કવિતા ટ્રેન્ડમાં BJP અને Congressના નેતાઓ બાદ Yuvrajsinh Jadejaએ આપ્યું યોગદાન, કવિતા શેર કરી - જરા ધ્યાન રાખજો...


  • Published By :
  • Published Date : 2024-03-30 17:48:46

ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓનો જેમ અંતરાત્મા જાગી જતો હોય છે તેમ તેમની અંદર રહેલો કવિ પણ જાગી જતો હોય છે..! આ ચૂંટણીમાં કંઈ નવું જોવા મળવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતાઓ લખવામાં આવી રહી છે એક બીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ શરૂવાત કરી તો પછી એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ ભાઈએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા ટ્રેન્ડમાં પોતાનું યોગદાન આપ્યું છે...! 

યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કવિતા  

હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. નેતાઓ એક બાદ એક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શરૂઆત પરેશ ધાનાણીએ કરી તે બાદ તો આ સિલસિલો શરૂ થઈ ગયો. એક બાદ નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે ચર્ચા છે ચારકોર, જરા ધ્યાન રાખજો! ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો.. 


ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતા કરવામાં આવી પોસ્ટ 

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું છે. એક બીજા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2004ની વાતને યાદ કરવામાં આવે છે તો બીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે 400ને પાર... ત્યારે આ કવિતા કાંડ આગળ જતા યથાવત રહેશે કે બંધ થઈ જશે તે જોવું રહ્યું...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે