ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર નેતાઓને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-14 08:54:58

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો મેળવી હતી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરનાર બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


કોંગ્રેસે કરી છે સત્ય શોધક કમિટીની રચના 

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ભાજપે ફરી એક વખત ગુજરાતમાં સત્તા સંભાળી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતનું કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ માનવામાં આવે છે. ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રસે સત્ય શોધક કમિટીની રચના કરી છે જે ગુજરાતમાં હારનું કારણ શોધશે અને રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે.


માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાનો થયો પરાજ્ય

કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ઓછી સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ચૂંટણી સમયે પાર્ટીને નુકસાન પહોંચનાર નેતાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


પક્ષવિરોધી કામ કરનાર નેતા સામે કરાઈ કાર્યવાહી 

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને કારણે પાર્ટીએ નેતાઓ વિરૂદ્ધ પગલા લેવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ખુમાણભાઈ અને તેમના પુત્ર રણજીતભાઈ પરમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બાબુભાઈની હાર બાદ જ્યારે કોંગ્રેસે તપાસ કરી તે વખતે જણવા મળ્યું કે જાણી જોઈને બાબુભાઈને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર સમયમાં અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.