Geniben Thakor બાદ વાવ વિધાનસભા બેઠકના કોણ બનશે ઉમેદવાર? ઉમેદવારને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યા સંકેત?


  • Published By :
  • Published Date : 2024-07-31 13:31:55

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી સ્વાભાવિક સવાલ હતો કે વાવની પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરી ત્યાં જાતિગત રાજનીતિ થશે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જોકે ઉમેદવાર કોણ હશે એ પત્તું ગેનીબેન ઠાકોરએ ખોલી દીધું છે. 

એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે... 

ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ બનશે તે સવાલ દરેકના મનમાં હતો. વાવ વિધાનસભાની પેટા ચુંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે બધાનું અનુમાન હતું કે ફરી ત્યાં ઠાકોર અને ચૌધરીવાળું જાતિગત સમીકરણ ચાલશે. જોકે ધીરે ધીરે વાત વાતમાં એ વાત જાહેર થતી જાય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે કેમ કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને સાનમાં સમજાવ્યું અને લોકોને કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણએ ઋણ ચૂકકવવાનો વારો આવ્યો છે.  



ગુલાબસિંહ હોઈ શકે છે વાવ બેઠક માટે ઉમેદવાર 

ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાનાં ગામડાં ફરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે જોવા મળતા હતા. જે નેતાની વાત થઈ રહી છે તે નેતા હતા ગુલાબસિંહ રાજપૂત. જેમની ગળથૂથીમાં રાજકારણ છે. એટલે હવે ગેનીબેને જ્યારે એવું કીધું છે કે બીજા સમાજનો ઋણ ચૂકકવાનો છે ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ લાગે છે કે એ ચૂંટણી લડી શકે છે અને બીજું નામ જે ચર્ચામાં છે એ છે કે.પી.ગઢવી જેમણે લોકસભામાં ખૂબ મેહનત કરી તો હવે પરદા પાછળ કોનું નામ સામે આવે છે તે જોવાનું રહ્યું..  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.