મોદી, શાહ અને નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું, 'ઈધર-ઉધર નહીં જાયેંગે, અબ યહીં રહેગેં...'


  • Published By :
  • Published Date : 2024-02-07 22:59:16

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેડીયુ ફરી એનડીએમાં જોડાયું અને બિહારમાં ભાજપ સાથે સરકાર બનાવ્યા બાદ પીએમ મોદી સાથે આ તેમની પ્રથમ મુલાકાત છે. નીતીશ કુમારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે ભાજપ અને જેડીયુ 1995થી સાથે છે. વચ્ચે વચ્ચે, તેઓ ચોક્કસપણે અહીં અને ત્યાં જતા રહ્યા હતા પણ હવે તેઓ ક્યાય નહીં જાય. હવે તેઓ અહીં-તહીં નહીં જાય. સીટોની વહેંચણીના પ્રશ્ન પર નીતિશે કહ્યું કે આના પર ચર્ચા કરવાનો કોઈ તર્ક નથી. આ થઈ જશે. તેઓ શરૂઆતથી જ આ બધું જાણે છે.


નીતિશ 28 જાન્યુઆરીએ NDAમાં જોડાયા હતા


નીતીશ કુમાર 28 જાન્યુઆરીએ ફરી એનડીએમાં જોડાયા હતા. RJD છોડવાની સાથે તેમણે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી, તેમણે કહ્યું હતું કે, અમે ખૂબ મહેનત કરી રહ્યા હતા અને તમામ શ્રેય અન્ય (RJD) લઈ રહ્યા હતા. હવે નવા જોડાણમાં જઈ રહ્યા છીએ. રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નીતીશ બીજેપીના સમર્થનથી ફરી મુખ્યમંત્રી બન્યા હતા. સીએમ પદના શપથ લીધા બાદ નીતિશે કહ્યું, 'હું પહેલા પણ તેમની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. હું જ્યાં (NDA)માં હતો ત્યાં ફરી પાછો આવી ગયો છું  અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.'' મુખ્યમંત્રી હતા ત્યારે નીતિશનો આ ચોથો યુ-ટર્ન હતો. તેમણે ઓગસ્ટ 2022માં ભાજપ છોડી દીધું હતું. અને બે વર્ષથી ઓછા સમયમાં તેઓ ફરી એનડીએમાં જોડાયા છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.