કવિતા ટ્રેન્ડમાં BJP અને Congressના નેતાઓ બાદ Yuvrajsinh Jadejaએ આપ્યું યોગદાન, કવિતા શેર કરી - જરા ધ્યાન રાખજો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 17:48:46

ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓનો જેમ અંતરાત્મા જાગી જતો હોય છે તેમ તેમની અંદર રહેલો કવિ પણ જાગી જતો હોય છે..! આ ચૂંટણીમાં કંઈ નવું જોવા મળવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતાઓ લખવામાં આવી રહી છે એક બીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ શરૂવાત કરી તો પછી એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ ભાઈએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા ટ્રેન્ડમાં પોતાનું યોગદાન આપ્યું છે...! 

યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કવિતા  

હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. નેતાઓ એક બાદ એક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શરૂઆત પરેશ ધાનાણીએ કરી તે બાદ તો આ સિલસિલો શરૂ થઈ ગયો. એક બાદ નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે ચર્ચા છે ચારકોર, જરા ધ્યાન રાખજો! ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો.. 


ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતા કરવામાં આવી પોસ્ટ 

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું છે. એક બીજા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2004ની વાતને યાદ કરવામાં આવે છે તો બીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે 400ને પાર... ત્યારે આ કવિતા કાંડ આગળ જતા યથાવત રહેશે કે બંધ થઈ જશે તે જોવું રહ્યું...  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.