Congress-AAP ગઠબંધન બાદ Gujarat આવશે Rahul Gandhi, Bharat Jodo Nyay Yatraના રૂટ પરથી જાણો કે કોંગ્રેસનું ફોક્સ કઈ બેઠકો પર વધારે છે!


  • Published By :
  • Published Date : 2024-02-27 09:59:06

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે જેમાં અનેક રાજ્યોની લોકસભા સીટ કવર થઈ જાય. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. 7મી માર્ચથી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર કોંગ્રેસનું વધારે ફોકસ રહ્યું છે.

ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધી, Bharat Jodo Nyaya Yatra Rahul

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ શરૂ કરી ભારત જોડો ન્યાય યાત્રા

ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણી પંચ આને લઈ કામમાં લાગી ગઈ છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ રણનીતિ સાથે પાર્ટી આગળ વધી રહી છે. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજનીતિ ચાલુ થઈ ગઈ છે તે આપણે જાણીએ છીએ. થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી તે બાદ હવે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. ભારત જોડો ન્યાય યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. અનેક બેઠકો પરથી આ યાત્રા પસાર થાય તેવી રણનીતિ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાતમાંથી પણ આ યાત્રા પસાર થવાની છે. દક્ષિણ ગુજરાતમાં આવતી લોકસભા બેઠકો પર કોંગ્રેસ વધારે ધ્યાન આપી રહી છે. 


દક્ષિણ અને મધ્ય ગુજરાતની બેઠકો પર કોંગ્રેસનું ફોક્સ!

મળતી માહિતી અનુસાર ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની છે. 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પ્રવેશ કરવાની છે અને પાંચ દિવસ આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરવાની છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને ત્યાં આવતી બેઠકો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર કોંગ્રેસ ટાર્ગેટ રાખી રહી છે. 


ગઠબંધન થતા ચૈતર વસાવા જોડાઈ શકે છે ભારત જોડો ન્યાય યાત્રામાં!

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. સીટોને લઈ વહેંચણી થઈ ગઈ છે જે અંતર્ગત આપ ભરૂચ તેમજ ભાવનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે કોંગ્રેસ બાકીના 24 સીટો પર  ઉમેદવાર ઉતારશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગઠબંધન થયા બાદ આપના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આ યાત્રામાં સામેલ થઈ શકે છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે તો ભાજપે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.    

  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.