અમદાવાદની યુવતીનું અપહરણ કરી, યુવકે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-04 19:34:45

બાપુનગરમાં રહેતી 18 વર્ષની યુવતીને યુવકે તલવાર સામે રાખી કારમાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફેરવી ત્રણવાર દુષ્કર્મ ગુજર્યુ હતું. આ ગુન્હામાં યુવકની પત્ની અને મિત્રએ પણ મદદ કરી હતી. જો કે સાંજથી સવાર સુધી કારમાં રહેલી યુવતી તકનો લાભ લઈ કારમાંથી ભાગી છૂટી હતી. આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


બાપુનગરમાં રહેતી 18 વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે તે અગાઉ જ્યાં ભાડે રહેતી હતી, તે જગાએ રહેતો ઉમેશ તથા તેની પત્ની દેવિકાએ ત્યાં આવી યુવતીને કાર પાસે બોલાવી તલવાર બતાવી તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને યુવતીને જળબજરી કારમાં બેસાડી ચાંદખેડા લઈ ગયા હતા, જ્યાં દેવિકા ઉતરી ગઈ હતી અને ઉમેશ યુવતીને કારમાં અલગ અલગ જગાએ લઈને ફરતો હતો. બાદમાં ઉમેશે એક યુવકને બોલાવી યુવતીને બળજબરીથી બીજી કારમાં બેસાડી દઇ કારની અંદર ત્રણવાર દુષ્કર્મ ગુજારી વહેલી સવારે ચાંદખેડા લઈ ગયો હતો, જ્યાં તે મોબાઈલ પર વાતો કરતો હતો, તે તકનો લાભ લઇ યુવતી કાર ખોલી ભાગીને તેના ઘરે આવી હતી. યુવતી અને તેની માતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઉમેશ, તેની પત્ની દેવિકા અને અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.