અમદાવાદની યુવતીનું અપહરણ કરી, યુવકે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 19:34:45

બાપુનગરમાં રહેતી 18 વર્ષની યુવતીને યુવકે તલવાર સામે રાખી કારમાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફેરવી ત્રણવાર દુષ્કર્મ ગુજર્યુ હતું. આ ગુન્હામાં યુવકની પત્ની અને મિત્રએ પણ મદદ કરી હતી. જો કે સાંજથી સવાર સુધી કારમાં રહેલી યુવતી તકનો લાભ લઈ કારમાંથી ભાગી છૂટી હતી. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


બાપુનગરમાં રહેતી 18 વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે તે અગાઉ જ્યાં ભાડે રહેતી હતી, તે જગાએ રહેતો ઉમેશ તથા તેની પત્ની દેવિકાએ ત્યાં આવી યુવતીને કાર પાસે બોલાવી તલવાર બતાવી તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીને જળબજરી કારમાં બેસાડી ચાંદખેડા લઈ ગયા હતા, જ્યાં દેવિકા ઉતરી ગઈ હતી અને ઉમેશ યુવતીને કારમાં અલગ અલગ જગાએ લઈને ફરતો હતો. બાદમાં ઉમેશે એક યુવકને બોલાવી યુવતીને બળજબરીથી બીજી કારમાં બેસાડી દઇ કારની અંદર ત્રણવાર દુષ્કર્મ ગુજારી વહેલી સવારે ચાંદખેડા લઈ ગયો હતો, જ્યાં તે મોબાઈલ પર વાતો કરતો હતો, તે તકનો લાભ લઇ યુવતી કાર ખોલી ભાગીને તેના ઘરે આવી હતી. યુવતી અને તેની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઉમેશ, તેની પત્ની દેવિકા અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.