ધમધમતા શહેર અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ:દિવાળી પછી રસ્તા સૂમસામ જોવા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-10-26 09:45:00

ગુજરાતમાં આજે લોકો ઉલ્લાસભેર બેસતા વર્ષની ઉજવણી કરશે. કોરોના મહામારી પછી આ વર્ષે લોકોમાં તહેવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો દિવાળી પછી પોતાના વતન જતા રહ્યા છે, જ્યાં પરિવારના અન્ય સભ્યો સાથે મળીને આગળના તહેવારો ઉજવશે. આ સિવાય અમદાવાદથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે ફરવા માટે પણ ઉપડી ગયા છે.


નવરાત્રિ હોય કે દિવાળી, બે વર્ષથી લોકોએ તમામ તહેવારો કોરોના મહામારીને કારણે પોતાના ઘરે બેસીને પસાર કર્યા હતા. તહેવારોમાં લોકો એકબીજાના ઘરે જાય, પરિવાર સાથે ફરવા જાય, મિત્રોની મુલાકાત કરે, પરંતુ કોરોના મહામારીને કારણે જાણે તહેવારોની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે તમામ નિયંત્રણો હટી ગયા છે ત્યારે આ વર્ષે લોકો હોંશેહોંશે તહેવારની ઉજવણી કરી રહ્યા છે. અમદાવાદના બજારોમાં દિવાળી પહેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રસ્તાઓ પર પણ રોનક જોવા મળી રહી હતી. રજાઓનો લાભ લઈને લોકોએ ફરવા જવાના પ્લાન પણ બનાવ્યા છે. મોટાભાગના ફરવાલાયક સ્થળોએ હોટલો ઘણાં સમય પહેલાથી જ બૂક થઈ ગઈ હતી.

Ahmedabad Night Walk (2 Hours Guided Walking Tour) | India

ઉલ્લેખનીય છે કે લોકો ધનતેરસના દિવસે અથવા તો દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે. અમદાવાદ શહેરમાં દિવાળીની સાંજથી જ જાણે સન્નાટો છવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. રસ્તા પર ચોક્કસપણે સામાન્ય અવરજવર છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકોની ચહલપહલ જણાઈ નથી રહી. કાંકરિયા, લો ગાર્ડન વગેરે સ્થળોએ પણ સામાન્ય ભીડ જ જોવા મળી હતી. તેનું કારણ એ છે કે, મોટી સંખ્યામાં લોકો ચોપડા પૂજન પછી બેસતા વર્ષની ઉજવણી કરવા પોતાના વતન જવા નીકળી ગયા હતા.

Sabarmati Riverfront Ahmedabad: Information, Events and Much More

આપણે સૌ જાણીએ છીએ કે શહેરમાં વસતા મોટાભાગના લોકોના સ્વજનો ગુજરાતના અન્ય સ્થળોએ જેમ કે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાં વસતા હોય છે. આખું વર્ષ પોતાના વ્યસ્ત જીવનથી કંટાળેલા શહેરીજનો વતન જઈને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાને પ્રાથમિકતા આપતા હોય છે. જેના કારણે અમદાવાદના રસ્તા ભેંકાર બન્યા હતા. આ સિવાય ઘણાં લોકો પરિવાર અથવા મિત્રો સાથે રાજસ્થાન, મુંબઈ, ગોવા વગેરે જેવા ફરવાલાયક સ્થળોએ પહોંચી ગયા છે. આટલુ જ નહીં, ધાર્મિક સ્થળો પણ હાઉસફૂલ થઈ ગયા છે.

Night Curfew relaxation in 8 metros of Gujarat during Diwali -

નોંધનીય છે કે વેપારીઓ ધનતેરસ અથવા દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજા કરે છે અને ત્યારપછી લાભપાંચમ અથવા સાતમ સુધી રજા રાખતા હોય છે. મોટાભાગની દુકાનો સાતમ પછી જ ખુલતી હોય છે. કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી બજારમાં પણ મંદી રહી હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થઈ જતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.