ફ્લિપકાર્ટ બાદ હવે મીશોની કમાલ!! ગ્રાહકે ડ્રોન કેમેરાનો ઓર્ડર આપેલો, મોકલી દીધા 10 બટાકા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:46:48

નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે. આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે


અગાઉ દિલ્હીના એક ગ્રાહકે લેપટોપ મંગાવેલું તો ડિટર્જન્ટનું પેકેટ મળેલું
જોકે આ ઘટનામાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી
ડિલિવરી એક્ઝિક્યુટીવે કહ્યું-આ ભૂલ કંપનીની છે


ભારતમાં તહેવારોની સિઝન આવી ચુકી છે અને ઓનલાઈન વેબસાઈટ શાનદાર ઓફર્સ લઈને આવી રહી છે. ઓનલાઈન કંપનીઓ માટે સેલ્સ સિઝનમાં ગ્રાહકો સારી ઓફર મેળવવા શોપિંગ વેબસાઈટ્સ પર પણ જઈ રહ્યા છે, જોકે કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડીની ઘટના પણ બની રહી છે. તાજેતરમાં દિલ્હીમાં એક વ્યક્તિએ લેપટોપને બદલે ડિટર્જન્ટ મળ્યો હતો. હવે આવી જ એક ઘટના બિહારમાંથી સામે આવી છે. નાલંદાના પરવલપુરમાં એક વ્યક્તિએ મીશો પાસેથી ડ્રોન કેમેરો મંગાવ્યો હતો, પણ તેને બટાકાથી ભરેલું બોક્સ મળ્યું છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો.


બિહારમાં એક વ્યક્તિએ મીશો એપ (Meesho App) પર ડ્રોન માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર સફળતાપૂર્વક રજૂ કર્યાં બાદ ગ્રાહક પાસે નિયત તારીખે ડિલિવરી બોય પેકેટ લઈને આવ્યો હતો. પણ જ્યારે આ પેકેટ ખોલવામાં આવ્યું તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે એક કીલો બટાકા નિકળ્યા હતા. આ ગ્રાહકે પેકેટને અનપેક્ડ કરવાનો સંપૂર્ણ વિડિયો તૈયાર કર્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ડ્રોનના પેકેટમાંથી નિકળ્યા 10 બટાકા


અહેવાલ પ્રમાણે નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે.


મીશોના એક્ઝિક્યુટીવે કર્યો દાવો

Exclusive: Meesho forays into grocery and FMCG with a long term strategy

ગ્રાહકે ડ્રોન માટે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ડ્રોન માટેનું પેકેટ ખોલતા તેમાંથી બટાકા નિકળ્યા હતા. ત્યારબાદ ડિલિવરી કરવા આવેલા મીશો એક્ઝિક્યુટીવને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. જે વિડિયોમાં જોઈ શકાય છે. ડિલિવરી એક્ઝિક્યુટીવે દાવો કર્યો છે કે આ ઘટનામાં તેની કોઈ જ સંડોવલણી નથી. પણ મીશો આ છેતરપિંડીમાં સામેલ છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.