ચૌધરી અને પાટીદાર સમાજ બાદ ક્ષત્રિય Thakor સમાજના લોકોએ બનાવ્યું પોતાનું બંધારણ, જાણો કુપ્રથા દૂર કરવા શું લેવાયા નિર્ણય?


  • Published By :
  • Published Date : 2023-08-28 13:02:19

જેમ દેશનું બંધારણ હોય છે તેમ અનેક સમાજો પણ પોતાના બંધારણને ઘડી રહ્યા છે. થોડા સમયથી આવી પહેલ શરૂ થઈ છે કે સમાજ પોતાના બંધારણની રચના કરી રહ્યો છે. ચૌધરી સમાજ અને પાટીદાર સમાજના બંધારણ બનાવાની ઘટના બાદ અનેક સમાજો આ દિશામાં આગળ વધી રહ્યા છે. મોટા ભાગના સમાજ કંઈકને કંઈક સમાજ સુધારાના આશયથી પોતાના સમાજનું બંધારણ બનાવી રહ્યા છે. હવે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે.  

 મહેસાણામાં ક્ષત્રિય ઠાકોર સમાજની પહેલ: લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ ઘરે લગ્ન સ્થળે થતાં ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રિ ટાણે સાઉન્ડ વગાડી શકાશે.

કુરિવાજોને નાથવા ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યું બંધારણ

મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના લોકો વસે છે. વડનગર આસપાસ લગભગ 80 ગામ એવા છે જ્યા ક્ષત્રિય ઠાકોર બાહુલ્યવાળા છે. ઉત્તર ગુજરાતના સમાજોમાં દારૂ અને ગાંજો જેવી સમસ્યાઓ છે તેને કારણે સમાજ આગળ નથી વધી શકતો. પરંતુ ધીરે ધીરે આવી સમસ્યાથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી સમસ્યાને અને કુરિવાજોને બંધ કરવા ક્ષત્રિય ઠાકોર સમાજના નેતા અને વડીલો ભેગા થયા હતા અને પોતાનું નવું બંધારણ બનાવ્યું હતું. 

લગ્ન પ્રસંગમાં નહીં વગાડાય ડીજે 

તેમના બંધારણની મુખ્ય બાબતો વિશે જાણીએ તો લગ્ન પ્રસંગે કે બીજા કોઈ પ્રસંગે ડીજે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે મંદિરના ધાર્મિક પ્રસંગમાં અને નવરાત્રીમાં ડીજે વગાડવાની મનાઈ નથી કરવામાં આવી. લગ્નમાં વરઘોડાની પ્રથા પણ બંધ કરી છે. ઓઢણી જેવા પ્રસંગમાં હવે માત્ર સ્ત્રીઓ જ જઈ શકશે. ઓઢણીના પ્રસંગમાં પુરુષો હવે નહીં જઈ શકે. મરણ પ્રસંગમાં સોળ લાવવાના બદલે રોકડા રૂપિયા આપી દેવાના રહેશે. અને કુટુંબના બધા લોકો હવે સોળ નહીં લઈ જઈ શકે કુટુંબનો મુખ્ય વ્યક્તિ જ સોળ લઈ જઈ શકશે. 


પહેરામણીની પ્રથા કરાઈ બંધ 

ઘરધણી સિવાય બાકીના લોકોએ રોકડા રૂપિયાનો વહેવાર કરવો પડશે. મરણ થઈ જાય ત્યારે માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવી છે. ખાલી ઘરધણી જ માથે સાડી નાખી શકશે. ઘરધણી સિવાયના લોકો રોકડા રૂપિયાનો વહેવાર કરશે. અમુક સમાજમાં હજુ પણ પ્રથા છે કે લગ્ન પ્રસંગમાં પહેરામણી કરવી ફરજિયાત હોય છે, ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ આ પ્રથા હતી પરંતુ હવે આ પ્રથાને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છતાંય જો ઓઢામણી કરવી હોય તો રોકડા રૂપિયા આપીને કરવાની રહેશે. સૌથી મહત્વની અને સૌથી સુંદર વાત લગભગ આ હશે કે સામાજિક પ્રસંગોમાં જુગાર રમવામાં આવે છે તેના પર પ્રતિબંધ લગાવામાં આવશે, 


ક્ષત્રિય ઠાકોર સમાજમાં પહેલા હતી દારૂ પીવાની પ્રથા 

પહેલા ઠાકોર સમાજમાં દારૂ પીવાની બહુ આદત હતી જોકે સમાજ પોતે જાગૃત થયો અને પાછલા દાયકાઓમાં દારૂ પીવાનું બહુ ઘટ્યું છે. શિક્ષણ આવે છે એટલે સમાજમાં પણ સુધારા થાય છે. તમામ સમાજે સારપ માટે અને સમાજના કલ્યાણ માટે સારા નિર્ણયો લેવા જોઈએ અને કુ પ્રથાઓને સમાજમાંથી દૂર કરવી જોઈએ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.