ફ્લિપકાર્ટ બાદ હવે મીશોની કમાલ!! ગ્રાહકે ડ્રોન કેમેરાનો ઓર્ડર આપેલો, મોકલી દીધા 10 બટાકા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:46:48

નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે. આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે


અગાઉ દિલ્હીના એક ગ્રાહકે લેપટોપ મંગાવેલું તો ડિટર્જન્ટનું પેકેટ મળેલું
જોકે આ ઘટનામાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી
ડિલિવરી એક્ઝિક્યુટીવે કહ્યું-આ ભૂલ કંપનીની છે


ભારતમાં તહેવારોની સિઝન આવી ચુકી છે અને ઓનલાઈન વેબસાઈટ શાનદાર ઓફર્સ લઈને આવી રહી છે. ઓનલાઈન કંપનીઓ માટે સેલ્સ સિઝનમાં ગ્રાહકો સારી ઓફર મેળવવા શોપિંગ વેબસાઈટ્સ પર પણ જઈ રહ્યા છે, જોકે કેટલાક કિસ્સામાં તેમની સાથે છેતરપિંડીની ઘટના પણ બની રહી છે. તાજેતરમાં દિલ્હીમાં એક વ્યક્તિએ લેપટોપને બદલે ડિટર્જન્ટ મળ્યો હતો. હવે આવી જ એક ઘટના બિહારમાંથી સામે આવી છે. નાલંદાના પરવલપુરમાં એક વ્યક્તિએ મીશો પાસેથી ડ્રોન કેમેરો મંગાવ્યો હતો, પણ તેને બટાકાથી ભરેલું બોક્સ મળ્યું છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો.


બિહારમાં એક વ્યક્તિએ મીશો એપ (Meesho App) પર ડ્રોન માટે ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર સફળતાપૂર્વક રજૂ કર્યાં બાદ ગ્રાહક પાસે નિયત તારીખે ડિલિવરી બોય પેકેટ લઈને આવ્યો હતો. પણ જ્યારે આ પેકેટ ખોલવામાં આવ્યું તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે એક કીલો બટાકા નિકળ્યા હતા. આ ગ્રાહકે પેકેટને અનપેક્ડ કરવાનો સંપૂર્ણ વિડિયો તૈયાર કર્યો છે અને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ડ્રોનના પેકેટમાંથી નિકળ્યા 10 બટાકા


અહેવાલ પ્રમાણે નાલંદા પરવલપુરના રહેવાસી ચેતન કુમાર સાથે છેતરપિંડીની આ ઘટના બની છે. વાયરલ વિડિયોની વાત કરવામાં આવે તો તેમા ગ્રાહક મીશો ડિલીવરી એક્ઝિક્યુટીવને પાર્સલ રિસીવ કરતી વખતે અનબોક્સ કરતા દેખાય છે. ડિલીવરી બોય પાર્સલ ખોલે છે, તો તેમાંથી ડ્રોન કેમેરાને બદલે 10 બટાકા દેખાય છે.


મીશોના એક્ઝિક્યુટીવે કર્યો દાવો

Exclusive: Meesho forays into grocery and FMCG with a long term strategy

ગ્રાહકે ડ્રોન માટે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. ડ્રોન માટેનું પેકેટ ખોલતા તેમાંથી બટાકા નિકળ્યા હતા. ત્યારબાદ ડિલિવરી કરવા આવેલા મીશો એક્ઝિક્યુટીવને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા. જે વિડિયોમાં જોઈ શકાય છે. ડિલિવરી એક્ઝિક્યુટીવે દાવો કર્યો છે કે આ ઘટનામાં તેની કોઈ જ સંડોવલણી નથી. પણ મીશો આ છેતરપિંડીમાં સામેલ છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .