Bharat Jodo Yatra બાદ Congress નીકાળશે ન્યાય યાત્રા, આટલા કિલોમીટરનું અંતર કાપશે આ યાત્રા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-27 11:46:19

ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે બીજી યાત્રાની જાહેરાત કરી છે. ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રા કરી હતી ત્યારે હવે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મણિપુરથી મુંબઈ સુધીની આ યાત્રા હશે જે 14 રાજ્યોમાંથી ફરીને જશે. 14 જાન્યુઆરીએ શરૂ થયેલી યાત્રાની પૂર્ણાહૂતી 20 માર્ચે થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. મહત્વનું છે કે આ યાત્રાનું નેત્રૃત્વ રાહુલ ગાંધી કરશે કે નહીં તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. 


આ તારીખથી કોંગ્રેસ શરૂ કરશે ન્યાય યાત્રા 

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. તેની પહેલા રાજકીય પાર્ટીઓ લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ રસ્તાઓ અપવાની રહી છે. કોઈ પાર્ટી જનસંપર્ક કાર્યક્રમની શરૂઆત કરે છે તો કોઈ યાત્રાનું આયોજન કરે છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધીના નેત્રૃત્વમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આયોજન સફળ થયું તે બાદ એવી માહિતી સામે આવી કે ભારત જોડો યાત્રા 2.0ની શરૂઆત કરવામાં આવશે. ફરી એક વખત યાત્રાનું આયોજન થયું છે પરંતુ આ વખતની યાત્રાને અલગ નામ આપવામાં આવ્યું છે. આ વખતની યાત્રાને ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે. 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ રાજ્યોમાંથી પસાર થશે ભારત ન્યાય યાત્રા 

આ યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે જેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ભારત જોડો યાત્રામાં જેમ રાહુલ ગાંધી આખી યાત્રા દરમિયાન ચાલ્યા હતા તેવી રીતે આ યાત્રાનું આયોજન નથી કરવામાં આવ્યું. આ યાત્રા બસમાં કરાશે અને કોઈ વખત ચાલીને યાત્રા કરવામાં આવશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.