ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ બાદ વિશ્વભરના શેરબજારોમાં તરખાટ


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-07 14:42:58

આજે સવારથી જ વિશ્વભરના શેરબજારોમાં જોરદાર ગિરાવટ જોવા મળી છે. કેહવાઈ રહ્યું છે કે , ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પછી વિશ્વભરની સપ્લાય ચેન પર ખુબ મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સીધી અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે. તો હવે ચાઇના પછી યુરોપીઅન યુનિયન અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાડે તેવી સંભાવના છે. વાત કરીએ ઇઝરાયેલની તો , તેણે યુનાઇટેડ કિંગડમના બે સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશતા રોકવામાં આવ્યા છે સાથે જ તેમને ડિટેઇન કરી લેવાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ વિસ્ફોટ"ની અસર હવે વિશ્વભરના શેરબજારોમાં દેખાઈ રહી છે. સૌપ્રથમ વાત કરીએ આપણા ભારતીય શેરબજારની તો આજે સેન્સેક્સ ૩૦૦૦થી વધુ ડાઉન ગયો છે. નિફ્ટી ૧૧૦૦ જેટલો ગગડ્યો છે. વાત કરીએ અન્ય દેશોના બજારોની તો ,  જાપાનમાં ૬ ટકા , કોરિયાનું માર્કેટ ૪.૫ ટકા , ચીનનું માર્કેટ ૬.૫ ટકા , હોંગકોંગમાં ૧૦ ટકાથી નીચેની ગિરાવટ છે . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે જયારે પત્રકારોએ આ વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે , " તમારો સવાલ જ બોગસ છે. હું કોઈ પણ વસ્તુને ડાઉન કરવામાં માનતો નથી . જોકે કોઈક વાર તમારે સાજા થવા માટે દવા લેવી પડે છે . " 

Vietnam, US firms sign MoUs during Donald Trump's visit - World News | The  Financial Express
એપ્રિલની ૩ જી તારીખ પર ડોનાલ્ડ ટ્રમ્પએ મોટાભાગના દેશો પર રેસિપ્રોકલ એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લગાડ્યા છે. તેની સૌપ્રથમ અસર અમેરિકાના વૉલ સ્ટ્રીટ માર્કેટ પર પડી હતી. કોરોના પછી પ્રથમવાર ડાઉ જોન્સમાં શુક્રવારના રોજ ૨૨૩૧ પોઇન્ટ એટલેકે ૫.૫ ટકા ગિરાવટ જોવા મળી હતી. જોકે ભારતનું વલણ સ્પષ્ટ છે તે કોઈ પણ કાઉન્ટર ટેરિફ અમેરિકા પર નઈ નાખે . ભારતની અમેરિકાની સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારોને લઇને ચર્ચા ચાલુ જ છે. જે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થશે. સંભાવના છે કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જયારે ક્વૉડ દેશોની સમિટમાં ભાગ લેવા ભારત આવે ત્યારે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર બેઉ દેશો વચ્ચે હસ્તાક્ષર થઈ શકે છે. વાત કરીએ યુરોપની , યુરોપીઅન યુનિયન અમેરિકા પર ૨૮ બિલિયન ડોલરના કાઉન્ટર ટેરિફ લગાવી શકે છે. અમેરિકા પર આ અગાઉ કેનેડા અને ચાઇનાએ કાઉંટર ટેરિફ લગાડેલા છે. હવે યુરોપીઅન યુનિયન પણ આ કાઉંટર ટેરિફની ક્લબમાં શામિલ થઇ ગયું છે. વાત કરીએ યુરોપીઅન યુનિયનના ૨૭ દેશો પર અમેરિકાએ ૩જી એપ્રિલના રોજ ૨૦ ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાડેલા છે.  બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને યુરોપ ખુબ મહત્વના ભાગીદાર છે. આટલુંજ નહિ ગયિકાલે જ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માણસ ઈલોન મસ્કે અમેરિકા અને યુરોપ વચ્ચે ફ્રી ટ્રેડ ઝોનની વાત કરી હતી એટલે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ કરતા અલગ સુર અપનાવ્યો છે. 

Member state of the European Union - Wikipedia

હવે વાત કરીએ યુનાઇટેડ કિંગ્ડમ અને ઇઝરાયલની તો , આ બેઉ દેશો વચ્ચે રાજદ્વારી સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટી અને તેના બે સાંસદ યુઆન યાન્ગ અને અબત્તિસમ મોહમ્મદ , આ બેઉ જણ પાર્લિયામેંટ્રી ડેલિગેશનના ભાગ રૂપે ઇઝરાયેલની મુલાકાતે પહોંચ્યા હતા . પણ આ બેઉ બ્રિટિશ લેબર સાંસદોને ઇઝરાયેલમાં પ્રવેશ નહોતો અપાયો અને આ સાથે જ તેમને ડિટેન કરીને બ્રિટન પાછા ડિપોર્ટ કરી દેવાયા છે. જોકે ઇઝરાયેલ તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી કે આ બેઉ સાંસદો હેટ સ્પીચ ફેલાવવા માંગતા હતા . આપને જણાવી દયિકે હાલમાં વર્તમાન બ્રિટિશ સરકાર ગાઝામાં સીઝફાયર ઈચ્છે છે . એટલે , ઇઝરાયલ આ બાબતે સહેમત ના હોઈ શકે . 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.