ઓપરેશન સિંદૂર પછી , વિશ્વના દેશોએ આ રીતે આપી પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-07 19:59:09

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

Donald Trump

ઓપરેશન સિંદૂર જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે , ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંક રૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ ક્યારેય પુરી નઈ થાય . ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત ૯ સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તયબાના ઠેકાણાઓ હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની.   સૌપ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો , તેમણે વ્હાઇટહાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , " જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે સાંભળ્યું છે . મારુ અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો કે કૈંક થવાનું છે ." આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે , તમે આ બે દેશોને કઈંક કેહવા માંગશો તો , ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , "ના , મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે ." આપને જણાવી દયિકે , ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી હતી. 

UN United Nations Logo PNG vector in SVG, PDF, AI, CDR format

વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઓન્ટોનીઓ ગુટેરાસની , તેમણે આ ઓપરેશન સિંદૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે . સાથે જ બેઉ દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે કેમ કે બેઉ દેશો જોડે પરમાણુ હથિયારો છે . ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખુબ પૈસા આપતા હતા તેમાંથી UAEની પ્રતિક્રિયા આવી છે .    હવે UAE એટલેકે , યુનાઇટેડ આરબ એમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનની પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે બેઉ દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા , રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલના જે એમ્બેસેડર કે જેઓ ભારતમાં છે તેમનું નામ છે રુવેંન અઝર . તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ઇઝરાયેલ ભારતના રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે . " આ બાજુ બીજા સમાચાર એ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જેમાં તેઓ મેની ૧૩મી તારીખથી ૧૭ તારીખ સુધી ક્રોએશિયા , નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા તે કેન્સલ થયો છે.   




આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?