Mohan Bhagwat બાદ સામે આવ્યું ઈન્દ્રેશ કુમારનું નિવેદન, કહ્યું અહંકારીઓને 241 પર રોક્યા... BJP પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:48:09

ભારતીય જનતા પાર્ટી Vs આરએસએસ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું.. તે નિવેદનમાં મોહન ભાગવત સરકારને ટકોર કરી રહ્યા હોય તેવું લાગતું.. મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત ના થઈ હતી ત્યાં આરએસએસના બીજા એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિ ગઠબંધન પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.. નામ લીધા વગર પ્રહાર કર્યા છે. 

ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે સાધ્યું નિશાન

મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત થઈ ના હતી ત્યારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેસ કુમારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી જેની પર તેમણે નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે સત્તાધારી પાર્ટીને અહંકારી તેમજ ઈન્ડિ ગઠબંધનને રામ વિરોધી ગણાવી છે. 


નિવેદન આપતા કહ્યું કે... 

જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે "પાર્ટી અહંકારી થઈ ગઈ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા" મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતામાં હતા જ્યાં  'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત તેમણે કરી હતી. બધા માટે આ ઈલેક્શન અને તેના મુદ્દા અને ઘણી બધી વસ્તુઓ સરપ્રાઈઝિંગ હતી એમાંથી એક આ વાત પણ કે જે બંને સંસ્થા એક સાથે હતી, એક બીજા માટે કામ કરતી એ હવે આમને સામને આવી ગઈ છે.



જેમને રામમાં વિશ્વાસ ના હતો... - ઈન્દ્રેશ કુમાર 

ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઈ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. તે સિવાય તેમણે આડકતરી રીતે ઈન્ડિ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને રામમાં વિશ્વાસ નહોતો. તેઓ એકસાથે 234 સુધી મર્યાદિત હતા. રામનો વિરોધ કરનારાઓમાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. એટલું બધું મળીને નંબર ટુ બનાવી દેવામાં આવ્યું. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. 




RSSના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે...

પણ આરએસએસ આ કોઈ પહેલા કાર્યકર્તા કે નેતા નથી જે ચૂંટણી બાદ ખૂલીને બોલ્યા હોય અને ભાજપ પર પ્રહાર કર્યા હોય આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં એક સભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે મણિપુરની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસ કાર્યકર્તાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ છે કે આરએસએસ ખૂલીને ભાજપ સામે મેદાને છે..  



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.