ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર નેતાઓને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-14 08:54:58

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો મેળવી હતી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરનાર બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


કોંગ્રેસે કરી છે સત્ય શોધક કમિટીની રચના 

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ભાજપે ફરી એક વખત ગુજરાતમાં સત્તા સંભાળી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતનું કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ માનવામાં આવે છે. ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રસે સત્ય શોધક કમિટીની રચના કરી છે જે ગુજરાતમાં હારનું કારણ શોધશે અને રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે.


માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાનો થયો પરાજ્ય

કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ઓછી સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ચૂંટણી સમયે પાર્ટીને નુકસાન પહોંચનાર નેતાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


પક્ષવિરોધી કામ કરનાર નેતા સામે કરાઈ કાર્યવાહી 

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને કારણે પાર્ટીએ નેતાઓ વિરૂદ્ધ પગલા લેવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ખુમાણભાઈ અને તેમના પુત્ર રણજીતભાઈ પરમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બાબુભાઈની હાર બાદ જ્યારે કોંગ્રેસે તપાસ કરી તે વખતે જણવા મળ્યું કે જાણી જોઈને બાબુભાઈને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર સમયમાં અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.