કવિતા ટ્રેન્ડમાં BJP અને Congressના નેતાઓ બાદ Yuvrajsinh Jadejaએ આપ્યું યોગદાન, કવિતા શેર કરી - જરા ધ્યાન રાખજો...


  • Published By :
  • Published Date : 2024-03-30 17:48:46

ગુજરાતની રાજનીતિમાં રાજનેતાઓનો જેમ અંતરાત્મા જાગી જતો હોય છે તેમ તેમની અંદર રહેલો કવિ પણ જાગી જતો હોય છે..! આ ચૂંટણીમાં કંઈ નવું જોવા મળવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતાઓ લખવામાં આવી રહી છે એક બીજા પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. પરેશ ધાનાણીએ શરૂવાત કરી તો પછી એમની પાછળ હેમાંગ રાવલે કવિતા લખી પછી વળતા જવાબમાં ભાજપના યજ્ઞેશ ભાઈએ પણ કવિતા લખી અને આ કવિતાઓ સાંભળીને સવાલ થાય કે આ ચૂંટણી છે કે કવિ સંમેલન? આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા ટ્રેન્ડમાં પોતાનું યોગદાન આપ્યું છે...! 

યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કવિતા  

હાલ લોકસભા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે અને આ જંગમાં હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ચૂક્યું છે. નેતાઓ એક બાદ એક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. શરૂઆત પરેશ ધાનાણીએ કરી તે બાદ તો આ સિલસિલો શરૂ થઈ ગયો. એક બાદ નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ પણ કવિતા સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે ચર્ચા છે ચારકોર, જરા ધ્યાન રાખજો! ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો.. 


ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા કવિતા કરવામાં આવી પોસ્ટ 

મહત્વનું છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓમાં સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું છે. એક બીજા પર કટાક્ષ કરતી પોસ્ટ મૂકવામાં આવે છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 2004ની વાતને યાદ કરવામાં આવે છે તો બીજેપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે 400ને પાર... ત્યારે આ કવિતા કાંડ આગળ જતા યથાવત રહેશે કે બંધ થઈ જશે તે જોવું રહ્યું...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.