કેજરીવાલ બાદ ક્રાઈમ બ્રાન્ચની આતિશી પર કાર્યવાહી, ટીમ વહેલી સવારે નોટિસ આપવા પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-04 12:06:13

અરવિંદ કેજરીવાલના ધારાસભ્યોના હોર્સ-ટ્રેડિંગના પ્રયાસના આરોપની તપાસના સંબંધમાં મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવ્યા પછી, દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ હવે નોટિસ આપવા મંત્રી આતિષીના ઘરે પહોંચી હતી. આ દરમિયાન આતિશી ઘરે હાજર મળી ન હતી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કોઈ સૂચના આપ્યા વિના જ પરત ફરી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતિશીના ઓએસડીને નોટિસ આપવામાં આવી શકે છે. આ પહેલા પણ દિલ્હી ક્રાઈમ બ્રાંચની એક ટીમ મંત્રી આતિષીના ઘરે પણ પહોંચી હતી પરંતુ તે ચંદીગઢમાં હોવાનું જાણવા મળ્યું હતું. આતિશીએ તેની કેમ્પ ઓફિસમાં સૂચના આપી કે અધિકારીઓને નોટિસ મળશે. આ પહેલા દિલ્હી પોલીસે સીએમ ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે- 1- લાગેલા આરોપોના પુરાવા આપો, 2- સાત ધારાસભ્યોના નામ જણાવો અને 3- તમારી પાસે જે પુરાવા છે તે આપો. જેથી તપાસ થઈ શકે.


આતિશીને નોટિસ કેમ?

ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કેજરીવાલ અને આતિશીએ ભાજપ પર તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે ભાજપે દિલ્હીમાં તેમની સરકારને તોડવા માટે AAPના સાત ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે. આ પછી દિલ્હીના મંત્રી આતિશીએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે બીજેપીએ દિલ્હીમાં 'ઓપરેશન લોટસ 2.0' શરૂ કર્યું છે. આતિશીએ કહ્યું, 'તેણે ગયા વર્ષે AAP ધારાસભ્યોને પૈસાની ઓફર કરીને જીતવા માટે આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.'



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .