Rajasthan Paper Leak મામલે PM Modiના નિવેદન બાદ Gujaratના નેતાઓએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું - ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે


  • Published By :
  • Published Date : 2023-09-28 16:16:06

રાજ્ય હોય કે દેશ હોય શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં બાળકો ભણવા માટે આવતા નથી. અનેક શાળાની બિલ્ડીંગ એવી છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

Fear of another paper leak in Rajasthan, answer sheet viral in So.media  before exam | Sandesh


પેપર લીક મામલે પીએમએ રાજસ્થાન સરકારને ઘેરી હતી 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવનાર સમયમાં યોજાવાની છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદી રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જનસભાને સંબોધિત કરતા તેમણે રાજસ્થાનની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર લીકને લઈ તેમણે સરકારને ઘેરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે પેપર લીક માફિયાને સંરક્ષણ આપ્યું છે. આ ઘટના સમગ્ર રાજ્યને શર્મસાર કરી દે તેવી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો આ પેપર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય છે - શક્તિસિંહ ગોહિલ

પીએમ મોદીના નિવેદન પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે જવાબ આપ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમણે પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર લીક કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ."


દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે - યુવરાજસિંહ

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પેપરલીક મામલે પીએમ મોદી દ્વારા આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે " ગુજરાતમાં પણ પેપરલિકના માફિયાને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ?? પીપરલીકની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે, તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.