INDIA Allianceની બેઠકમાં Mamata Banerjee બાદ Nitish Kumar આ કારણોસર નહીં રહે હાજર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-05 13:30:15

લોકસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ પરિણામો પણ સામે આવી ગયા. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનશે જ્યારે મિઝોરમમાં ZPMએ જીત હાંસલ કરી છે. પાંચ રાજ્યોના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે ઈન્ડિયા ગઠબંધનની બેઠક 6 ડિસેમ્બરે બોલાવી છે. મિટીંગની ઘોષણા કરવામાં આવી છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં દિગ્ગજ નેતાઓ જેવા કે મમતા બેનર્જી, નિતીશ કુમાર, અખિલેશ યાદવ સામેલ નહીં થાય. ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં આ નેતાઓની ગેરહાજરી જોવા મળશે તેવી વાત સામે આવી છે.

INDIA alliance logo unveiling deferred | India News - Times of India


6 ડિસેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની બેઠકનું કરાયું છે આયોજન  

મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન તેમજ મિઝોરમ માટે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ. પાંચમાંથી ત્રણ રાજ્યોમાં બીજેપીએ જીત હાંસલ કરી જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર તેલંગાણા આવ્યું. મિઝોરમમાં ZPMની સત્તા બનશે. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓએ ઈન્ડિયા ગઠબંધનની રચના કરી. વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મળેલી હાર બાદ ઈન્ડિયા ગઠબંધન એક્ટિવ મોડમાં આવ્યું છે. પરિણામ પછી મલ્લિકાર્જુન ખડગેએ બેઠકનું આયોજન કર્યું છે પરંતુ અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકથી દૂર રહેવાના છે તેવી માહિતી સામે આવી છે. 6 ડિસેમ્બરે મળનારી બેઠક પહેલા અનેક નેતાઓ આમાં હાજરી નહીં આપે તેવી વાત સામે આવી છે. આ નેતાઓમાં નીતિશ કુમાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ જેવા નેતાઓ હાજર નહીં રહે તેવી માહિતી સામે આવતા ઈન્ડિયા ગઠબંધનના ભવિષ્ય પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

મમતા બેનર્જીએ બેઠકને લઈ કહી આ વાત!

મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આ બેઠકને લઈ જણાવ્યું કે આ બેઠક અંગે તેમને કોઈ પ્રકારની માહિતી આપવમાં નથી આવી. મમતા બેનર્જીએ મિટીંગ અંગે કહ્યું કે , 'હુ નથી જાણતો. મને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેથી મેં ઉત્તર બંગાળમાં મારો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જો અમને આ બેઠક વિશે ખબર હોત તો અમે આ કાર્યક્રમનું આયોજન ન કર્યું હોત. અમે ચોક્કસપણે તે બેઠકમાં હાજરી આપી હોત, પરંતુ અમને આ બેઠક વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મમતાના નિવેદન પર અધીર રંજન ચૌધરી બગડ્યા.

Nitish Kumar`s apology in population control remark row | હું મારી પોતાની  નિંદા કરું છું : નીતીશકુમાર

ખરાબ તબિયત હોવાને કારણે નીતિશ કુમાર નહીં રહે હાજર!

મીડિયા સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે 'તેમનો ઘમંડ ચૂંટણી પહેલા પણ એવો જ હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણી હતી, પરંતુ તેમણે લોકોને ભાજપને હરાવવા માટે વિરોધ પક્ષોને મત આપવાની અપીલ પણ કરી ન હતી. ન માત્ર મમતા બેનર્જી પરંતુ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, અખિલેશ યાદવ આ બેઠકમાં સામેલ નહીં થાય તેવી માહિતી સામે આવી છે.  નીતિશ કુમારની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત નહીં રહે તેવી માહિતી સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનમાં શરૂ થયેલા ડખાને જોતા લોકોના મનમાં સવા હશે કે શું આ સંઘ કાશીએ પહોંચશે?   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.