Loksabha Election પછી Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી એક વાર માગી માફી, કહ્યું મારા કારણે પાર્ટીને.. સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-05-08 12:13:55

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આ વખતે સૌથી વધારે જે મુદ્દાની ચર્ચા થઈ હતી તે બેઠક હતી રાજકોટ લોકસભા બેઠક.. આ બેઠકે ભાજપના અનેક નેતાઓની ઉંઘ ઉડાડી દીધી હતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું હતું અને તે બાદ ક્ષત્રિય સમાજ ભાજપ અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો.. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે... 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો હતો વિવાદ

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા મહિનાથી ચર્ચામાં રહ્યો છે. ક્ષત્રિય સમાજની માફી અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માગી છે.. વિવાદને શાંત કરવા માટે અનેક વખત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અનેક મંત્રીઓની બેઠક થઈ. એવું લાગતું કે વિવાદ શાંત થઈ શકે છે પરંતુ તેવું ના થયું.. હજી પણ આ વિવાદ ચાલી રહ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો હતો.. ત્યારે આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે.. 


પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માગી માફી   

નિવેદન આપતા તેમણે કહ્યું કે "હું ક્ષત્રિય સમાજની માંફી માંગુ છુ,મારી ભૂલના કારણે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો,મારા પક્ષનો વિરોધ થયો તે માટે હું નિમિત બન્યો,મારૂ નિવેદન વ્યકિતગત હતુ પણ પક્ષને નુકસાન થયુ. મારી ભૂલથી સાથીદારોને સહન કરવુ પડયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી.ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગુ છુ. મારી ભૂલથી જેને સહન કરવું પડયું તે તમામ માફી આપે. મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. 


માણસ માત્ર ભૂલને પાત્ર - પરષોત્તમ રૂપાલા

જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત્ત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે... ત્યારે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફ કરે છે કે નહીં તે જોવું રહ્યું.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.