Rajasthan Paper Leak મામલે PM Modiના નિવેદન બાદ Gujaratના નેતાઓએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું - ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે


  • Published By :
  • Published Date : 2023-09-28 16:16:06

રાજ્ય હોય કે દેશ હોય શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં બાળકો ભણવા માટે આવતા નથી. અનેક શાળાની બિલ્ડીંગ એવી છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

Fear of another paper leak in Rajasthan, answer sheet viral in So.media  before exam | Sandesh


પેપર લીક મામલે પીએમએ રાજસ્થાન સરકારને ઘેરી હતી 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવનાર સમયમાં યોજાવાની છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદી રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જનસભાને સંબોધિત કરતા તેમણે રાજસ્થાનની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર લીકને લઈ તેમણે સરકારને ઘેરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે પેપર લીક માફિયાને સંરક્ષણ આપ્યું છે. આ ઘટના સમગ્ર રાજ્યને શર્મસાર કરી દે તેવી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો આ પેપર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય છે - શક્તિસિંહ ગોહિલ

પીએમ મોદીના નિવેદન પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે જવાબ આપ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમણે પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર લીક કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ."


દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે - યુવરાજસિંહ

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પેપરલીક મામલે પીએમ મોદી દ્વારા આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે " ગુજરાતમાં પણ પેપરલિકના માફિયાને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ?? પીપરલીકની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે, તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.