ભૂપત ભાયાણીના રાજીનામા બાદ Isudan Gadhvi અને Gopal Italiyaએ આપી પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-13 14:58:52

સવારથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા અંગે ચર્ચાઓ થઈ રહી છે. આપનો છેડો ફાડી તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે નેતા રાજકીય પક્ષમાંથી છૂટા થઈ ભાજપ સાથે જોડાવાની વાત કરે છે ત્યારે મનમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જાય છે! નેતાના પાપ ધોવાઈ જાય તેવી ચર્ચાઓ  સામાન્ય રીતે થવા લાગે છે. ત્યારે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપ ગુજરાતે એક ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા! તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજીનામાને લઈ ટ્વિટ કર્યું છે. એક મીડિયા ચેનલનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે કે ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

 


ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હું વિસાવદરના લોકોની માફી માગું છું. ઉમેદવાર પસંદ કરવામાં અમારી ભૂલ થઈ છે. પરંતુ મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો આવનાર ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. એનો મને પુરો વિશ્વાસ છે. અમારા ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. ભાજપ આપથી ડરી ગયું છે. ભાજપના નેતાઓને કામ કરવામાં કોઈ રસ નથી. ભાજપ છેલ્લા એક વર્ષથી આપના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.  




યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .