મુંબઈના મીરા રોડ બાદ હવે મોહમ્મદ અલી રોડ પર BMCનું બુલડોઝર ફર્યું, 40 જેટલા બાંધકામો ધ્વસ્ત


  • Published By :
  • Published Date : 2024-01-25 16:10:56

મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. થાણે જિલ્લાના હૈડેયરી ચોકમાં 15 ગેરકાનુની નિર્માણો પર એક્શન બાદ હવે મીરા ભયંદર નગર નિગમે મુંબઈમાં પણ કાર્યવાહી શરૂ કરી છે. BMCની આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના જ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં કરવામાં આવી છે. BMC એક અધિકારીએ કહ્યું જ્યાં કાર્યવાહી કરવામાં આવી છે તે સ્ટોલ હંગામી અને ગેરકાનુની બાંધકામ છે તથા અમે  તેને કોઈ નોટિસ આપી નહોંતી અને બુધવારે સીધી કાર્યવાહી કરી છે. 


શા માટે થઈ બુલડોઝર કાર્યવાહી?


નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલું બાંધકામ ગેરકાનુની હતું. ફુટપાથ પર જગ્યા ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. બિએમસીએ ગેરકાનુની સ્ટોલ તોડી નાખ્યા છે. આ સ્ટોલ્સના કારણે પગપાળા ચાલતા લોકોને મુશ્કેલી થતી હતી. ત્યાર બાદ અમે બુધવારે સવારે કાર્યવાહી કરી અને મોહમ્મદ અલી રોડ પર ફુટપાથ પર અવરોધ કરનારા લગભગ 40 જેટલા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. 


 21 જાન્યુઆરીએ થયું હતું ઘર્ષણ


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ 21 જાન્યુઆરીના રોજ એક રેલી દરમિયાન મીરા ભયંદર વિસ્તારમાં બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. એક સમુદાયના લોકો શોભાયાત્રા કાઢી રહ્યા હતા તે દરમિયાન  બીજા સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું અને હિંસા ભડકી હતી. બાદમાં આ વિસ્તારોમાં ગેરકાનુની બાંધકામો પર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.