અરવિંદ કેજરીવાલ બાદ હવે મનીષ સિસોદિયાને પણ મોદી-મોદીના નારાનો સામનો કરવો પડ્યો !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:02:42

 

મનીષ સિસોદીયા સામે મોદી મોદીના નારા

ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ભાજપ અને આપ  ગુજરાત જીતવા તનતોડ મેહનત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે હવે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદયા પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે . મનીષ સિસોદયા 6 દિવસ ઉત્તરગુજરાતના પ્રવાસએ છે આજે તેઓ નવરાત્રીના પર્વે અંબાજી માતાના દર્શન કરવા પોહચય પરંતુ તેમના પોહચતા ની સાથેજ ત્યાં પણ મોદી મોદી અને હર હર મોદી ઘર ઘરના નારા લગાવા લાગ્યા . અને આવું પેહલીવાર નથી થયું. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવ્યા ત્યારે પણ આમ જ ત્યાં લોકોએ મોદી મોદીના નારા લગવ્યા હતા .

 

અરવિંદ કજરીવાલે આપી હતી પ્રતિક્રિયા

હવે આ બધુ સંજોગોવસાત થાય છે કે જાણીજોયને કરવામાં આવે છે એ પ્રશ્ન છે. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા ત્યારે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભાજપને આ ચુંટણીમાં ખૂબ તકલીફ થવાની છે આટલે તેઓ મારા વિરોધ નારા લગાવડાવશે’ ચુંટણી આવતા સુધી આ મુદ્દાઓ હજી કેટલી ગરમી પકડશે એ જોવાનું રહ્યું.

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.