ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ AMC એક્શનમાં, રખડતા ઢોર, રસ્તા અને પાર્કિગની સમસ્યા મામલે રજુ કર્યો એક્શન ટેકન રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-11-06 16:50:41

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ લોકોની સમસ્યાને હાઈકોર્ટે સાંભળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. જો કે તેમ છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટે ફરી એક વખત ફટકાર લગાવી હતી. આખરે મ્યુનિસિપલ તંત્ર આળસ ખંખેરી કામે લાગ્યું હતું. AMC તંત્રએ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મુદ્દે કરેલી કાર્યવાહીનો એક્શન ટેકન રિપોર્ટ આજે હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં છેલ્લા બે મહિના દરમિયાન કરાયેલી કાર્યવાહીનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં રખડતા ઢોર ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, બિસ્માર રસ્તા સહિતના મુદ્દે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે 10 દિવસનો સમય આપ્યો હતો.


4,671 રખડતા ઢોર પકડવામાં આવ્યા


અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગની સમસ્યા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા બે મહિનામાં  AMCએ  4,671 રખડતા ઢોર પકડીને ડબ્બે પુર્યા છે. તે જ પ્રકારે ઢોર માલિકો પાસેથી પેનલ્ટીરૂપે રૂ. 34 લાખ વસુલવામાં આવ્યા છે. AMC દ્વારા 3,892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. બિસ્માર રોડ મામલે 7 ઝોન અને રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે છેલ્લા બે મહિનામાં 29,390 થી વધુ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો. માઈક્રો સરફેસિંગની કામગીરીમાં છેલ્લા બે મહિનામાં 1,096 મેટ્રિક ટનથી વધુની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રોડ પર હોય અને ટ્રાફિકને અડચણ કરતી હોય તેમાં 7 ઝોનમાં 3,340 લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા, 11,314 ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. AMCએ રજુ કરેલા એક્શન ટેકન રિપોર્ટમાં આ અંગે વિશદ જાણકારી આપવામાં આવી છે. 


કાલે થશે સુનાવણી


અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્ક થયેલા 794 વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા 18686 દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. જેમાં વહીવટી ખર્ચ પેટે 64 લાખ 75 હજારથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ની ટીમે (JET) 5818 કેસો દાખલ કર્યા છે જેમાં વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ વાળું 2300 સ્ક્વેર ફૂટ થી વધુનું દબાણ દૂર કરી પાર્કિંગ માટે જગ્યા ખોલાઈ હોવાની જાણ પણ કોર્ટને કરાઈ છે. હાઈકોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે AMC કમિશનર સહિત તમામ જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશો આપ્યા હતા જેમાં AMC કમિશનર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા જેમણે કાર્યવાહી માટે અંતિમ તક માંગી હતી અને સંબધિત કેસની સુનાવણી થોડા સમય માટે મુલતવી રાખી હતી જે બાદ હવે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.