Rajasthan Paper Leak મામલે PM Modiના નિવેદન બાદ Gujaratના નેતાઓએ ભાજપ સરકારને ઘેરી, કહ્યું - ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે


  • Published By :
  • Published Date : 2023-09-28 16:16:06

રાજ્ય હોય કે દેશ હોય શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. ગુજરાતમાં તો શિક્ષણની પરિસ્થિતિ શું છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં બાળકો ભણવા માટે આવતા નથી. અનેક શાળાની બિલ્ડીંગ એવી છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

Fear of another paper leak in Rajasthan, answer sheet viral in So.media  before exam | Sandesh


પેપર લીક મામલે પીએમએ રાજસ્થાન સરકારને ઘેરી હતી 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી આવનાર સમયમાં યોજાવાની છે. જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે થોડા દિવસો પહેલા પીએમ મોદી રાજસ્થાનના પ્રવાસે ગયા હતા. જનસભાને સંબોધિત કરતા તેમણે રાજસ્થાનની સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પેપર લીકને લઈ તેમણે સરકારને ઘેરી હતી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની સરકારે પેપર લીક માફિયાને સંરક્ષણ આપ્યું છે. આ ઘટના સમગ્ર રાજ્યને શર્મસાર કરી દે તેવી છે. તેમણે કહ્યું કે જો રાજસ્થાનમાં બીજેપીની સરકાર બનશે તો આ પેપર માફિયા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય છે - શક્તિસિંહ ગોહિલ

પીએમ મોદીના નિવેદન પર અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ મામલે જવાબ આપ્યો છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમણે પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીકમાં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર લીક કરનાર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ."


દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એટલા ગુજરાતમાં પેપર ફૂટે છે - યુવરાજસિંહ

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પેપરલીક મામલે પીએમ મોદી દ્વારા આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે " ગુજરાતમાં પણ પેપરલિકના માફિયાને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ?? પીપરલીકની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે, તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ?



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.