મલેશિયા બાદ હવે ઈરાનમાં પણ ભારતીયો વિઝા વગર પ્રવાસ કરી શકશે, જાણો કેટલા દેશોમાં છે Visa ફ્રી એન્ટ્રી


  • Published By :
  • Published Date : 2023-12-15 15:58:55

વિદેશ પ્રવાસ કરવા ઈચ્છુક ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ મલેશિયા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાને પણ ભારીતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી દીધી છે. ઈરાને પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે ભારત સહિત 33 નવા દેશોના પ્રવાસીઓ માટે વીઝાની અનિવાર્યતા રદ્દ  કરી દીધી છે. હવે ભારતીય નાગરિકોએ ઈરાન જવા માટે વીઝા લેવાની જરૂર પડશે નહીં. ઉલ્લેખનિય છે અત્યાર સુધી વિશ્વના 57 દેશોએ ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી છે.


આ દેશોમાં ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રી


ફિઝી, માર્શલ આઈલેન્ડ, માઈક્રોનીશિયા, નિયૂ, પલાઉ આઈલેન્ડ, સમાઓ, તુવાલૂ, વનુઆટૂ, ઈરાન, જોર્ડન, ઓમાન, કતર, અલ્બાનિયા, સર્વિયા, બારબાડોસ, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, ડોમિનિકા, ગ્રેનેડા, હૈતી, જમૈકા, મોંટેસેરાટ, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેજીયન્સ, ટ્રિનિડાડ એન્ડ ટોબેકો, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ભૂટાન, સેંન્ટ લુસિયા, લાઓસ, માલદીવ, મ્યાનમાર, નેપાલ, થાઈલેન્ડ, ટિમોર-લેસ્તે, બોલિવિયા, ગૈબોન, ગિની, બિસાઉ, મડાગાસ્કર, મોરિટાનિયા, મોરેશિયસ, મોઝામ્બિક, રવાન્ડા, સેનેગલ, સેશલ્સ, સિયેરા લિયોન, સોમાલિયા, ટાન્ઝાનિયા, ટોગો, ટ્યૂનીશિયા, ઝિમ્બામ્વે, કેપ વર્ડે આઈલેન્ડ, કોમોરો આઈલેન્ડ, બુરૂંડી, કઝાકિસ્તાન અને અલ સાલ્વાડોર સહિતના દેશોમાં ભારતીયોને વીઝા ફ્રી એન્ટ્રી મળે છે. 


આ દેશમાં જવા માટે વીઝા અનિવાર્ય


વિશ્વના એવા દેશો પણ છે જ્યાં જવા માટે ભારતીયોએ વીઝા અરજી કરવી પડે છે. દુનિયાના આવા 177 દેશ છે જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા, યુરોપિયન યુનિયનના દેશો છે જે ભારતીયોને કોઈ પણ પ્રકારની તપાસ વિના કોઈને પણ વીઝા આપતા નથી. આ દેશોના વીઝા મેળવવા માટે ભારતીયોએ ખુબ રાહ જોવી પડે છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.