Mohan Bhagwat બાદ સામે આવ્યું ઈન્દ્રેશ કુમારનું નિવેદન, કહ્યું અહંકારીઓને 241 પર રોક્યા... BJP પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:48:09

ભારતીય જનતા પાર્ટી Vs આરએસએસ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું.. તે નિવેદનમાં મોહન ભાગવત સરકારને ટકોર કરી રહ્યા હોય તેવું લાગતું.. મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત ના થઈ હતી ત્યાં આરએસએસના બીજા એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિ ગઠબંધન પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.. નામ લીધા વગર પ્રહાર કર્યા છે. 

ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે સાધ્યું નિશાન

મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત થઈ ના હતી ત્યારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેસ કુમારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી જેની પર તેમણે નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે સત્તાધારી પાર્ટીને અહંકારી તેમજ ઈન્ડિ ગઠબંધનને રામ વિરોધી ગણાવી છે. 


નિવેદન આપતા કહ્યું કે... 

જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે "પાર્ટી અહંકારી થઈ ગઈ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા" મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતામાં હતા જ્યાં  'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત તેમણે કરી હતી. બધા માટે આ ઈલેક્શન અને તેના મુદ્દા અને ઘણી બધી વસ્તુઓ સરપ્રાઈઝિંગ હતી એમાંથી એક આ વાત પણ કે જે બંને સંસ્થા એક સાથે હતી, એક બીજા માટે કામ કરતી એ હવે આમને સામને આવી ગઈ છે.



જેમને રામમાં વિશ્વાસ ના હતો... - ઈન્દ્રેશ કુમાર 

ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઈ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. તે સિવાય તેમણે આડકતરી રીતે ઈન્ડિ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને રામમાં વિશ્વાસ નહોતો. તેઓ એકસાથે 234 સુધી મર્યાદિત હતા. રામનો વિરોધ કરનારાઓમાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. એટલું બધું મળીને નંબર ટુ બનાવી દેવામાં આવ્યું. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. 




RSSના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે...

પણ આરએસએસ આ કોઈ પહેલા કાર્યકર્તા કે નેતા નથી જે ચૂંટણી બાદ ખૂલીને બોલ્યા હોય અને ભાજપ પર પ્રહાર કર્યા હોય આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં એક સભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે મણિપુરની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસ કાર્યકર્તાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ છે કે આરએસએસ ખૂલીને ભાજપ સામે મેદાને છે..  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી