ભૂપત ભાયાણીના રાજીનામા બાદ Isudan Gadhvi અને Gopal Italiyaએ આપી પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-13 14:58:52

સવારથી વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા અંગે ચર્ચાઓ થઈ રહી છે. આપનો છેડો ફાડી તે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જ્યારે નેતા રાજકીય પક્ષમાંથી છૂટા થઈ ભાજપ સાથે જોડાવાની વાત કરે છે ત્યારે મનમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાજપમાં જવાથી નેતાઓ પવિત્ર થઈ જાય છે! નેતાના પાપ ધોવાઈ જાય તેવી ચર્ચાઓ  સામાન્ય રીતે થવા લાગે છે. ત્યારે ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આપ ગુજરાતે એક ટ્વિટ કર્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ભૂપતભાઈના પાપ ભાજપના વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા! તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ રાજીનામાને લઈ ટ્વિટ કર્યું છે. એક મીડિયા ચેનલનો વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે કે ભાજપના ઈશારે ભૂપત ભાયાણીએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.

 


ભૂપત ભાયાણીના રાજીનામા બાદ ઈસુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા!

ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હું વિસાવદરના લોકોની માફી માગું છું. ઉમેદવાર પસંદ કરવામાં અમારી ભૂલ થઈ છે. પરંતુ મને વિશ્વાસ છે કે વિસાવદરના લોકો આવનાર ચૂંટણીમાં ભાજપને જાકારો આપશે. એનો મને પુરો વિશ્વાસ છે. અમારા ધારાસભ્યોએ ઈમાનદારીથી કામ કર્યું છે. ભાજપ આપથી ડરી ગયું છે. ભાજપના નેતાઓને કામ કરવામાં કોઈ રસ નથી. ભાજપ છેલ્લા એક વર્ષથી આપના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.