કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાન્ચની આતિશી પર કાર્યવાહી, ટીમ વહેલી સવારે નોટિસ આપવા પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-04 12:06:13

અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના પ્રયાસના આરોપની તપાસના સંબંધમાં મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવ્યા પછી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ હવે નોટિસ આપવા મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આતિશી ઘરે હાજર મળી ન હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કોઈ સૂચના આપ્યા વિના જ પરત ફરી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતિશીના ઓએસડીને નોટિસ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. આતિશીએ તેની કેમ્પ ઓફિસમાં સૂચના આપી કે અધિકારીઓને નોટિસ મળશે. આ પહેલા દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે- 1- લાગેલા આરોપોના પુરાવા આપો, 2- સાત ધારાસભ્યોના નામ જણાવો અને 3- તમારી પાસે જે પુરાવા છે તે આપો. જેથી તપાસ થઈ શકે.


આતિશીને નોટિસ કેમ?

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં તેમની સરકારને તોડવા માટે AAPના સાત ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ પછી દિલ્હીના મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બીજેપીએ દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે. આતિશીએ કહ્યું, 'તેણે ગયા વર્ષે AAP ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને જીતવા માટે આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.'



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.