પરશોત્તમ રૂપાલાના નકલી PA બાદ હવે મંત્રી પરષોત્તમ સોલંકીનો નકલી મદદનીશ જૂનાગઢમાંથી ઝડપાયો


  • Published By :
  • Published Date : 2023-12-06 22:17:30

ગુજરાતમાં આજકાલ નકલી વસ્તુઓનું જબરદસ્ત ચલણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં નકલી પોલીસ, સરકારી કચેરી, નકલી ટોલનાકા, નકલી પોલીસ અધિકારીઓ એમ નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેમ પશુપાલન મંત્રી પરશોત્તમ સોલંકીનો નકલી PA ઝડપાયો છે. મંત્રી પરશોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને જૂનાગઢમાં રોફ મારતો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢમાં એમ.એલ.એ ગુજરાતના બોર્ડ સાથે રોફ જમાવતા એક શખ્સની જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેમના ખિસ્સામાંથી મંત્રીના પી.એ હોવાના બે વીઝીટીંગ કાર્ડ મળી આવ્યા છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન પરશોત્ત્તમ રૂપાલાના ડમી PA ઝડપાયો હતો.


કઈ રીતે ઝડપાયો?


જૂનાગઢમાં રાતે સાબલપુર ચોકડી પાસેથી એક શખ્સ એમ.એલ.એ. ગુજરાત લખેલી કાર લઈને પોતાને પૂર્વ પશુપાલન મંત્રીનો અંગત મદદનીશ હોવાનો રોફ જમાવી નીકળ્યો હતો, જેને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન નકલી ધારાસભ્યને ઝડપી લઈને ગુન્હો દાખલ કર્યો છે. જૂનાગઢ તાલુકા પીએસઆઈ એસ.એ.ગઢવી સહિતનો સ્ટાફ રાતે 10 વાગ્યાના અરસામાં સાબલપુર ચોકડી ઉપર વાહન ચકીંગમાં હતા, તે સમયે વડાલ રાજકોટ તરફથી આવી રહેલ આઈ ટેન કાર નંબર જીજે.11. એસ.6631 ને અટકાવી હતી, જે કારના ડેસ્ક ઉપર લાલ અક્ષરમાં બોર્ડ માર્યું હતું, જેમાં એમ.એલ.એ.ગુજરાત અને કમળનું નિશાન દોયું હતું, જેથી પોલીસે કારના ચાલક રાજેશ જયંતિ જાદવ મૂડ મેંદરડાના સીમાસી ગામનો અને જૂનાગઢના વાડલા ફાટક પાસે રહે છે. પોલીસે રાજેશને પૂછ્યું કે તેઓ ધારાસભ્ય છે. ત્યારે રાજેશે જણાવ્યું કે, તે ધારાસભ્ય નથી, પરંતુ પૂર્વ પશુપાલન મંત્રી પરશોત્તમ સોલંકીનો અંગત મદદનીશ હોવાનું કહીને રોફ જમાવ્યો હતો. જેથી પોલીસે કારની તલાસી લેતા તેમાંથી એમ.એલ.એ.ગુજરાત લખેલું બોર્ડ અને પશુપાલન મંત્રી ગુજરાત રાજ્ય પરશોતમ સોલંકીના અંગત મદદનીશ તેવું લખાણ વાળા વિઝીટીંગ કાર્ડ મળી આવ્યા હતા. જેથી પોલીસે રાજેશ સામે પોતે ધારાસભ્ય ન હોવા છતાં ધારાસભ્યનું બેનર મારીને ફરતો હોયે તેની સામે આઈપીસી કલમ 170 અન્વયે કાર્યવાહી કરીને ગુન્હો દાખલ કર્યો અને કાર અને મોબાઇલ કબજે કરીને કાર્યવાહી કરી હતી.


સમૂહલગ્નના નામે છેતરપિંડી આચરી હતી


પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજેશ જાદવ નામના આ શખ્સે વન વિભાગમાં પણ પોતે પશુપાલન મંત્રીના અંગત મદદની હોવાની ઓળખ આપી હતી. વન વિભાગના અધિકારી દ્વારા પણ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી આરોપીએ પરિક્રમા દરમિયાન રાજ્યકક્ષાના અંગત મદદનીશ તરીકેનું વીઝીટીંગ કાર્ડ રજૂ કર્યું હતું અને આ બાબતે મૌખિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે આરોપી રાજેશ જાદવ વીઝીટીંગ કાર્ડનો દુરુપયોગ કર્યો છે આ મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને અગાઉ પણ રાજેશ જાદવ નામના આ વ્યક્તિએ પોતાની કાર ઉપર એમએલએ ગુજરાત લખેલું બોર્ડ અને રાજ્યકક્ષાના મંત્રીના પી.એ ના વીઝીટીંગ કાર્ડનો કોઈ અન્ય જગ્યાએ દૂરઉપયોગ કર્યો છે કે કેમ તે અંગેની પણ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ભૂતકાળમાં ધોરાજી અને ગોંડલમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી હોવાની પણ વિગતો સામે આવી રહી છે.


તાજેતરમાં પરશોત્ત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાયો હતો


અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે. આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે. આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનો PA બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો. બાદમાં પોલીસે તે મોબાઈલ નંબર અંગે તપાસ હાથ ધરતા પુરુષોત્તમ રૂપાલાનો નકલી PA ઝડપાઈ ગયો હતો.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.