ઓપરેશન સિંદૂર પછી , વિશ્વના દેશોએ આ રીતે આપી પ્રતિક્રિયા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-07 19:59:09

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

Donald Trump

ઓપરેશન સિંદૂર જેણે પાકિસ્તાની સેનાના જનરલ અસીમ મુનીરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે , ભારતનું કોઈ પણ રાજ્ય હોય ત્યાં આતંક રૂપી અંધારું ફેલાવવાની તમારી નેમ ક્યારેય પુરી નઈ થાય . ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં સ્થિત ૯ સ્થળો કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તયબાના ઠેકાણાઓ હતા તેની પર હુમલો કર્યો છે. વાત કરીએ વિશ્વના નેતાઓની.   સૌપ્રથમ વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો , તેમણે વ્હાઇટહાઉસમાં પત્રકારોને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે , " જેવો જ હું ઓવલ ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અમે સાંભળ્યું આના વિશે સાંભળ્યું છે . મારુ અનુમાન છે કે લોકોને ખ્યાલ હતો કે કૈંક થવાનું છે ." આ પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્રકાર દ્વારા એવો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો કે , તમે આ બે દેશોને કઈંક કેહવા માંગશો તો , ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપતા કહ્યું કે , "ના , મને આશા છે કે આનો ઝડપથી અંત આવશે ." આપને જણાવી દયિકે , ઓપરેશન સિંદૂર જેવું જ લોન્ચ કરવામાં આવ્યું ત્યારે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સાથે વાત કરી હતી. 

UN United Nations Logo PNG vector in SVG, PDF, AI, CDR format

વાત યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઓન્ટોનીઓ ગુટેરાસની , તેમણે આ ઓપરેશન સિંદૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે . સાથે જ બેઉ દેશોને મેક્સિમમ મિલિટરી રિસ્ટ્રેન્ટ રાખવાની વાત કહી છે કેમ કે બેઉ દેશો જોડે પરમાણુ હથિયારો છે . ગલ્ફ દેશો કે જેઓ એક સમયે પાકિસ્તાનને ખુબ પૈસા આપતા હતા તેમાંથી UAEની પ્રતિક્રિયા આવી છે .    હવે UAE એટલેકે , યુનાઇટેડ આરબ એમિરાતના વિદેશમંત્રી અબ્દુલ્લાહ બિન ઝાયેદ અલ નાહ્યાનની પ્રતિક્રિયા આવી છે જેમાં તેમણે બેઉ દેશો ભારત અને પાકિસ્તાનને તણાવ ઓછો કરવા , રિસ્ટ્રેન્ટ રાખવા સાથે વધારાનું એસ્કેલેશન ના કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલના જે એમ્બેસેડર કે જેઓ ભારતમાં છે તેમનું નામ છે રુવેંન અઝર . તેમણે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે , " ઇઝરાયેલ ભારતના રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સને સંપૂર્ણ મદદ કરે છે. આતંકવાદીઓને ખબર હોવી જોઈએ કે તેઓ આ જઘન્ય અપરાધ કરીને છુપાઈ ના શકે . " આ બાજુ બીજા સમાચાર એ સામે આવ્યા છે કે પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જેમાં તેઓ મેની ૧૩મી તારીખથી ૧૭ તારીખ સુધી ક્રોએશિયા , નોર્વે અને નેધરલેન્ડ જવાના હતા તે કેન્સલ થયો છે.   




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.