ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની પેહલી મિટિંગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-04 13:14:36

આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર પછી આ પેહલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે . આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે . સાથેજ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . ૯ જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે . 

Modi 3.0: Ministers were informed of their portfolios at 1st Cabinet meeting,  says report | Today News

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. આ કેબિનેટની મિટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે. સાથે જ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . કેબિનેટની આ મિટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ પર ચર્ચા કરવામાં આવશે . કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે. જળ શક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે , સરકારની પાછલા ૧૧ વર્ષની બધી જ ઉપ્લબ્ધીઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધીઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે. આ તમામ ઉપલબ્ધીઓ માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવશે. સોશ્યિલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. NDA અને UPA વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે. 

Modi Cabinet 3.0 takes big decision in first meeting, govt to construct 3  crore houses under PMAY | India News – India TV

કેન્દ્રમાં NDA સરકારને ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે , સેમિનાર્સ કરશે , જનતાની વચ્ચે જશે સાથે જ અલગ અલગ પ્રોફેશનલસની વચ્ચે જ્ઈને સરકારની ઉપલબ્ધીઓ બતાવવામાં આવશે.  સાથે જ મોદી ૩.૦માં એક વર્ષની શું ઉપલબ્ધીઓ છે જેમ કે , ઓપરેશન સિંદૂર , પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા . તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે. કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડશે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.