ભાજપ બાદ કોંગ્રેસે પણ ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કામ કરનાર નેતાઓને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-14 08:54:58

ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 182 સીટોમાંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસે માત્ર 17 સીટો મેળવી હતી. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને પગલે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત જૂનાગઢની માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાને હરાવવા પ્રયત્ન કરનાર બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


કોંગ્રેસે કરી છે સત્ય શોધક કમિટીની રચના 

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાયું હતું જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યું હતું. ભાજપે ફરી એક વખત ગુજરાતમાં સત્તા સંભાળી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 સીટોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ વખતનું કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ માનવામાં આવે છે. ગુજરાતમાં કારમી હાર બાદ કોંગ્રસે સત્ય શોધક કમિટીની રચના કરી છે જે ગુજરાતમાં હારનું કારણ શોધશે અને રિપોર્ટ હાઈ કમાન્ડને સોંપશે.


માંગરોળ બેઠક પર બાબુભાઈ વાજાનો થયો પરાજ્ય

કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં ઓછી સીટથી સંતોષ માનવો પડ્યો હતો. કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. ચૂંટણી સમયે પાર્ટીને નુકસાન પહોંચનાર નેતાઓ સામે પગલા લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના માંગરોળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વાજાની જીત લગભગ નક્કી હતી. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 


પક્ષવિરોધી કામ કરનાર નેતા સામે કરાઈ કાર્યવાહી 

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને હરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેને કારણે પાર્ટીએ નેતાઓ વિરૂદ્ધ પગલા લેવાનું શરૂ કર્યું છે. પાર્ટીએ ખુમાણભાઈ અને તેમના પુત્ર રણજીતભાઈ પરમારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. બાબુભાઈની હાર બાદ જ્યારે કોંગ્રેસે તપાસ કરી તે વખતે જણવા મળ્યું કે જાણી જોઈને બાબુભાઈને હરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર સમયમાં અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.