ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAP Dediyapadaમાં કરશે શક્તિપ્રદર્શન! Chaitar vasavaના સમર્થન માટે પહોંચ્યા Yuvrajsinh


  • Published By :
  • Published Date : 2023-12-14 10:48:58

વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ગઈકાલે ધારાસભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.આ ઘટના બાદ ગઈકાલથી આમ આદમી પાર્ટીની નેગેટિવ ચર્ચા થઈ રહી છે. ચૈતર વસાવાને રજૂ કરી આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી હોય તેવું લાગે છે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચી ગયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના નેતાઓ ત્યાં પહોંચ્યા છે અને આજે ગમે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવાના છે. પોલીસ તેમની ધરપકડ પણ કરી શકે છે. 

એક ધારાસભ્ય રાજીનામું આપે છે અને આજે ચૈતર વસાવા હાજર!

રાજકારણમાં અનેક વખત એવું બને કે પોતાની પાર્ટી છોડી નેતાઓ બીજી પાર્ટીમાં જતા રહે છે. કોંગ્રેસના અનેક નેતાઓએ પક્ષપલટો કર્યો છે. કોંગ્રેસના નેતાના પક્ષપલટા પર આમ આદમી પાર્ટીના નેતાઓ કહેતા હતા કે કોંગ્રેસને નેતાઓ સાચવતા નથી આવતું. પરંતુ ગઈકાલે જે થયું તે બાદ આમ આદમી પાર્ટી માટે પણ આવી ચર્ચાઓ થવા લાગી છે. કોંગ્રેસના અનેક  નેતાઓ ભાજપમાં જોડાય છે પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપનો કેસરિયો ધારણ કરી શકે છે. કાલે જે ઘટના બની તે પરથી કહી શકાય કે આમ આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્યોને સાચવવામાં કાચી પડી. આપના પાંચ ધારાસભ્યોને પાંચ પાંડવો આપના લોકો કહેતા હતા પરંતુ હવે ચાર જ ધારાસભ્યો બાકી રહ્યા છે. ગઈકાલે એક ધારાસભ્યે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું તો આજે બીજી તરફ આપના બીજા ધારાસભ્ય જે ઘણા સમયથી ફરાર હતા તે અચાનક પોલીસ સમક્ષ હાજર થવાના છે.    

ચૈતર વસાવા કરી શકે છે પોલીસ સામે સરેન્ડર!  

પોલીસ ફરિયાદ થયા બાદ ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા. ચૈતર વસાવા આજે ગમે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે તેવી માહિતી સામે આવી છે. આપના નેતાઓ પણ ડેડિયાપાડા પહોંચી ગયા છે. મહત્વનું છે કે ચૈતર વસાવાને આજે નહીં તો કાલે, ગમે ત્યારે હાજર તો થવાનું જ હતું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ન માત્ર ડેડિયાપડાના ધારાસભ્ય તરીકે ચર્ચિત છે પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નોને પણ અવાજ આપ્યો છે. એવી પણ માહિતી સામે આવી છે કે આપ ત્યાં શક્તિ પ્રદર્શન કરી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે ચૈતર વસાવા જ્યારે પોલીસ સમક્ષ હાજર થવાના છે ત્યારે કેવી સ્થિતિ સર્જાય છે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.