કવિતા ટ્રેન્ડમાં BJP અને Congressના નેતાઓ બાદ Yuvrajsinh Jadejaએ આપ્યું યોગદાન, કવિતા શેર કરી - જરા ધ્યાન રાખજો...


  • Published By :
  • Published Date : 2024-03-30 17:48:46

ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓનો જેમ અંતરાત્મા જાગી જતો હોય છે તેમ તેમની અંદર રહેલો કવિ પણ જાગી જતો હોય છે..! આ ચૂંટણીમાં કંઈ નવું જોવા મળવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતાઓ લખવામાં આવી રહી છે એક બીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ શરૂવાત કરી તો પછી એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ ભાઈએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા ટ્રેન્ડમાં પોતાનું યોગદાન આપ્યું છે...! 

યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કવિતા  

હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. નેતાઓ એક બાદ એક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શરૂઆત પરેશ ધાનાણીએ કરી તે બાદ તો આ સિલસિલો શરૂ થઈ ગયો. એક બાદ નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે ચર્ચા છે ચારકોર, જરા ધ્યાન રાખજો! ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો.. 


ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતા કરવામાં આવી પોસ્ટ 

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું છે. એક બીજા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2004ની વાતને યાદ કરવામાં આવે છે તો બીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે 400ને પાર... ત્યારે આ કવિતા કાંડ આગળ જતા યથાવત રહેશે કે બંધ થઈ જશે તે જોવું રહ્યું...  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે