Loksabha Election પછી Parshottam Rupalaએ ક્ષત્રિય સમાજની ફરી એક વાર માગી માફી, કહ્યું મારા કારણે પાર્ટીને.. સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-05-08 12:13:55

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આ વખતે સૌથી વધારે જે મુદ્દાની ચર્ચા થઈ હતી તે બેઠક હતી રાજકોટ લોકસભા બેઠક.. આ બેઠકે ભાજપના અનેક નેતાઓની ઉંઘ ઉડાડી દીધી હતી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ક્ષત્રિય સમાજને લઈ તેમણે નિવેદન આપ્યું હતું અને તે બાદ ક્ષત્રિય સમાજ ભાજપ અને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો હતો.. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે... 

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલતો હતો વિવાદ

ક્ષત્રિય સમાજ અને પરષોત્તમ રૂપાલા વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા મહિનાથી ચર્ચામાં રહ્યો છે. ક્ષત્રિય સમાજની માફી અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માગી છે.. વિવાદને શાંત કરવા માટે અનેક વખત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અનેક મંત્રીઓની બેઠક થઈ. એવું લાગતું કે વિવાદ શાંત થઈ શકે છે પરંતુ તેવું ના થયું.. હજી પણ આ વિવાદ ચાલી રહ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો હતો.. ત્યારે આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે.. 


પરષોત્તમ રૂપાલાએ ફરી એક વખત માગી માફી   

નિવેદન આપતા તેમણે કહ્યું કે "હું ક્ષત્રિય સમાજની માંફી માંગુ છુ,મારી ભૂલના કારણે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો,મારા પક્ષનો વિરોધ થયો તે માટે હું નિમિત બન્યો,મારૂ નિવેદન વ્યકિતગત હતુ પણ પક્ષને નુકસાન થયુ. મારી ભૂલથી સાથીદારોને સહન કરવુ પડયું છે. અગાઉની માફી રાજકીય રીતે લેવામાં આવી હતી.ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગુ છુ. મારી ભૂલથી જેને સહન કરવું પડયું તે તમામ માફી આપે. મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. 


માણસ માત્ર ભૂલને પાત્ર - પરષોત્તમ રૂપાલા

જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત્ત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે... ત્યારે જોવું રહ્યું કે ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાને માફ કરે છે કે નહીં તે જોવું રહ્યું.. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."