અરવિંદ કેજરીવાલ બાદ હવે મનીષ સિસોદિયાને પણ મોદી-મોદીના નારાનો સામનો કરવો પડ્યો !!!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:02:42

 

મનીષ સિસોદીયા સામે મોદી મોદીના નારા

ગુજરાતની ચુંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ભાજપ અને આપ  ગુજરાત જીતવા તનતોડ મેહનત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે હવે તો પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદયા પણ ગુજરાતના દોહરા કરી રહ્યા છે . મનીષ સિસોદયા 6 દિવસ ઉત્તરગુજરાતના પ્રવાસએ છે આજે તેઓ નવરાત્રીના પર્વે અંબાજી માતાના દર્શન કરવા પોહચય પરંતુ તેમના પોહચતા ની સાથેજ ત્યાં પણ મોદી મોદી અને હર હર મોદી ઘર ઘરના નારા લગાવા લાગ્યા . અને આવું પેહલીવાર નથી થયું. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ આવ્યા ત્યારે પણ આમ જ ત્યાં લોકોએ મોદી મોદીના નારા લગવ્યા હતા .

 

અરવિંદ કજરીવાલે આપી હતી પ્રતિક્રિયા

હવે આ બધુ સંજોગોવસાત થાય છે કે જાણીજોયને કરવામાં આવે છે એ પ્રશ્ન છે. જ્યારે અરવિંદ કેજરીવાલ વડોદરામાં હતા ત્યારે તેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ભાજપને આ ચુંટણીમાં ખૂબ તકલીફ થવાની છે આટલે તેઓ મારા વિરોધ નારા લગાવડાવશે’ ચુંટણી આવતા સુધી આ મુદ્દાઓ હજી કેટલી ગરમી પકડશે એ જોવાનું રહ્યું.

 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .