ઓપરેશન સિંદૂર પછી , વિશ્વના દેશોએ આ રીતે આપી પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-07 19:59:09

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

Donald Trump

ઓપરેશન સિંદૂર જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે , ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંક રૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ ક્યારેય પુરી નઈ થાય . ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત ૯ સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તયબાના ઠેકાણાઓ હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની.   સૌપ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો , તેમણે વ્હાઇટહાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , " જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે સાંભળ્યું છે . મારુ અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો કે કૈંક થવાનું છે ." આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે , તમે આ બે દેશોને કઈંક કેહવા માંગશો તો , ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , "ના , મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે ." આપને જણાવી દયિકે , ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી હતી. 

UN United Nations Logo PNG vector in SVG, PDF, AI, CDR format

વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઓન્ટોનીઓ ગુટેરાસની , તેમણે આ ઓપરેશન સિંદૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે . સાથે જ બેઉ દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે કેમ કે બેઉ દેશો જોડે પરમાણુ હથિયારો છે . ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખુબ પૈસા આપતા હતા તેમાંથી UAEની પ્રતિક્રિયા આવી છે .    હવે UAE એટલેકે , યુનાઇટેડ આરબ એમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનની પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે બેઉ દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા , રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલના જે એમ્બેસેડર કે જેઓ ભારતમાં છે તેમનું નામ છે રુવેંન અઝર . તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ઇઝરાયેલ ભારતના રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે . " આ બાજુ બીજા સમાચાર એ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જેમાં તેઓ મેની ૧૩મી તારીખથી ૧૭ તારીખ સુધી ક્રોએશિયા , નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા તે કેન્સલ થયો છે.   




ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .