Geniben Thakor બાદ વાવ વિધાનસભા બેઠકના કોણ બનશે ઉમેદવાર? ઉમેદવારને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યા સંકેત?


  • Published By :
  • Published Date : 2024-07-31 13:31:55

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી સ્વાભાવિક સવાલ હતો કે વાવની પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરી ત્યાં જાતિગત રાજનીતિ થશે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જોકે ઉમેદવાર કોણ હશે એ પત્તું ગેનીબેન ઠાકોરએ ખોલી દીધું છે. 

એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે... 

ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ બનશે તે સવાલ દરેકના મનમાં હતો. વાવ વિધાનસભાની પેટા ચુંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે બધાનું અનુમાન હતું કે ફરી ત્યાં ઠાકોર અને ચૌધરીવાળું જાતિગત સમીકરણ ચાલશે. જોકે ધીરે ધીરે વાત વાતમાં એ વાત જાહેર થતી જાય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે કેમ કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને સાનમાં સમજાવ્યું અને લોકોને કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણએ ઋણ ચૂકકવવાનો વારો આવ્યો છે.  



ગુલાબસિંહ હોઈ શકે છે વાવ બેઠક માટે ઉમેદવાર 

ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાનાં ગામડાં ફરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે જોવા મળતા હતા. જે નેતાની વાત થઈ રહી છે તે નેતા હતા ગુલાબસિંહ રાજપૂત. જેમની ગળથૂથીમાં રાજકારણ છે. એટલે હવે ગેનીબેને જ્યારે એવું કીધું છે કે બીજા સમાજનો ઋણ ચૂકકવાનો છે ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ લાગે છે કે એ ચૂંટણી લડી શકે છે અને બીજું નામ જે ચર્ચામાં છે એ છે કે.પી.ગઢવી જેમણે લોકસભામાં ખૂબ મેહનત કરી તો હવે પરદા પાછળ કોનું નામ સામે આવે છે તે જોવાનું રહ્યું..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.