વિદેશથી આવ્યા બાદ ગુુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે ભાજપનો પ્રચાર, જનસભા તેમજ રોડ-શોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-15 17:06:56

ગુજરાતમાં ભાજપ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. આ સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, હેમંત બિસ્વા, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

PM Modi kick starts various development works in Vyara, Gujarat |  DeshGujarat

19 નવેમ્બરે ગુજરાત આવશે પીએમ મોદી 

નરેન્દ્ર મોદીને ભાજપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અનેક મતદારો ભાજપને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપે છે. ત્યારે મતદારોને આકર્ષવા વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી સભાઓને ગજવવાના છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં તેઓ જનસભા સંબોધવાના છે. ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગરમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું  લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે | TV9 Gujarati

અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. ઉમેદવારોના નામોને લઈ અનેક નેતાઓ નારાજ પણ થયા હતા. અમિત શાહ ભાજપનો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ડેમજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક ઉમેદવારોએ તેમની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે ઘોટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતના પ્રવાસે છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.