Bharat Jodo Yatra બાદ Congress નીકાળશે ન્યાય યાત્રા, આટલા કિલોમીટરનું અંતર કાપશે આ યાત્રા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-27 11:46:19

ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે બીજી યાત્રાની જાહેરાત કરી છે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી હતી ત્યારે હવે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રા હશે જે 14 રાજ્યોમાંથી ફરીને જશે. 14 જાન્યુઆરીએ શરૂ થયેલી યાત્રાની પૂર્ણાહૂતી 20 માર્ચે થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. મહત્વનું છે કે આ યાત્રાનું નેત્રૃત્વ રાહુલ ગાંધી કરશે કે નહીં તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 


આ તારીખથી કોંગ્રેસ શરૂ કરશે ન્યાય યાત્રા 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા રાજકીય પાર્ટીઓ લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપવાની રહી છે. કોઈ પાર્ટી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરે છે તો કોઈ યાત્રાનું આયોજન કરે છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીના નેત્રૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આયોજન સફળ થયું તે બાદ એવી માહિતી સામે આવી કે ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત કરવામાં આવશે. ફરી એક વખત યાત્રાનું આયોજન થયું છે પરંતુ આ વખતની યાત્રાને અલગ નામ આપવામાં આવ્યું છે. આ વખતની યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ રાજ્યોમાંથી પસાર થશે ભારત ન્યાય યાત્રા 

આ યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે જેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રામાં જેમ રાહુલ ગાંધી આખી યાત્રા દરમિયાન ચાલ્યા હતા તેવી રીતે આ યાત્રાનું આયોજન નથી કરવામાં આવ્યું. આ યાત્રા બસમાં કરાશે અને કોઈ વખત ચાલીને યાત્રા કરવામાં આવશે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.