અરવિંદ કેજરીવાલ બાદ હવે મનીષ સિસોદિયાને પણ મોદી-મોદીના નારાનો સામનો કરવો પડ્યો !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:02:42

 

મનીષ સિસોદીયા સામે મોદી મોદીના નારા

ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ભાજપ અને આપ  ગુજરાત જીતવા તનતોડ મેહનત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે હવે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદયા પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે . મનીષ સિસોદયા 6 દિવસ ઉત્તરગુજરાતના પ્રવાસએ છે આજે તેઓ નવરાત્રીના પર્વે અંબાજી માતાના દર્શન કરવા પોહચય પરંતુ તેમના પોહચતા ની સાથેજ ત્યાં પણ મોદી મોદી અને હર હર મોદી ઘર ઘરના નારા લગાવા લાગ્યા . અને આવું પેહલીવાર નથી થયું. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવ્યા ત્યારે પણ આમ જ ત્યાં લોકોએ મોદી મોદીના નારા લગવ્યા હતા .

 

અરવિંદ કજરીવાલે આપી હતી પ્રતિક્રિયા

હવે આ બધુ સંજોગોવસાત થાય છે કે જાણીજોયને કરવામાં આવે છે એ પ્રશ્ન છે. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા ત્યારે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભાજપને આ ચુંટણીમાં ખૂબ તકલીફ થવાની છે આટલે તેઓ મારા વિરોધ નારા લગાવડાવશે’ ચુંટણી આવતા સુધી આ મુદ્દાઓ હજી કેટલી ગરમી પકડશે એ જોવાનું રહ્યું.

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે