વિદેશથી આવ્યા બાદ ગુુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે ભાજપનો પ્રચાર, જનસભા તેમજ રોડ-શોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-15 17:06:56

ગુજરાતમાં ભાજપ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. આ સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, હેમંત બિસ્વા, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

PM Modi kick starts various development works in Vyara, Gujarat |  DeshGujarat

19 નવેમ્બરે ગુજરાત આવશે પીએમ મોદી 

નરેન્દ્ર મોદીને ભાજપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અનેક મતદારો ભાજપને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપે છે. ત્યારે મતદારોને આકર્ષવા વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી સભાઓને ગજવવાના છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં તેઓ જનસભા સંબોધવાના છે. ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગરમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું  લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે | TV9 Gujarati

અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. ઉમેદવારોના નામોને લઈ અનેક નેતાઓ નારાજ પણ થયા હતા. અમિત શાહ ભાજપનો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ડેમજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક ઉમેદવારોએ તેમની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે ઘોટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતના પ્રવાસે છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.