મુંબઈના મીરા રોડ બાદ હવે મોહમ્મદ અલી રોડ પર BMCનું બુલડોઝર ફર્યું, 40 જેટલા બાંધકામો ધ્વસ્ત


  • Published By :
  • Published Date : 2024-01-25 16:10:56

મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. થાણે જિલ્લાના હૈડેયરી ચોકમાં 15 ગેરકાનુની નિર્માણો પર એક્શન બાદ હવે મીરા ભયંદર નગર નિગમે મુંબઈમાં પણ કાર્યવાહી શરૂ કરી છે. BMCની આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી છે. BMC એક અધિકારીએ કહ્યું જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે સ્ટોલ હંગામી અને ગેરકાનુની બાંધકામ છે તથા અમે  તેને કોઈ નોટિસ આપી નહોંતી અને બુધવારે સીધી કાર્યવાહી કરી છે. 


શા માટે થઈ બુલડોઝર કાર્યવાહી?


નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલું બાંધકામ ગેરકાનુની હતું. ફુટપાથ પર જગ્યા ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. બિએમસીએ ગેરકાનુની સ્ટોલ તોડી નાખ્યા છે. આ સ્ટોલ્સના કારણે પગપાળા ચાલતા લોકોને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ અમે બુધવારે સવારે કાર્યવાહી કરી અને મોહમ્મદ અલી રોડ પર ફુટપાથ પર અવરોધ કરનારા લગભગ 40 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 


 21 જાન્યુઆરીએ થયું હતું ઘર્ષણ


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 21 જાન્યુઆરીના રોજ એક રેલી દરમિયાન મીરા ભયંદર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક સમુદાયના લોકો શોભાયાત્રા કાઢી રહ્યા હતા તે દરમિયાન  બીજા સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું અને હિંસા ભડકી હતી. બાદમાં આ વિસ્તારોમાં ગેરકાનુની બાંધકામો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે