Anant Patel બાદ Parshottam Rupala વિવાદ મામલે Chaitar Vasavaએ આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-11 11:12:56

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદમાં અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા મામલે હવે ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે. ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં આ મામલે નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપૂત સમાજનો જૂનો સંબંધ છે. મહત્વનું છે કે આની પહેલા અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી ઉપરાંત ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી..

 


ચૈતર વસાવાએ પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આપી પ્રતિક્રિયા

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. તેમની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠ્યો રોષ 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયેલો છે અને તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ છે. અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને અનેક ઉમેદવારોએ વખોડી કાઢ્યો છે. 



અનંત પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી 

થોડા સમય પહેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ વિષે કોઈ ટિપ્પણી ના કરતા તે પણ મારા બેહનો અને મારી માં છે. જો તમારે બેન બેટી માટે ખરાબ બોલવું હોય તો આ અનંત પટેલ તમારી સામે પડશે ત્યારે હવે ચૈતર વસાવાએ આ મામલે ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. વધુમાં તેમણે કહ્યું કે હંમેશા રાજપૂત રાજાઓની પડખે ભીલ સેના ઉભી રહી છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.