AAP-Congressના ગઠબંધનની જાહેરાત બાદ Mumtaz Patelએ માફી માગી.., તો ફૈઝલ પટેલે કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-24 17:07:29

ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 24 લોકસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે જ્યારે આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર પર ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા માટે જ્યારથી ગઠબંધનની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વિરોધ દર્શાવી રહ્યા છે. ગઠબંધન બાદ બંને નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની કરાઈ જાહેરાત 

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ રણનીતિ ઘડી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અનેક રાજ્યો માટે સીટોની વહેંચણી કરી છે. આમ આદમી પાર્ટીએ ભાવનગર તેમજ ભરૂચ લોકસભા સીટ માટે નામની જાહેરાત કરી છે. હજી સુધી તે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા પરંતુ આજથી તે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કહેવાશે. ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારથી ભરૂચ લોકસભા બેઠક માટે ગઠબંધનની ચર્ચા કરવામાં આવી ત્યારથી મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ દેખાયા છે. કોઈ બીજા પાર્ટી માટે પ્રચાર નહીં કરે.


ગઠબંધન પર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે આપી પ્રતિક્રિયા 

આજે ગઠબંધન અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી તે બાદ મુમતાઝ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે લખ્યું કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની દિલથી ક્ષમાયાચના. હું તમારી નિરાશાને સહભાગી કરું છું. સાથે મળીને, આપણે કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશું . અમે અહેમદ પટેલના 45 વર્ષનો વારસો વ્યર્થ નહીં જવા દઈશું. #ભરુચકીબેટી. તે સિવાય ફૈઝલ પટેલે પ્રતિક્રિયા આપી કે હું દિલ્હી જઈશ અને રજૂઆત કરીશ. નોમિનેશન માટે બહુ સમય છે, ચૂંટણીને બહુ સમય છે. ઘણું બધું થઇ શકે. કાર્યકરો કહેશે એ મુજબ હું કરીશ. ભરૂચ સાથે અમારા પરિવારનો જૂનો સંબંધ છે. ભરૂચ બેઠક અમારી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.