ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ ચૂંટણીના રાજકારણને અલવિદા કહી દીધું..! જે.પી.નડ્ડાને લખ્યો પત્ર અને કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-03-02 16:40:17

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી શકે છે. એવા તુક્કાઓ લગાવવામાં આવી રહ્યા છે કે ભાજપ અનેક નવા ચહેરાઓને ચૂંટણી લડવા માટે મોકો આપી શકે છે. અનેક સાંસદોના નામ કપાઈ શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારે આજે સવારે ગૌતમ ગંભીર દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેને લઈ રાજનીતિના બજારમાં ચર્ચાઓ થવા લાગી. જે પોસ્ટ ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી તે પરથી લાગતું હતું કે રાજનીતિથી સંન્યાસ લઈ શકે છે ત્યારે વધુ એક ભાજપના સાંસદે ચૂંટણીની ફરજોમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે. જયંત સિંહાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પત્ર લખ્યો છે અને તેમને તેમના રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવાની અપીલ કરી હતી. 

વધુ એક સાંસદે ચૂંટણીથી દૂર રાખવા અપીલ કરી!

ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કયા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતારે છે તેને લઈ સસ્પેન્સ છે કારણ કે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે ભાજપ ફેમસ છે. નવા ઉમેદવારોને ચૂંટણી લડાવી શકે છે ભાજપ તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક તરફ ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરી શકે છે તો બીજી તરફ અનેક સાંસદો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આજે સવારે દિલ્હીના સાંસદ તરીકે ચૂંટાયેલા ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને પત્ર લખ્યો હતો અને તેમને રાજનીતિની જવાબદારીમાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી. 

સવારે ગૌતમ ગંભીર દ્વારા કરવામાં આવી હતી આવી ટ્વિટ!

ત્યારે  ફરી એક ભાજપના સાંસદ જયંત સિન્હાએ જે.પી,નડ્ડાને પત્ર લખ્યો છે, તેમાં તેમણે જણાવ્યું છે કે ચૂંટણીના કાર્યભારથી તેમને મુક્ત કરવામાં આવે જેથી કરી હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીય કરી શકું. મહત્વનું છે કે આજે સવારે જ ગૌતમ ગંભીર દ્વારા પણ આવી ટ્વિટ કરવામાં આવી છે. એક સાથે આવા ટ્વિટ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.