AAP-Congressના ગઠબંધનની જાહેરાત બાદ Mumtaz Patelએ માફી માગી.., તો ફૈઝલ પટેલે કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-24 17:07:29

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા માટે જ્યારથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વિરોધ દર્શાવી રહ્યા છે. ગઠબંધન બાદ બંને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની કરાઈ જાહેરાત 

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક રાજ્યો માટે સીટોની વહેંચણી કરી છે. આમ આદમી પાર્ટીએ ભાવનગર તેમજ ભરૂચ લોકસભા સીટ માટે નામની જાહેરાત કરી છે. હજી સુધી તે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા પરંતુ આજથી તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કહેવાશે. ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારથી ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધનની ચર્ચા કરવામાં આવી ત્યારથી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ દેખાયા છે. કોઈ બીજા પાર્ટી માટે પ્રચાર નહીં કરે.


ગઠબંધન પર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે આપી પ્રતિક્રિયા 

આજે ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે બાદ મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું તમારી નિરાશાને સહભાગી કરું છું. સાથે મળીને, આપણે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશું . અમે અહેમદ પટેલના 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈશું. #ભરુચકીબેટી. તે સિવાય ફૈઝલ પટેલે પ્રતિક્રિયા આપી કે હું દિલ્હી જઈશ અને રજૂઆત કરીશ. નોમિનેશન માટે બહુ સમય છે, ચૂંટણીને બહુ સમય છે. ઘણું બધું થઇ શકે. કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે. ભરૂચ બેઠક અમારી છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે