Geniben Thakor બાદ વાવ વિધાનસભા બેઠકના કોણ બનશે ઉમેદવાર? ઉમેદવારને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યા સંકેત?


  • Published By :
  • Published Date : 2024-07-31 13:31:55

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી સ્વાભાવિક સવાલ હતો કે વાવની પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરી ત્યાં જાતિગત રાજનીતિ થશે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જોકે ઉમેદવાર કોણ હશે એ પત્તું ગેનીબેન ઠાકોરએ ખોલી દીધું છે. 

એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે... 

ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ બનશે તે સવાલ દરેકના મનમાં હતો. વાવ વિધાનસભાની પેટા ચુંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે બધાનું અનુમાન હતું કે ફરી ત્યાં ઠાકોર અને ચૌધરીવાળું જાતિગત સમીકરણ ચાલશે. જોકે ધીરે ધીરે વાત વાતમાં એ વાત જાહેર થતી જાય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે કેમ કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને સાનમાં સમજાવ્યું અને લોકોને કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણએ ઋણ ચૂકકવવાનો વારો આવ્યો છે.  



ગુલાબસિંહ હોઈ શકે છે વાવ બેઠક માટે ઉમેદવાર 

ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાનાં ગામડાં ફરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે જોવા મળતા હતા. જે નેતાની વાત થઈ રહી છે તે નેતા હતા ગુલાબસિંહ રાજપૂત. જેમની ગળથૂથીમાં રાજકારણ છે. એટલે હવે ગેનીબેને જ્યારે એવું કીધું છે કે બીજા સમાજનો ઋણ ચૂકકવાનો છે ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ લાગે છે કે એ ચૂંટણી લડી શકે છે અને બીજું નામ જે ચર્ચામાં છે એ છે કે.પી.ગઢવી જેમણે લોકસભામાં ખૂબ મેહનત કરી તો હવે પરદા પાછળ કોનું નામ સામે આવે છે તે જોવાનું રહ્યું..  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.