદાનમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રચાર કરવા સક્રિય બની છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થતા રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. આ વખતે ગુજરાતમાં જીત મેળવવા કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે.

ચૂંટણીને લઈ કોંગ્રસ એક્ટિવ મોડમાં

આ વખતે કોંગ્રેસનો પ્રચાર કરવા અનેક દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચીન પાઈલોટ, કમલનાથ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવાના છે. ઉપરાંત જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.

Priyanka Gandhi - WikipediaSonia Gandhi - Wikipedia

congress leader Sachin Pilot reaction Udaipur kanhaiya lal beheading -  कन्हैया की हत्या पर सचिन पायलट ने जाहिर किया आक्रोश, कहा- पार हो गईं सारी  हदें


રણનીતિ સાથે વધી રહ્યું છે કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ચ અને લલિત કગથરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જન સભામાં સંબોધન કરશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે