ઓપરેશન સિંદૂર પછી , વિશ્વના દેશોએ આ રીતે આપી પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-07 19:59:09

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

Donald Trump

ઓપરેશન સિંદૂર જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે , ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંક રૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ ક્યારેય પુરી નઈ થાય . ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત ૯ સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તયબાના ઠેકાણાઓ હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની.   સૌપ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો , તેમણે વ્હાઇટહાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , " જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે સાંભળ્યું છે . મારુ અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો કે કૈંક થવાનું છે ." આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે , તમે આ બે દેશોને કઈંક કેહવા માંગશો તો , ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , "ના , મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે ." આપને જણાવી દયિકે , ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી હતી. 

UN United Nations Logo PNG vector in SVG, PDF, AI, CDR format

વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઓન્ટોનીઓ ગુટેરાસની , તેમણે આ ઓપરેશન સિંદૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે . સાથે જ બેઉ દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે કેમ કે બેઉ દેશો જોડે પરમાણુ હથિયારો છે . ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખુબ પૈસા આપતા હતા તેમાંથી UAEની પ્રતિક્રિયા આવી છે .    હવે UAE એટલેકે , યુનાઇટેડ આરબ એમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનની પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે બેઉ દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા , રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલના જે એમ્બેસેડર કે જેઓ ભારતમાં છે તેમનું નામ છે રુવેંન અઝર . તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ઇઝરાયેલ ભારતના રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે . " આ બાજુ બીજા સમાચાર એ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જેમાં તેઓ મેની ૧૩મી તારીખથી ૧૭ તારીખ સુધી ક્રોએશિયા , નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા તે કેન્સલ થયો છે.   




અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.