આપ, ભાજપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:33:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રચાર માટે મેદાનમાં દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રચાર કરવા સક્રિય બની છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થતા રાજકારણના સમીકરણ બદલાઈ શકે છે. આ વખતે ગુજરાતમાં જીત મેળવવા કોંગ્રેસ પણ તડામાર તૈયારી કરી રહ્યું છે.

ચૂંટણીને લઈ કોંગ્રસ એક્ટિવ મોડમાં

આ વખતે કોંગ્રેસનો પ્રચાર કરવા અનેક દિગ્ગજ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, સચીન પાઈલોટ, કમલનાથ સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવી શકે છે. રાજ્યના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવાના છે. ઉપરાંત જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના આગેવાનો ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.

Priyanka Gandhi - WikipediaSonia Gandhi - Wikipedia

congress leader Sachin Pilot reaction Udaipur kanhaiya lal beheading -  कन्हैया की हत्या पर सचिन पायलट ने जाहिर किया आक्रोश, कहा- पार हो गईं सारी  हदें


રણનીતિ સાથે વધી રહ્યું છે કોંગ્રેસ

કોંગ્રેસના ધારાસભ્ચ અને લલિત કગથરાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની તમામ સીટ પર કોંગ્રેસનો માહોલ બનાવવા માટે 28 સપ્ટેમ્બરે એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ચલો કોંગ્રેસ કે સાથ માં કે દ્વાર નામથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં જન સભામાં સંબોધન કરશે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."