મોદી, શાહ અને નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું, 'ઈધર-ઉધર નહીં જાયેંગે, અબ યહીં રહેગેં...'


  • Published By :
  • Published Date : 2024-02-07 22:59:16

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેડીયુ ફરી એનડીએમાં જોડાયું અને બિહારમાં ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. નીતીશ કુમારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે ભાજપ અને જેડીયુ 1995થી સાથે છે. વચ્ચે વચ્ચે, તેઓ ચોક્કસપણે અહીં અને ત્યાં જતા રહ્યા હતા પણ હવે તેઓ ક્યાય નહીં જાય. હવે તેઓ અહીં-તહીં નહીં જાય. સીટોની વહેંચણીના પ્રશ્ન પર નીતિશે કહ્યું કે આના પર ચર્ચા કરવાનો કોઈ તર્ક નથી. આ થઈ જશે. તેઓ શરૂઆતથી જ આ બધું જાણે છે.


નીતિશ 28 જાન્યુઆરીએ NDAમાં જોડાયા હતા


નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ ફરી એનડીએમાં જોડાયા હતા. RJD છોડવાની સાથે તેમણે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી, તેમણે કહ્યું હતું કે, અમે ખૂબ મહેનત કરી રહ્યા હતા અને તમામ શ્રેય અન્ય (RJD) લઈ રહ્યા હતા. હવે નવા જોડાણમાં જઈ રહ્યા છીએ. રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નીતીશ બીજેપીના સમર્થનથી ફરી મુખ્યમંત્રી બન્યા હતા. સીએમ પદના શપથ લીધા બાદ નીતિશે કહ્યું, 'હું પહેલા પણ તેમની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. હું જ્યાં (NDA)માં હતો ત્યાં ફરી પાછો આવી ગયો છું  અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.'' મુખ્યમંત્રી હતા ત્યારે નીતિશનો આ ચોથો યુ-ટર્ન હતો. તેમણે ઓગસ્ટ 2022માં ભાજપ છોડી દીધું હતું. અને બે વર્ષથી ઓછા સમયમાં તેઓ ફરી એનડીએમાં જોડાયા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.