વિદેશથી આવ્યા બાદ ગુુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે ભાજપનો પ્રચાર, જનસભા તેમજ રોડ-શોનું કરાયું આયોજન


  • Published By :
  • Published Date : 2022-11-15 17:06:56

ગુજરાતમાં ભાજપ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા પાર્ટીએ સ્ટાર પ્રચારકોની આખી ફોજ મેદાનમાં ઉતારી છે. આ સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, હેમા માલિની, હેમંત બિસ્વા, યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

PM Modi kick starts various development works in Vyara, Gujarat |  DeshGujarat

19 નવેમ્બરે ગુજરાત આવશે પીએમ મોદી 

નરેન્દ્ર મોદીને ભાજપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અનેક મતદારો ભાજપને નહીં પરંતુ પીએમ મોદીના ચહેરાને જોઈને મત આપે છે. ત્યારે મતદારોને આકર્ષવા વડાપ્રધાન મોદી 19 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી સભાઓને ગજવવાના છે. દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં તેઓ જનસભા સંબોધવાના છે. ઉપરાંત વલસાડ, સુરેન્દ્રનગરમાં સભાઓનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનું  લોકાર્પણ કરશે, સાથે જ 3 સ્થળો પર સંબોધન કરશે | TV9 Gujarati

અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. થોડા સમય પહેલા ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. ઉમેદવારોના નામોને લઈ અનેક નેતાઓ નારાજ પણ થયા હતા. અમિત શાહ ભાજપનો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ ડેમજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક ઉમેદવારોએ તેમની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે ઘોટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. સ્મૃતિ ઈરાની પણ હાલ ગુજરાતના પ્રવાસે છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.