ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની પેહલી મિટિંગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-04 13:14:36

આજે સાંજે પાંચ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર પછી આ પેહલી બેઠક છે જે સુષ્મા સ્વરાજ ભવનમાં થવા જઈ રહી છે . આ બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે . સાથેજ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . ૯ જૂનના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે . 

Modi 3.0: Ministers were informed of their portfolios at 1st Cabinet meeting,  says report | Today News

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની પેહલી મિટિંગ મળવા જઈ રહી છે. આ કેબિનેટની મિટિંગ સુષ્મા સ્વરાજ ભવનમાં મળશે. કેબિનેટની બેઠકમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી મંત્રીઓને આપવામાં આવશે. સાથે જ ખુબ મોટા નિર્ણયો પણ લેવાઈ શકે છે . કેબિનેટની આ મિટિંગમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ પર ચર્ચા કરવામાં આવશે . કેટલાક મંત્રાલય પોતાના કામકાજ માટે પ્રેઝન્ટેશન આપશે. જળ શક્તિ મંત્રાલયની સાથે બીજા અન્ય મંત્રાલયો પણ પ્રેઝન્ટેશન થકી કેબિનેટને જાણકારી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપી છે કે , સરકારની પાછલા ૧૧ વર્ષની બધી જ ઉપ્લબ્ધીઓને જનતાની વચ્ચે લઈ જવામાં આવે . વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્દેશ પછી દરેક મંત્રાલયો પોતાની ઉપલબ્ધીઓ સૂચના અને પ્રસારણ મંત્રાલયને બતાવી રહ્યું છે. આ તમામ ઉપલબ્ધીઓ માટે એક બુકલેટ પણ બહાર પાડવામાં આવશે. સોશ્યિલ મીડિયા થકી પણ વિવિધ મંત્રાલયોને તેમની ઉપલબ્ધીઓ વિશે પ્રચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. NDA અને UPA વચ્ચે આંકડાઓ દ્વારા તુલના કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓમાં જે પણ લાભાર્થી છે તેમનો સીધો સંપર્ક કરવામાં આવશે. 

Modi Cabinet 3.0 takes big decision in first meeting, govt to construct 3  crore houses under PMAY | India News – India TV

કેન્દ્રમાં NDA સરકારને ૧૧ વર્ષ પુરા થઇ રહ્યા છે ત્યારે તમામ કેબિનેટ મંત્રીઓ અલગ અલગ જગ્યાએ રાજ્યોમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરશે , સેમિનાર્સ કરશે , જનતાની વચ્ચે જશે સાથે જ અલગ અલગ પ્રોફેશનલસની વચ્ચે જ્ઈને સરકારની ઉપલબ્ધીઓ બતાવવામાં આવશે.  સાથે જ મોદી ૩.૦માં એક વર્ષની શું ઉપલબ્ધીઓ છે જેમ કે , ઓપરેશન સિંદૂર , પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા . તેના વિશે સંપૂર્ણ જાણકારી લોકોને આપવામાં આવશે. કેબિનેટની આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.