કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાન્ચની આતિશી પર કાર્યવાહી, ટીમ વહેલી સવારે નોટિસ આપવા પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-04 12:06:13

અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના પ્રયાસના આરોપની તપાસના સંબંધમાં મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવ્યા પછી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ હવે નોટિસ આપવા મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આતિશી ઘરે હાજર મળી ન હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કોઈ સૂચના આપ્યા વિના જ પરત ફરી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતિશીના ઓએસડીને નોટિસ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. આતિશીએ તેની કેમ્પ ઓફિસમાં સૂચના આપી કે અધિકારીઓને નોટિસ મળશે. આ પહેલા દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે- 1- લાગેલા આરોપોના પુરાવા આપો, 2- સાત ધારાસભ્યોના નામ જણાવો અને 3- તમારી પાસે જે પુરાવા છે તે આપો. જેથી તપાસ થઈ શકે.


આતિશીને નોટિસ કેમ?

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં તેમની સરકારને તોડવા માટે AAPના સાત ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ પછી દિલ્હીના મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બીજેપીએ દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે. આતિશીએ કહ્યું, 'તેણે ગયા વર્ષે AAP ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને જીતવા માટે આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.'



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..