Geniben Thakor બાદ વાવ વિધાનસભા બેઠકના કોણ બનશે ઉમેદવાર? ઉમેદવારને લઈ ગેનીબેન ઠાકોરે આપ્યા સંકેત?


  • Published By :
  • Published Date : 2024-07-31 13:31:55

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર જીત્યા ત્યારથી સ્વાભાવિક સવાલ હતો કે વાવની પેટા ચુંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરી ત્યાં જાતિગત રાજનીતિ થશે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જોકે ઉમેદવાર કોણ હશે એ પત્તું ગેનીબેન ઠાકોરએ ખોલી દીધું છે. 

એક સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે... 

ગેનીબેન ઠાકોર બાદ વાવ વિધાનસભાના ધારાસભ્ય કોણ બનશે તે સવાલ દરેકના મનમાં હતો. વાવ વિધાનસભાની પેટા ચુંટણી લડવા કોંગ્રેસના ઘણા નેતાઓ થનગની રહ્યા છે. ત્યારે બધાનું અનુમાન હતું કે ફરી ત્યાં ઠાકોર અને ચૌધરીવાળું જાતિગત સમીકરણ ચાલશે. જોકે ધીરે ધીરે વાત વાતમાં એ વાત જાહેર થતી જાય છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે કેમ કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને સાનમાં સમજાવ્યું અને લોકોને કહ્યું કે લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણએ ઋણ ચૂકકવવાનો વારો આવ્યો છે.  



ગુલાબસિંહ હોઈ શકે છે વાવ બેઠક માટે ઉમેદવાર 

ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાનાં ગામડાં ફરી રહ્યાં હતાં ત્યારે કોંગ્રેસના એક નેતા પડછાયાની માફક તેમની સાથે જોવા મળતા હતા. જે નેતાની વાત થઈ રહી છે તે નેતા હતા ગુલાબસિંહ રાજપૂત. જેમની ગળથૂથીમાં રાજકારણ છે. એટલે હવે ગેનીબેને જ્યારે એવું કીધું છે કે બીજા સમાજનો ઋણ ચૂકકવાનો છે ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ લાગે છે કે એ ચૂંટણી લડી શકે છે અને બીજું નામ જે ચર્ચામાં છે એ છે કે.પી.ગઢવી જેમણે લોકસભામાં ખૂબ મેહનત કરી તો હવે પરદા પાછળ કોનું નામ સામે આવે છે તે જોવાનું રહ્યું..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .