Kadi બાદ હવે Vadodara ભાજપમાં ડખા! ત્યાં Ranjan Bhatt સામે Jyoti Pandya! વડોદરાના પૂર્વ મેયરને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2024-03-14 17:50:33

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભારત દ્વારા પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. એવું માનવામાં આવતું હતું કે વડોદરાના સાંસદ રંજન ભટ્ટને રિપીટ નહીં કરવામાં આવે પરંતુ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ઉભરીને બહાર આવ્યો છે. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. પ્રેસ કોન્ફરન્સ થાય તે પહેલા જ પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી. વડોદરાના પૂર્વ મેયર અને હાલ રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપપ્રમુખ જ્યોતિ પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


વડોદરાના પૂર્વ મેયરને ભાજપ દ્વારા કરાયા સસ્પેન્ડ!

ભાજપ માટે કહેવામાં આવતું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તામાં હોય છે. પરંતુ પાર્ટીમાં ચાલતા વિખવાદ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સામે આવી રહ્યા છે. ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. તે બાદ આજે વડોદરાના પૂર્વ મેયરનું દર્દ છલકાયું હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા માટે ગઈકાલે જ પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે જે બાદ પાર્ટીના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરા બેઠક પરથી ટિકીટ માંગનાર જ્યોતિ પંડ્યાને પાર્ટીએ ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યોતિ પંડ્યા રાષ્ટ્રીય મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ હતા. તેમજ તે ગુજરાત મહિલા મોર્ચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 


રંજનબેનને ટિકીટ અપાતા જ્યોતિ પંડ્યા થયા હતા નારાજ!

વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પંડ્યાએ ઉમેદવારી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રંજનભટ્ટ અને જ્યોતિ પંડ્યા વચ્ચે વિરોધ જોવા મળી રહ્યો છે. નિવેદન આપતા પૂર્વ મેયરે કહ્યું કે  મારા સ્વભાવના વિરૂદ્ધ જઈને આ કામ કરી રહી છું. મારી વાત મોવડી મંડળ સુધી પહોંચાડવી છે. જ્યારે વડોદરા બેઠક પરથી રંજનબેનની પાર્ટીને ત્રીજીવાર અનિવાર્યતા લાગી રહી છે.  મહત્વનું છે કે ગઈકાલે નીતિન પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈ ચર્ચાઓ શાંત નથી થઈ. નીતિન પટેલના નિવેદન બાદ ધારાસભ્ય કરસનકાકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કાલે કાકા Vs કાકાનો જંગ જોવા મળ્યો હતો ત્યારે આજે બેન Vs બેનનો જંગ જોવા મળ્યો છે. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.