INDIA Allianceની બેઠકમાં Mamata Banerjee બાદ Nitish Kumar આ કારણોસર નહીં રહે હાજર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 13:30:15

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ પરિણામો પણ સામે આવી ગયા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 6 ડિસેમ્બરે બોલાવી છે. મિટીંગની ઘોષણા કરવામાં આવી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ જેવા કે મમતા બેનર્જી, નિતીશ કુમાર, અખિલેશ યાદવ સામેલ નહીં થાય. ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ નેતાઓની ગેરહાજરી જોવા મળશે તેવી વાત સામે આવી છે.

INDIA alliance logo unveiling deferred | India News - Times of India


6 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠકનું કરાયું છે આયોજન  

મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન તેમજ મિઝોરમ માટે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીએ જીત હાંસલ કરી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર તેલંગાણા આવ્યું. મિઝોરમમાં ZPMની સત્તા બનશે. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી. વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મળેલી હાર બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવ્યું છે. પરિણામ પછી મલ્લિકાર્જુન ખડગેએ બેઠકનું આયોજન કર્યું છે પરંતુ અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકથી દૂર રહેવાના છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરે મળનારી બેઠક પહેલા અનેક નેતાઓ આમાં હાજરી નહીં આપે તેવી વાત સામે આવી છે. આ નેતાઓમાં નીતિશ કુમાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ જેવા નેતાઓ હાજર નહીં રહે તેવી માહિતી સામે આવતા ઈન્ડિયા ગઠબંધનના ભવિષ્ય પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

મમતા બેનર્જીએ બેઠકને લઈ કહી આ વાત!

મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ બેઠકને લઈ જણાવ્યું કે આ બેઠક અંગે તેમને કોઈ પ્રકારની માહિતી આપવમાં નથી આવી. મમતા બેનર્જીએ મિટીંગ અંગે કહ્યું કે , 'હુ નથી જાણતો. મને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેથી મેં ઉત્તર બંગાળમાં મારો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જો અમને આ બેઠક વિશે ખબર હોત તો અમે આ કાર્યક્રમનું આયોજન ન કર્યું હોત. અમે ચોક્કસપણે તે બેઠકમાં હાજરી આપી હોત, પરંતુ અમને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મમતાના નિવેદન પર અધીર રંજન ચૌધરી બગડ્યા.

Nitish Kumar`s apology in population control remark row | હું મારી પોતાની  નિંદા કરું છું : નીતીશકુમાર

ખરાબ તબિયત હોવાને કારણે નીતિશ કુમાર નહીં રહે હાજર!

મીડિયા સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે 'તેમનો ઘમંડ ચૂંટણી પહેલા પણ એવો જ હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી, પરંતુ તેમણે લોકોને ભાજપને હરાવવા માટે વિરોધ પક્ષોને મત આપવાની અપીલ પણ કરી ન હતી. ન માત્ર મમતા બેનર્જી પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, અખિલેશ યાદવ આ બેઠકમાં સામેલ નહીં થાય તેવી માહિતી સામે આવી છે.  નીતિશ કુમારની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે તેવી માહિતી સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનમાં શરૂ થયેલા ડખાને જોતા લોકોના મનમાં સવા હશે કે શું આ સંઘ કાશીએ પહોંચશે?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.