Mohan Bhagwat બાદ સામે આવ્યું ઈન્દ્રેશ કુમારનું નિવેદન, કહ્યું અહંકારીઓને 241 પર રોક્યા... BJP પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:48:09

ભારતીય જનતા પાર્ટી Vs આરએસએસ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું.. તે નિવેદનમાં મોહન ભાગવત સરકારને ટકોર કરી રહ્યા હોય તેવું લાગતું.. મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત ના થઈ હતી ત્યાં આરએસએસના બીજા એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિ ગઠબંધન પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.. નામ લીધા વગર પ્રહાર કર્યા છે. 

ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે સાધ્યું નિશાન

મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત થઈ ના હતી ત્યારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેસ કુમારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી જેની પર તેમણે નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે સત્તાધારી પાર્ટીને અહંકારી તેમજ ઈન્ડિ ગઠબંધનને રામ વિરોધી ગણાવી છે. 


નિવેદન આપતા કહ્યું કે... 

જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે "પાર્ટી અહંકારી થઈ ગઈ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા" મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતામાં હતા જ્યાં  'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત તેમણે કરી હતી. બધા માટે આ ઈલેક્શન અને તેના મુદ્દા અને ઘણી બધી વસ્તુઓ સરપ્રાઈઝિંગ હતી એમાંથી એક આ વાત પણ કે જે બંને સંસ્થા એક સાથે હતી, એક બીજા માટે કામ કરતી એ હવે આમને સામને આવી ગઈ છે.



જેમને રામમાં વિશ્વાસ ના હતો... - ઈન્દ્રેશ કુમાર 

ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઈ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. તે સિવાય તેમણે આડકતરી રીતે ઈન્ડિ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને રામમાં વિશ્વાસ નહોતો. તેઓ એકસાથે 234 સુધી મર્યાદિત હતા. રામનો વિરોધ કરનારાઓમાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. એટલું બધું મળીને નંબર ટુ બનાવી દેવામાં આવ્યું. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. 




RSSના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે...

પણ આરએસએસ આ કોઈ પહેલા કાર્યકર્તા કે નેતા નથી જે ચૂંટણી બાદ ખૂલીને બોલ્યા હોય અને ભાજપ પર પ્રહાર કર્યા હોય આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં એક સભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે મણિપુરની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસ કાર્યકર્તાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ છે કે આરએસએસ ખૂલીને ભાજપ સામે મેદાને છે..  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.