Loksabha Election: ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ 3 ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર. કોંંગ્રેસના તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે જોવા મળી આ સમાનતા!


  • Published By :
  • Published Date : 2024-03-23 12:57:30

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતની 26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસે અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. અનેક ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાંથી એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. આ નિર્ણય લેવાની વાત પાછળ તેમણે અંગત કારણો જણાવ્યા હતા. 

Congress' Ahmedabad East Lok Sabha candidate Rohan Gupta withdraws from  fray - The Economic Times

રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું 

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કોઈ વખત કોંગ્રેસના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તો કોઈ વખત લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચહેરાઓ પીછેહઠ કરી રહ્યા છે. થોડા સમય પહેલા કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ કારણ આપ્યું હતું કે તેમની પિતાની તબિત સારી ના હોવાને કારણે તેઓ ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે. આ મામલો ત્યાં શાંત ના થયો, ગઈકાલે રોહન ગુપ્તાએ કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે. જ્યારે રાજીનામું આપ્યું તે બાદ તેમણે અનેક પ્રતિક્રિયા આપી હતી. આત્મસન્માન જાળવવા માટે તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. 

Image

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર   

ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના બે ઉમેદવારોએ ઈલેક્શન લડવાની ના પાડી દીધી છે. પીછેહઠ કરનાર એક છે વડોદરાના ઉમેદવાર તેમજ બીજા છે સાબરકાંઠાના ઉમેદવાર. સાંસદ રંજનબેન ભટ્ટે તેમજ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી છે. રંજનબેન ભટ્ટે જ્યારે પ્રતિક્રિયા આપી ત્યારે તેમણે કહ્યું કે મારે હવે ચૂંટણી લડવી નથી. ઉમેદવારી પરત ખેંચવા મને પક્ષે કહ્યું નથી. હું પક્ષનું કામ કરીશ, બીજા ઉમેદવાર ચૂંટણી લડશે. મારી પ્રજાએ મને ખૂબ પ્રેમ કર્યો છે. મેં જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. હું વડોદરાની બદનામી ઈચ્છતી નથી. મેં કોઈ સાથે આ અંગે વાતચીત કરી નથી. મને પાર્ટીએ ત્રીજી વખત ટિકિટ આપી હતી.        

 Image

Image

રંજનબેન ભટ્ટે પ્રતિક્રિયા આપી હતી.. 

મહત્વનું છે કે રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જ્યારથી જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી વડોદરામાં આંતરિક વિવાદ છેડાઈ ગયો છે. જ્યોતિબેન પંડ્યાએ બળવો કર્યો હતો. અને તે બાદ પોસ્ટરો સાંસદના વિરૂદ્ધ લાગ્યા હતા. આજે જ્યારે ઉમેદવારી તેમણે  પાછી ખેંચી ત્યારે તેમણે પણ આત્મસન્માનની વાત કરી હતી. તેમણે કહ્યું કે મારી પણ ઈજ્જત છે ને...!   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.