Mohan Bhagwat બાદ સામે આવ્યું ઈન્દ્રેશ કુમારનું નિવેદન, કહ્યું અહંકારીઓને 241 પર રોક્યા... BJP પર સાધ્યું નિશાન?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:48:09

ભારતીય જનતા પાર્ટી Vs આરએસએસ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, પરિણામ આવ્યા બાદ આરએસએસ વડા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું.. તે નિવેદનમાં મોહન ભાગવત સરકારને ટકોર કરી રહ્યા હોય તેવું લાગતું.. મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત ના થઈ હતી ત્યાં આરએસએસના બીજા એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ ઈન્ડિ ગઠબંધન પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.. નામ લીધા વગર પ્રહાર કર્યા છે. 

ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે સાધ્યું નિશાન

મોહન ભાગવત દ્વારા આપવામાં આવેલા નિવેદનની ચર્ચાઓ શાંત થઈ ના હતી ત્યારે આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.. આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય ઈન્દ્રેસ કુમારે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી જેની પર તેમણે નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે સત્તાધારી પાર્ટીને અહંકારી તેમજ ઈન્ડિ ગઠબંધનને રામ વિરોધી ગણાવી છે. 


નિવેદન આપતા કહ્યું કે... 

જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે "પાર્ટી અહંકારી થઈ ગઈ છે, તેથી ભગવાન રામે તેમને 241 પર રોક્યા" મોહન ભાગવત પછી આરએસએસમાં બીજા નંબર નેતા ગણાતા ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોતામાં હતા જ્યાં  'રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહ'માં આ વાત તેમણે કરી હતી. બધા માટે આ ઈલેક્શન અને તેના મુદ્દા અને ઘણી બધી વસ્તુઓ સરપ્રાઈઝિંગ હતી એમાંથી એક આ વાત પણ કે જે બંને સંસ્થા એક સાથે હતી, એક બીજા માટે કામ કરતી એ હવે આમને સામને આવી ગઈ છે.



જેમને રામમાં વિશ્વાસ ના હતો... - ઈન્દ્રેશ કુમાર 

ઈન્દ્રેશ કુમારે કોઈનું નામ લીધું ન હતું. પરંતુ કહ્યું કે ચૂંટણી પરિણામો તેમના વલણને દર્શાવે છે. તેમનામાં અહંકાર આવી ગયો હતો. તેમનો ઇશારો ભાજપ તરફ હતો. તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પહેલા ભક્તિ કરી અને ત્યારબાદ અહંકારી બની ગઈ. ભગવાન રામે તેમને 241 પર રોકી દીધા પરંતુ તેમને સૌથી મોટો પક્ષ બનાવ્યો હતો. ભગવાનનો ન્યાય સાચો અને આનંદદાયક હોય છે. તે સિવાય તેમણે આડકતરી રીતે ઈન્ડિ ગઠબંધન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને રામમાં વિશ્વાસ નહોતો. તેઓ એકસાથે 234 સુધી મર્યાદિત હતા. રામનો વિરોધ કરનારાઓમાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. એટલું બધું મળીને નંબર ટુ બનાવી દેવામાં આવ્યું. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. 




RSSના નેતાઓ ખુલીને બોલી રહ્યા છે...

પણ આરએસએસ આ કોઈ પહેલા કાર્યકર્તા કે નેતા નથી જે ચૂંટણી બાદ ખૂલીને બોલ્યા હોય અને ભાજપ પર પ્રહાર કર્યા હોય આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુરમાં એક સભાને સંબોધી હતી. પોતાના ભાષણ દરમિયાન તેમણે મણિપુરની વાત કરી હતી બાદમાં બંગાળના એક આરએસએસ કાર્યકર્તાએ ભાજપના નેતા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ છે કે આરએસએસ ખૂલીને ભાજપ સામે મેદાને છે..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.