મલેશિયા બાદ હવે ઈરાનમાં પણ ભારતીયો વિઝા વગર પ્રવાસ કરી શકશે, જાણો કેટલા દેશોમાં છે Visa ફ્રી એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-12-15 15:58:55

વિદેશ પ્રવાસ કરવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ મલેશિયા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાને પણ ભારીતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. ઈરાને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ભારત સહિત 33 નવા દેશોના પ્રવાસીઓ માટે વીઝાની અનિવાર્યતા રદ્દ  કરી દીધી છે. હવે ભારતીય નાગરિકોએ ઈરાન જવા માટે વીઝા લેવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનિય છે અત્યાર સુધી વિશ્વના 57 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે.


આ દેશોમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી


ફિઝી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનીશિયા, નિયૂ, પલાઉ આઈલેન્ડ, સમાઓ, તુવાલૂ, વનુઆટૂ, ઈરાન, જોર્ડન, ઓમાન, કતર, અલ્બાનિયા, સર્વિયા, બારબાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજીયન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેકો, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, સેંન્ટ લુસિયા, લાઓસ, માલદીવ, મ્યાનમાર, નેપાલ, થાઈલેન્ડ, ટિમોર-લેસ્તે, બોલિવિયા, ગૈબોન, ગિની, બિસાઉ, મડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિયેરા લિયોન, સોમાલિયા, ટાન્ઝાનિયા, ટોગો, ટ્યૂનીશિયા, ઝિમ્બામ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, બુરૂંડી, કઝાકિસ્તાન અને અલ સાલ્વાડોર સહિતના દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. 


આ દેશમાં જવા માટે વીઝા અનિવાર્ય


વિશ્વના એવા દેશો પણ છે જ્યાં જવા માટે ભારતીયોએ વીઝા અરજી કરવી પડે છે. દુનિયાના આવા 177 દેશ છે જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો છે જે ભારતીયોને કોઈ પણ પ્રકારની તપાસ વિના કોઈને પણ વીઝા આપતા નથી. આ દેશોના વીઝા મેળવવા માટે ભારતીયોએ ખુબ રાહ જોવી પડે છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી