ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની પેહલી મિટિંગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-04 13:14:36

આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર પછી આ પેહલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે . આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે . સાથેજ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . ૯ જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે . 

Modi 3.0: Ministers were informed of their portfolios at 1st Cabinet meeting,  says report | Today News

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. આ કેબિનેટની મિટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે. સાથે જ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . કેબિનેટની આ મિટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ પર ચર્ચા કરવામાં આવશે . કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે. જળ શક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે , સરકારની પાછલા ૧૧ વર્ષની બધી જ ઉપ્લબ્ધીઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધીઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે. આ તમામ ઉપલબ્ધીઓ માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવશે. સોશ્યિલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. NDA અને UPA વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે. 

Modi Cabinet 3.0 takes big decision in first meeting, govt to construct 3  crore houses under PMAY | India News – India TV

કેન્દ્રમાં NDA સરકારને ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે , સેમિનાર્સ કરશે , જનતાની વચ્ચે જશે સાથે જ અલગ અલગ પ્રોફેશનલસની વચ્ચે જ્ઈને સરકારની ઉપલબ્ધીઓ બતાવવામાં આવશે.  સાથે જ મોદી ૩.૦માં એક વર્ષની શું ઉપલબ્ધીઓ છે જેમ કે , ઓપરેશન સિંદૂર , પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા . તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે. કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડશે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.