મલેશિયા બાદ હવે ઈરાનમાં પણ ભારતીયો વિઝા વગર પ્રવાસ કરી શકશે, જાણો કેટલા દેશોમાં છે Visa ફ્રી એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-12-15 15:58:55

વિદેશ પ્રવાસ કરવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ મલેશિયા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાને પણ ભારીતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. ઈરાને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ભારત સહિત 33 નવા દેશોના પ્રવાસીઓ માટે વીઝાની અનિવાર્યતા રદ્દ  કરી દીધી છે. હવે ભારતીય નાગરિકોએ ઈરાન જવા માટે વીઝા લેવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનિય છે અત્યાર સુધી વિશ્વના 57 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે.


આ દેશોમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી


ફિઝી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનીશિયા, નિયૂ, પલાઉ આઈલેન્ડ, સમાઓ, તુવાલૂ, વનુઆટૂ, ઈરાન, જોર્ડન, ઓમાન, કતર, અલ્બાનિયા, સર્વિયા, બારબાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજીયન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેકો, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, સેંન્ટ લુસિયા, લાઓસ, માલદીવ, મ્યાનમાર, નેપાલ, થાઈલેન્ડ, ટિમોર-લેસ્તે, બોલિવિયા, ગૈબોન, ગિની, બિસાઉ, મડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિયેરા લિયોન, સોમાલિયા, ટાન્ઝાનિયા, ટોગો, ટ્યૂનીશિયા, ઝિમ્બામ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, બુરૂંડી, કઝાકિસ્તાન અને અલ સાલ્વાડોર સહિતના દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. 


આ દેશમાં જવા માટે વીઝા અનિવાર્ય


વિશ્વના એવા દેશો પણ છે જ્યાં જવા માટે ભારતીયોએ વીઝા અરજી કરવી પડે છે. દુનિયાના આવા 177 દેશ છે જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો છે જે ભારતીયોને કોઈ પણ પ્રકારની તપાસ વિના કોઈને પણ વીઝા આપતા નથી. આ દેશોના વીઝા મેળવવા માટે ભારતીયોએ ખુબ રાહ જોવી પડે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.