Anant Patel બાદ Parshottam Rupala વિવાદ મામલે Chaitar Vasavaએ આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-04-11 11:12:56

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદમાં અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા મામલે હવે ચૈતર વસાવાએ ઝંપલાવ્યું છે. ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં આ મામલે નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપૂત સમાજનો જૂનો સંબંધ છે. મહત્વનું છે કે આની પહેલા અનંત પટેલની પ્રતિક્રિયા સામે આવી ઉપરાંત ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી..

 


ચૈતર વસાવાએ પરષોત્તમ રૂપાલા વિવાદ મામલે આપી પ્રતિક્રિયા

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. તેમની માગ છે કે રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપતા કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠ્યો રોષ 

પરષોત્તમ રૂપાલાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયેલો છે અને તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ છે. અનેક વખત અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરષોત્તમ રૂપાલાના નિવેદન પર અલગ અલગ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને અનેક ઉમેદવારોએ વખોડી કાઢ્યો છે. 



અનંત પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી 

થોડા સમય પહેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ વિષે કોઈ ટિપ્પણી ના કરતા તે પણ મારા બેહનો અને મારી માં છે. જો તમારે બેન બેટી માટે ખરાબ બોલવું હોય તો આ અનંત પટેલ તમારી સામે પડશે ત્યારે હવે ચૈતર વસાવાએ આ મામલે ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે આદિવાસી અને રાજપુત સમાજનો જૂનો સંબંધ છે. વધુમાં તેમણે કહ્યું કે હંમેશા રાજપૂત રાજાઓની પડખે ભીલ સેના ઉભી રહી છે.... 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.