ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ ચૂંટણીના રાજકારણને અલવિદા કહી દીધું..! જે.પી.નડ્ડાને લખ્યો પત્ર અને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-03-02 16:40:17

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. એવા તુક્કાઓ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપ અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવા માટે મોકો આપી શકે છે. અનેક સાંસદોના નામ કપાઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારે આજે સવારે ગૌતમ ગંભીર દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈ રાજનીતિના બજારમાં ચર્ચાઓ થવા લાગી. જે પોસ્ટ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી તે પરથી લાગતું હતું કે રાજનીતિથી સંન્યાસ લઈ શકે છે ત્યારે વધુ એક ભાજપના સાંસદે ચૂંટણીની ફરજોમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે. જયંત સિંહાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પત્ર લખ્યો છે અને તેમને તેમના રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવાની અપીલ કરી હતી. 

વધુ એક સાંસદે ચૂંટણીથી દૂર રાખવા અપીલ કરી!

ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કયા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતારે છે તેને લઈ સસ્પેન્સ છે કારણ કે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે ભાજપ ફેમસ છે. નવા ઉમેદવારોને ચૂંટણી લડાવી શકે છે ભાજપ તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક તરફ ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે તો બીજી તરફ અનેક સાંસદો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આજે સવારે દિલ્હીના સાંસદ તરીકે ચૂંટાયેલા ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને પત્ર લખ્યો હતો અને તેમને રાજનીતિની જવાબદારીમાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી. 

સવારે ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી આવી ટ્વિટ!

ત્યારે  ફરી એક ભાજપના સાંસદ જયંત સિન્હાએ જે.પી,નડ્ડાને પત્ર લખ્યો છે, તેમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણીના કાર્યભારથી તેમને મુક્ત કરવામાં આવે જેથી કરી હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીય કરી શકું. મહત્વનું છે કે આજે સવારે જ ગૌતમ ગંભીર દ્વારા પણ આવી ટ્વિટ કરવામાં આવી છે. એક સાથે આવા ટ્વિટ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .