ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની પેહલી મિટિંગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-04 13:14:36

આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર પછી આ પેહલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે . આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે . સાથેજ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . ૯ જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે . 

Modi 3.0: Ministers were informed of their portfolios at 1st Cabinet meeting,  says report | Today News

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. આ કેબિનેટની મિટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે. સાથે જ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . કેબિનેટની આ મિટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ પર ચર્ચા કરવામાં આવશે . કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે. જળ શક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે , સરકારની પાછલા ૧૧ વર્ષની બધી જ ઉપ્લબ્ધીઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધીઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે. આ તમામ ઉપલબ્ધીઓ માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવશે. સોશ્યિલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. NDA અને UPA વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે. 

Modi Cabinet 3.0 takes big decision in first meeting, govt to construct 3  crore houses under PMAY | India News – India TV

કેન્દ્રમાં NDA સરકારને ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે , સેમિનાર્સ કરશે , જનતાની વચ્ચે જશે સાથે જ અલગ અલગ પ્રોફેશનલસની વચ્ચે જ્ઈને સરકારની ઉપલબ્ધીઓ બતાવવામાં આવશે.  સાથે જ મોદી ૩.૦માં એક વર્ષની શું ઉપલબ્ધીઓ છે જેમ કે , ઓપરેશન સિંદૂર , પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા . તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે. કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડશે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.