મુંબઈના મીરા રોડ બાદ હવે મોહમ્મદ અલી રોડ પર BMCનું બુલડોઝર ફર્યું, 40 જેટલા બાંધકામો ધ્વસ્ત


  • Published By :
  • Published Date : 2024-01-25 16:10:56

મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. થાણે જિલ્લાના હૈડેયરી ચોકમાં 15 ગેરકાનુની નિર્માણો પર એક્શન બાદ હવે મીરા ભયંદર નગર નિગમે મુંબઈમાં પણ કાર્યવાહી શરૂ કરી છે. BMCની આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી છે. BMC એક અધિકારીએ કહ્યું જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે સ્ટોલ હંગામી અને ગેરકાનુની બાંધકામ છે તથા અમે  તેને કોઈ નોટિસ આપી નહોંતી અને બુધવારે સીધી કાર્યવાહી કરી છે. 


શા માટે થઈ બુલડોઝર કાર્યવાહી?


નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલું બાંધકામ ગેરકાનુની હતું. ફુટપાથ પર જગ્યા ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. બિએમસીએ ગેરકાનુની સ્ટોલ તોડી નાખ્યા છે. આ સ્ટોલ્સના કારણે પગપાળા ચાલતા લોકોને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ અમે બુધવારે સવારે કાર્યવાહી કરી અને મોહમ્મદ અલી રોડ પર ફુટપાથ પર અવરોધ કરનારા લગભગ 40 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 


 21 જાન્યુઆરીએ થયું હતું ઘર્ષણ


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 21 જાન્યુઆરીના રોજ એક રેલી દરમિયાન મીરા ભયંદર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક સમુદાયના લોકો શોભાયાત્રા કાઢી રહ્યા હતા તે દરમિયાન  બીજા સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું અને હિંસા ભડકી હતી. બાદમાં આ વિસ્તારોમાં ગેરકાનુની બાંધકામો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.