ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ AMC એક્શનમાં, રખડતા ઢોર, રસ્તા અને પાર્કિગની સમસ્યા મામલે રજુ કર્યો એક્શન ટેકન રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-11-06 16:50:41

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ લોકોની સમસ્યાને હાઈકોર્ટે સાંભળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. જો કે તેમ છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતા હાઈકોર્ટે ફરી એક વખત ફટકાર લગાવી હતી. આખરે મ્યુનિસિપલ તંત્ર આળસ ખંખેરી કામે લાગ્યું હતું. AMC તંત્રએ અમદાવાદ શહેરમાં રખડતા ઢોર મુદ્દે કરેલી કાર્યવાહીનો એક્શન ટેકન રિપોર્ટ આજે હાઈકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં છેલ્લા બે મહિના દરમિયાન કરાયેલી કાર્યવાહીનો ચિતાર રજુ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે શહેરમાં રખડતા ઢોર ઉપરાંત ગેરકાયદે પાર્કિંગ, બિસ્માર રસ્તા સહિતના મુદ્દે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટે 10 દિવસનો સમય આપ્યો હતો.


4,671 રખડતા ઢોર પકડવામાં આવ્યા


અમદાવાદ શહેરમાં બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગની સમસ્યા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કડક કાર્યવાહી કરી છે. છેલ્લા બે મહિનામાં  AMCએ  4,671 રખડતા ઢોર પકડીને ડબ્બે પુર્યા છે. તે જ પ્રકારે ઢોર માલિકો પાસેથી પેનલ્ટીરૂપે રૂ. 34 લાખ વસુલવામાં આવ્યા છે. AMC દ્વારા 3,892 પશુઓના RFID ટેગિંગની કામગીરી કરવામાં આવી છે. બિસ્માર રોડ મામલે 7 ઝોન અને રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે છેલ્લા બે મહિનામાં 29,390 થી વધુ મેટ્રિક ટન હોટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો. માઈક્રો સરફેસિંગની કામગીરીમાં છેલ્લા બે મહિનામાં 1,096 મેટ્રિક ટનથી વધુની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર રોડ પર હોય અને ટ્રાફિકને અડચણ કરતી હોય તેમાં 7 ઝોનમાં 3,340 લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા, 11,314 ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યા છે. AMCએ રજુ કરેલા એક્શન ટેકન રિપોર્ટમાં આ અંગે વિશદ જાણકારી આપવામાં આવી છે. 


કાલે થશે સુનાવણી


અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્ક થયેલા 794 વાહનો ટોઈંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા 18686 દબાણ દૂર કરવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હોવાની માહિતી પણ કોર્ટને આપવામાં આવી છે. જેમાં વહીવટી ખર્ચ પેટે 64 લાખ 75 હજારથી વધુની રકમનો દંડ કરવામાં આવ્યો છે. વધુમાં જોઈન્ટ ઇન્ફોર્સમેન્ટ ની ટીમે (JET) 5818 કેસો દાખલ કર્યા છે જેમાં વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ વાળું 2300 સ્ક્વેર ફૂટ થી વધુનું દબાણ દૂર કરી પાર્કિંગ માટે જગ્યા ખોલાઈ હોવાની જાણ પણ કોર્ટને કરાઈ છે. હાઈકોર્ટમાં થયેલી છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે AMC કમિશનર સહિત તમામ જવાબદાર અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશો આપ્યા હતા જેમાં AMC કમિશનર અને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા જેમણે કાર્યવાહી માટે અંતિમ તક માંગી હતી અને સંબધિત કેસની સુનાવણી થોડા સમય માટે મુલતવી રાખી હતી જે બાદ હવે આવતીકાલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.